મહીસાગર CDHOની કિન્નાખોરી, લુણાવાડા નોડલ ઓફિસરનો કોન્ટ્રાક્ટ કર્યો રદ્દ, કર્મચારીએ CMOને લખ્યો પત્ર


  • Published By :
  • Published Date : 2023-07-24 15:04:46

સરકારી કર્મચારીઓને તેમના ઉપરી અધિકારીઓના પૂર્વગ્રહના કારણે કેવું હેરાન-પરેશાન થવું પડે છે તેનાથી સૌ કોઈ વાકેફ છે. ઘણી વખત એવું પણ બને છે કે ઉપરી અધિકારીઓ તેમના અંગત કામ માટે કે ઘરના કામ માટે પણ હાથ નીચેના કર્મચારીઓનો ઉપયોગ કરતા હોય છે. જો કોઈ કર્મચારી અંગત કામ કરવાની ના પાડે તો તેને બીજી રીતે હેરાન કરવામાં આવે છે. આવો જ એક કિસ્સો મહીસાગર જિલ્લામાં સામે આવ્યો છે, મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં RBSK mo (નોડલ ઓફિસર) તરીકે છેલ્લા 6 વર્ષથી ફરજ બજાવતા ડો. દત્તુ રાવલે તેમના ઉપરી અધિકારીનો ઘરના કામો કરવાનો ઈન્કાર કરતા અંતે પહેલા તેમની માનસિક રીતે હેરાન કરવામાં આવ્યા હતા. આટલાથી પણ સંતોષ ન થતો હોય તેમ તેમનો કોન્ટ્રાક્ટ જ રિન્યું કર્યો ન હતો. નોડલ ઓફિસર ઓફિસર ડો. દત્તુ રાવલે તેમને થયેલા અન્યાયના મામલે સીએમ ઓફિસને પણ પત્ર લખ્યો છે તો કે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.



મહીસાગર CDHOની  કિન્નાખોરી


મહીસાગર જિલ્લામાં RBSK mo (નોડલ ઓફિસર) તરીકે ફરજ બજાવતા ડો. દત્તુ રાવલે તેમના ઉપરી અધિકારી એવા મહીસાગર CDHOએ કિન્નાખોરી રાખી તેમને માનસિક ત્રાસ આપ્યો અને બાદમાં તેમનો કોન્ટ્રાક્ટ પણ રિન્યુ ન કરતા હાલ આ કર્મચારી માનસિક તણાવ અનુભવી રહ્યો છે. મહીસાગર  CDHO ડો. દત્તુ રાવલ પાસે તેમના ઘર કામ જેવા કે ફર્નિચર, AC ફિટિંગ, આરો ફિટિંગ સહિતના કામે કરાવતા હતા. જો  કે એક દિવસ ડો. દત્તુ રાવલે તેમના ઉપરી અધિકારી CDHO ને તેમના અંગત કામો કરવાનો ઈન્કાર કર્યો હતો. આ જ બાબતની દાઝ રાખીને  CDHOએ પહેલા તો દત્તુ રાવલને માનસિક ત્રાસ આપવાનું અને બાદમાં તેમનો કોન્ટ્રાક્ટ જ રિન્યુ નહીં કરીને તેમની પ્રત્યે કિન્નાખોરી દાખવી હતી.   


તાલુકા હેલ્થ ઓફિસરના અભિપ્રાયની અવગણના


મહીસાગર જિલ્લામાં RBSK mo (નોડલ ઓફિસર) ડો. દત્તુ રાવલની સારી કામગીરીને જોતા તાલુકા હેલ્થ ઓફિસરે પણ તેમનો કાન્ટ્રાક્ટ રિન્યુ કરવા માટે અભિપ્રાય આપ્યો હતો. તાલુકા હેલ્થ ઓફિસરે 14-07- 2023ના રોજ તેમણે 5 રિન્યુ માર્ક્સ આપ્યા હતા, ખરેખર તો કર્મચારીનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા માટે  તેને 3 માર્ક્સની જ જરૂર પડતી હોય છે તેમ છતાં તાલુકા હેલ્થ ઓફિસરે 5 માર્ક્સ આપ્યા છે જે તેમની સારી કામગીરી દર્શાવે છે. ડો. દત્તુ રાવલને પાલનના રાજ્યકક્ષાના વર્કશોપમાં માર્ચ 2023 શ્રેષ્ઠ કામગીરી માટે પ્રથમ બેસ્ટ પ્રેઝન્ટેશન એવોર્ડ પણ મળી ચુક્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.