દેવદિવાળીના દિવસે ભારતમાં દેખાશે ચંદ્રગ્રહણ, મંદિરોના સમયમાં કરાયો ફેરફાર


  • Published By :
  • Published Date : 2022-11-05 17:25:23

દેવદિવાળીના દિવસે એટલે કે 8 નવેમ્બરના રોજ વર્ષનું અંતિમ ચંદ્રગહણ થવાનું છે. ગ્રહણના થોડા કલાકો પહેલા મંદિરોના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. ચંદ્રગ્રહણ દરમિયાન વેધ લાગી જતો હોય છે. દેવદિવાળીના દિવસે ગ્રહણ હોવાને કારણે શક્તિપીઠ અંબાજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. દર્શનના તેમજ આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. 

દેવદિવાળીના દિવસે અંબાજી મંદિર રહેશે બંધ

ચંદ્રગ્રહણ હોવાને કારણે સવારે 6:30 વાગે થતી આરતી સવારે 4:00 વાગ્યે કરવામાં આવશે. આરતી થયા બાદ મંદિર આખો દિવસ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. ઉપરાંત રાત્રીના 6:30 વાગે થતી આરતી 9:30 કલાકે કરવામાં આવશે. જે બાદ મંદિર મંગળ કરી દેવામાં આવશે. જે બાદ નવ ડિસેમ્બરથી મંદિર રાબેતા મુજબ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. 

Know About the special glory of Nagardevi Mata Bhadrakali of Ahmedabad.AGP  – News18 Gujarati

અમદાવાદના મંદિરોમાં પળાશે ગ્રહણ  

અમદાવાદમાં આવેલા અનેક મંદિરોમાં પણ ચંદ્રગ્રહણને કારણે દર્શનના સમયમાં ફેરફાર કરાયા છે. નગરદેવી ભદ્રકાલી મંદિર સાંજના 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી બંધ રહેશે. જ્યારે લાલદરવાજામાં આવેલ ગણપતિ મંદિર બપોરના એક વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. ગ્રહણ સમાપ્ત થયા પછી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકાશે.   


ચંદ્રોદય સાથે જોવા મળશે ચંદ્રગ્રહણ

આ ચંદ્રગ્રહણ ભારતના પૂર્વ દિશાના રાજ્યોમાં દેખાવાનું છે જ્યારે બીજા રાજ્યોમાં આંશિક ચંદ્રગ્રહણ દેખાશે. સાંજના ચાર વાગે ભારતમાં ચંદ્રગ્રહણ દેખાવાનું છે. ભારતમાં ચંદ્રોદય સાથે ચંદ્રગ્રહણ પણ દેખાશે. આ અગાઉ દિવાળીના દિવસો દરમિયાન સૂર્યગ્રહણ થયું હતું.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.