ગાયોમાં વધતો લમ્પી વાયરસનો કહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 11:15:22

કોરોનાના કહેર બાદ લમ્પી વાયરસનો કહેર દેશભરમાં જોવા મળી રહ્યો છે. અનેક ગાયો લમ્પી વાયરસની ઝપેટમાં આવી રહી છે. દેશભરમાં 58 હજારથી વધુ ગાયો લમ્પી વાયરસને કારણે મોતને ભેટી છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે આ રોગએ 16 રાજ્યોમાં દસ્તક આપી દીધી છે. સૌથી વધુ રાજસ્થાન રાજ્ય પ્રભાવિત થયું છે.

લમ્પી વાયરસના કેસ વધતા સરકારનો એક્શન પ્લાન  

 

અનેક ગાયો લમ્પી વાયરસથી પ્રભાવિત થઈ મોતને ભેટી રહી છે. લમ્પી વાયરસનો કહેર 16 રાજ્યોમાં પહોંચી ગયો છે. પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે લમ્પી વાયરસનો સામનો કરવા માટે તમામ રાજ્યો સાથે સંકલન વધારવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં કંટ્રોલ રૂમ બનાવાઈ ગયો છે જે દ્વારા રાજ્યો સાથે સંકલન કરાઇ રહ્યું છે. તમામ રાજ્યના અધિકારીઓને માર્ગદર્શન આપાઈ રહ્યું છે. સૌથી પ્રભાવિત થયેલા રાજસ્થાન સરકારને સંપૂર્ણ સહકાર આપવામાં આવી રહ્યો છે.

Parshottam Rupala to Participate in Yoga Session Today at Somnath

 

કોરોના બાદ વધતા લમ્પી વાયરસના કેસ

કોરોના બાદ લમ્પી વાયરસના કેસો વધતા સરકારની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ગૌધનને હાની પહોંચતા પશુપાલકો પણ ચિંતામાં આવી ગયા છે. ગાયમાતાના મોતની સીધી અસર પશુપાલકોની આવક પર પડી રહી છે. વધુ ગાયો લમ્પી વાયરસને કારણે પ્રભાવિત ન થાય તે માટે વેક્સિનેશન પર ધ્યાન આપવા સરકાર પશુપાલકોને કહી રહી છે. 



આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .