મહીસાગરઃ લુણાવાડા ભાજપના નેતા જેપી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી


  • Published By :
  • Published Date : 2022-11-17 17:03:31

ભાજપના પીઢ નેતાએ ભાજપના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. જેપી પટેલ ત્રણ ટર્મ મહીસાગરના ભાજપ જિલ્લા પ્રમુખ પદે સેવા આપી હતી. ગુજરાત રાજ્યના આચાર્ય સંઘના પ્રમુખ જેપી પટેલે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. લુણાવાડામાં ભાજપે જીજ્ઞેશ સેવકને રીપીટ કર્યા છે. અગાઉ 2019માં જીજ્ઞેશ સેવકે લુણાવાડાની સીટ ભાજપને અપાવી હતી. આ વખતે જેપી પટેલને મોકો ના મળતા તેમણે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે અને ભાજપના તમામ પ્રાથમિક હોદા પરથી રાજીનામું આપી દીધું છે. 


મને પાર્ટીથી નહીં ઉમેદવારથી વાંધો છેઃ જેપી પટેલ

પક્ષ સામે વિરોધ નહીં પરંતુ ઉમેદવાર સામે વિરોધ હોતા અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. જેપી પટેલે દાવો કર્યો હતો કે હું ચોક્કસ જીતીશ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારે ભાજપ સાથે કોઈ નારાજગી નથી. મને ભાજપે જાહેર કરેલા ઉમેદવારથી વાંધો છે. મને ભાજપે મોકો નથી આપ્યો તેનાથી મને કોઈ વાંધો નથી. મારે પાર્ટી સાથે નહીં પણ ઉમેદવાર સાથે વાંધો છે. માત્ર મને જ નહીં પણ લુણાવાડાના લોકોને પણ જીજ્ઞેશ સેવક સામે નારાજગી છે. 


ભાજપે લુણાવાડા બેઠક પર જીજ્ઞેશ સેવકને મોકો આપ્યો છે. આમ આદમી પાર્ટી નટવરસિંહ સોલંકી અને કોંગ્રેસે ગુલાબસિંહને મોકો આપ્યો છે. મહીસાગર જિલ્લાની 2.60 લાખ મતદારો ધરાવતી લુણાવાડા બેઠક  2019ની પેટા ચૂંટણીમાં જીજ્ઞેશ સેવકે મેળવી હતી. વર્ષ 2017માં રતનસિંહ રાઠોડ અપક્ષમાં ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. લુણાવાડા બેઠક પર 34 ટકા બક્ષી પંચના ઉમેદવાર છે જ્યારે 20 ટકા પાટીદાર મતદારો છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.