મહીસાગરઃ લુણાવાડા ભાજપના નેતા જેપી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી


  • Published By :
  • Published Date : 2022-11-17 17:03:31

ભાજપના પીઢ નેતાએ ભાજપના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. જેપી પટેલ ત્રણ ટર્મ મહીસાગરના ભાજપ જિલ્લા પ્રમુખ પદે સેવા આપી હતી. ગુજરાત રાજ્યના આચાર્ય સંઘના પ્રમુખ જેપી પટેલે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. લુણાવાડામાં ભાજપે જીજ્ઞેશ સેવકને રીપીટ કર્યા છે. અગાઉ 2019માં જીજ્ઞેશ સેવકે લુણાવાડાની સીટ ભાજપને અપાવી હતી. આ વખતે જેપી પટેલને મોકો ના મળતા તેમણે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે અને ભાજપના તમામ પ્રાથમિક હોદા પરથી રાજીનામું આપી દીધું છે. 


મને પાર્ટીથી નહીં ઉમેદવારથી વાંધો છેઃ જેપી પટેલ

પક્ષ સામે વિરોધ નહીં પરંતુ ઉમેદવાર સામે વિરોધ હોતા અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. જેપી પટેલે દાવો કર્યો હતો કે હું ચોક્કસ જીતીશ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારે ભાજપ સાથે કોઈ નારાજગી નથી. મને ભાજપે જાહેર કરેલા ઉમેદવારથી વાંધો છે. મને ભાજપે મોકો નથી આપ્યો તેનાથી મને કોઈ વાંધો નથી. મારે પાર્ટી સાથે નહીં પણ ઉમેદવાર સાથે વાંધો છે. માત્ર મને જ નહીં પણ લુણાવાડાના લોકોને પણ જીજ્ઞેશ સેવક સામે નારાજગી છે. 


ભાજપે લુણાવાડા બેઠક પર જીજ્ઞેશ સેવકને મોકો આપ્યો છે. આમ આદમી પાર્ટી નટવરસિંહ સોલંકી અને કોંગ્રેસે ગુલાબસિંહને મોકો આપ્યો છે. મહીસાગર જિલ્લાની 2.60 લાખ મતદારો ધરાવતી લુણાવાડા બેઠક  2019ની પેટા ચૂંટણીમાં જીજ્ઞેશ સેવકે મેળવી હતી. વર્ષ 2017માં રતનસિંહ રાઠોડ અપક્ષમાં ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. લુણાવાડા બેઠક પર 34 ટકા બક્ષી પંચના ઉમેદવાર છે જ્યારે 20 ટકા પાટીદાર મતદારો છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.