ગાયોમાં વધતો લમ્પી વાયરસનો કહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 11:15:22

કોરોનાના કહેર બાદ લમ્પી વાયરસનો કહેર દેશભરમાં જોવા મળી રહ્યો છે. અનેક ગાયો લમ્પી વાયરસની ઝપેટમાં આવી રહી છે. દેશભરમાં 58 હજારથી વધુ ગાયો લમ્પી વાયરસને કારણે મોતને ભેટી છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે આ રોગએ 16 રાજ્યોમાં દસ્તક આપી દીધી છે. સૌથી વધુ રાજસ્થાન રાજ્ય પ્રભાવિત થયું છે.

લમ્પી વાયરસના કેસ વધતા સરકારનો એક્શન પ્લાન  

 

અનેક ગાયો લમ્પી વાયરસથી પ્રભાવિત થઈ મોતને ભેટી રહી છે. લમ્પી વાયરસનો કહેર 16 રાજ્યોમાં પહોંચી ગયો છે. પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે લમ્પી વાયરસનો સામનો કરવા માટે તમામ રાજ્યો સાથે સંકલન વધારવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં કંટ્રોલ રૂમ બનાવાઈ ગયો છે જે દ્વારા રાજ્યો સાથે સંકલન કરાઇ રહ્યું છે. તમામ રાજ્યના અધિકારીઓને માર્ગદર્શન આપાઈ રહ્યું છે. સૌથી પ્રભાવિત થયેલા રાજસ્થાન સરકારને સંપૂર્ણ સહકાર આપવામાં આવી રહ્યો છે.

Parshottam Rupala to Participate in Yoga Session Today at Somnath

 

કોરોના બાદ વધતા લમ્પી વાયરસના કેસ

કોરોના બાદ લમ્પી વાયરસના કેસો વધતા સરકારની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ગૌધનને હાની પહોંચતા પશુપાલકો પણ ચિંતામાં આવી ગયા છે. ગાયમાતાના મોતની સીધી અસર પશુપાલકોની આવક પર પડી રહી છે. વધુ ગાયો લમ્પી વાયરસને કારણે પ્રભાવિત ન થાય તે માટે વેક્સિનેશન પર ધ્યાન આપવા સરકાર પશુપાલકોને કહી રહી છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.