દેવદિવાળીના દિવસે ભારતમાં દેખાશે ચંદ્રગ્રહણ, મંદિરોના સમયમાં કરાયો ફેરફાર


  • Published By :
  • Published Date : 2022-11-05 17:25:23

દેવદિવાળીના દિવસે એટલે કે 8 નવેમ્બરના રોજ વર્ષનું અંતિમ ચંદ્રગહણ થવાનું છે. ગ્રહણના થોડા કલાકો પહેલા મંદિરોના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. ચંદ્રગ્રહણ દરમિયાન વેધ લાગી જતો હોય છે. દેવદિવાળીના દિવસે ગ્રહણ હોવાને કારણે શક્તિપીઠ અંબાજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. દર્શનના તેમજ આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. 

દેવદિવાળીના દિવસે અંબાજી મંદિર રહેશે બંધ

ચંદ્રગ્રહણ હોવાને કારણે સવારે 6:30 વાગે થતી આરતી સવારે 4:00 વાગ્યે કરવામાં આવશે. આરતી થયા બાદ મંદિર આખો દિવસ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. ઉપરાંત રાત્રીના 6:30 વાગે થતી આરતી 9:30 કલાકે કરવામાં આવશે. જે બાદ મંદિર મંગળ કરી દેવામાં આવશે. જે બાદ નવ ડિસેમ્બરથી મંદિર રાબેતા મુજબ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. 

Know About the special glory of Nagardevi Mata Bhadrakali of Ahmedabad.AGP  – News18 Gujarati

અમદાવાદના મંદિરોમાં પળાશે ગ્રહણ  

અમદાવાદમાં આવેલા અનેક મંદિરોમાં પણ ચંદ્રગ્રહણને કારણે દર્શનના સમયમાં ફેરફાર કરાયા છે. નગરદેવી ભદ્રકાલી મંદિર સાંજના 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી બંધ રહેશે. જ્યારે લાલદરવાજામાં આવેલ ગણપતિ મંદિર બપોરના એક વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. ગ્રહણ સમાપ્ત થયા પછી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકાશે.   


ચંદ્રોદય સાથે જોવા મળશે ચંદ્રગ્રહણ

આ ચંદ્રગ્રહણ ભારતના પૂર્વ દિશાના રાજ્યોમાં દેખાવાનું છે જ્યારે બીજા રાજ્યોમાં આંશિક ચંદ્રગ્રહણ દેખાશે. સાંજના ચાર વાગે ભારતમાં ચંદ્રગ્રહણ દેખાવાનું છે. ભારતમાં ચંદ્રોદય સાથે ચંદ્રગ્રહણ પણ દેખાશે. આ અગાઉ દિવાળીના દિવસો દરમિયાન સૂર્યગ્રહણ થયું હતું.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.