મહીસાગરઃ લુણાવાડા ભાજપના નેતા જેપી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી


  • Published By :
  • Published Date : 2022-11-17 17:03:31

ભાજપના પીઢ નેતાએ ભાજપના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. જેપી પટેલ ત્રણ ટર્મ મહીસાગરના ભાજપ જિલ્લા પ્રમુખ પદે સેવા આપી હતી. ગુજરાત રાજ્યના આચાર્ય સંઘના પ્રમુખ જેપી પટેલે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. લુણાવાડામાં ભાજપે જીજ્ઞેશ સેવકને રીપીટ કર્યા છે. અગાઉ 2019માં જીજ્ઞેશ સેવકે લુણાવાડાની સીટ ભાજપને અપાવી હતી. આ વખતે જેપી પટેલને મોકો ના મળતા તેમણે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે અને ભાજપના તમામ પ્રાથમિક હોદા પરથી રાજીનામું આપી દીધું છે. 


મને પાર્ટીથી નહીં ઉમેદવારથી વાંધો છેઃ જેપી પટેલ

પક્ષ સામે વિરોધ નહીં પરંતુ ઉમેદવાર સામે વિરોધ હોતા અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે. જેપી પટેલે દાવો કર્યો હતો કે હું ચોક્કસ જીતીશ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારે ભાજપ સાથે કોઈ નારાજગી નથી. મને ભાજપે જાહેર કરેલા ઉમેદવારથી વાંધો છે. મને ભાજપે મોકો નથી આપ્યો તેનાથી મને કોઈ વાંધો નથી. મારે પાર્ટી સાથે નહીં પણ ઉમેદવાર સાથે વાંધો છે. માત્ર મને જ નહીં પણ લુણાવાડાના લોકોને પણ જીજ્ઞેશ સેવક સામે નારાજગી છે. 


ભાજપે લુણાવાડા બેઠક પર જીજ્ઞેશ સેવકને મોકો આપ્યો છે. આમ આદમી પાર્ટી નટવરસિંહ સોલંકી અને કોંગ્રેસે ગુલાબસિંહને મોકો આપ્યો છે. મહીસાગર જિલ્લાની 2.60 લાખ મતદારો ધરાવતી લુણાવાડા બેઠક  2019ની પેટા ચૂંટણીમાં જીજ્ઞેશ સેવકે મેળવી હતી. વર્ષ 2017માં રતનસિંહ રાઠોડ અપક્ષમાં ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. લુણાવાડા બેઠક પર 34 ટકા બક્ષી પંચના ઉમેદવાર છે જ્યારે 20 ટકા પાટીદાર મતદારો છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.