ગાયોમાં વધતો લમ્પી વાયરસનો કહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 11:15:22

કોરોનાના કહેર બાદ લમ્પી વાયરસનો કહેર દેશભરમાં જોવા મળી રહ્યો છે. અનેક ગાયો લમ્પી વાયરસની ઝપેટમાં આવી રહી છે. દેશભરમાં 58 હજારથી વધુ ગાયો લમ્પી વાયરસને કારણે મોતને ભેટી છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે આ રોગએ 16 રાજ્યોમાં દસ્તક આપી દીધી છે. સૌથી વધુ રાજસ્થાન રાજ્ય પ્રભાવિત થયું છે.

લમ્પી વાયરસના કેસ વધતા સરકારનો એક્શન પ્લાન  

 

અનેક ગાયો લમ્પી વાયરસથી પ્રભાવિત થઈ મોતને ભેટી રહી છે. લમ્પી વાયરસનો કહેર 16 રાજ્યોમાં પહોંચી ગયો છે. પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે લમ્પી વાયરસનો સામનો કરવા માટે તમામ રાજ્યો સાથે સંકલન વધારવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં કંટ્રોલ રૂમ બનાવાઈ ગયો છે જે દ્વારા રાજ્યો સાથે સંકલન કરાઇ રહ્યું છે. તમામ રાજ્યના અધિકારીઓને માર્ગદર્શન આપાઈ રહ્યું છે. સૌથી પ્રભાવિત થયેલા રાજસ્થાન સરકારને સંપૂર્ણ સહકાર આપવામાં આવી રહ્યો છે.

Parshottam Rupala to Participate in Yoga Session Today at Somnath

 

કોરોના બાદ વધતા લમ્પી વાયરસના કેસ

કોરોના બાદ લમ્પી વાયરસના કેસો વધતા સરકારની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ગૌધનને હાની પહોંચતા પશુપાલકો પણ ચિંતામાં આવી ગયા છે. ગાયમાતાના મોતની સીધી અસર પશુપાલકોની આવક પર પડી રહી છે. વધુ ગાયો લમ્પી વાયરસને કારણે પ્રભાવિત ન થાય તે માટે વેક્સિનેશન પર ધ્યાન આપવા સરકાર પશુપાલકોને કહી રહી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.