દેવદિવાળીના દિવસે ભારતમાં દેખાશે ચંદ્રગ્રહણ, મંદિરોના સમયમાં કરાયો ફેરફાર


  • Published By :
  • Published Date : 2022-11-05 17:25:23

દેવદિવાળીના દિવસે એટલે કે 8 નવેમ્બરના રોજ વર્ષનું અંતિમ ચંદ્રગહણ થવાનું છે. ગ્રહણના થોડા કલાકો પહેલા મંદિરોના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. ચંદ્રગ્રહણ દરમિયાન વેધ લાગી જતો હોય છે. દેવદિવાળીના દિવસે ગ્રહણ હોવાને કારણે શક્તિપીઠ અંબાજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. દર્શનના તેમજ આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. 

દેવદિવાળીના દિવસે અંબાજી મંદિર રહેશે બંધ

ચંદ્રગ્રહણ હોવાને કારણે સવારે 6:30 વાગે થતી આરતી સવારે 4:00 વાગ્યે કરવામાં આવશે. આરતી થયા બાદ મંદિર આખો દિવસ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. ઉપરાંત રાત્રીના 6:30 વાગે થતી આરતી 9:30 કલાકે કરવામાં આવશે. જે બાદ મંદિર મંગળ કરી દેવામાં આવશે. જે બાદ નવ ડિસેમ્બરથી મંદિર રાબેતા મુજબ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. 

Know About the special glory of Nagardevi Mata Bhadrakali of Ahmedabad.AGP  – News18 Gujarati

અમદાવાદના મંદિરોમાં પળાશે ગ્રહણ  

અમદાવાદમાં આવેલા અનેક મંદિરોમાં પણ ચંદ્રગ્રહણને કારણે દર્શનના સમયમાં ફેરફાર કરાયા છે. નગરદેવી ભદ્રકાલી મંદિર સાંજના 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી બંધ રહેશે. જ્યારે લાલદરવાજામાં આવેલ ગણપતિ મંદિર બપોરના એક વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. ગ્રહણ સમાપ્ત થયા પછી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકાશે.   


ચંદ્રોદય સાથે જોવા મળશે ચંદ્રગ્રહણ

આ ચંદ્રગ્રહણ ભારતના પૂર્વ દિશાના રાજ્યોમાં દેખાવાનું છે જ્યારે બીજા રાજ્યોમાં આંશિક ચંદ્રગ્રહણ દેખાશે. સાંજના ચાર વાગે ભારતમાં ચંદ્રગ્રહણ દેખાવાનું છે. ભારતમાં ચંદ્રોદય સાથે ચંદ્રગ્રહણ પણ દેખાશે. આ અગાઉ દિવાળીના દિવસો દરમિયાન સૂર્યગ્રહણ થયું હતું.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.