મહીસાગર CDHOની કિન્નાખોરી, લુણાવાડા નોડલ ઓફિસરનો કોન્ટ્રાક્ટ કર્યો રદ્દ, કર્મચારીએ CMOને લખ્યો પત્ર


  • Published By :
  • Published Date : 2023-07-24 15:04:46

સરકારી કર્મચારીઓને તેમના ઉપરી અધિકારીઓના પૂર્વગ્રહના કારણે કેવું હેરાન-પરેશાન થવું પડે છે તેનાથી સૌ કોઈ વાકેફ છે. ઘણી વખત એવું પણ બને છે કે ઉપરી અધિકારીઓ તેમના અંગત કામ માટે કે ઘરના કામ માટે પણ હાથ નીચેના કર્મચારીઓનો ઉપયોગ કરતા હોય છે. જો કોઈ કર્મચારી અંગત કામ કરવાની ના પાડે તો તેને બીજી રીતે હેરાન કરવામાં આવે છે. આવો જ એક કિસ્સો મહીસાગર જિલ્લામાં સામે આવ્યો છે, મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં RBSK mo (નોડલ ઓફિસર) તરીકે છેલ્લા 6 વર્ષથી ફરજ બજાવતા ડો. દત્તુ રાવલે તેમના ઉપરી અધિકારીનો ઘરના કામો કરવાનો ઈન્કાર કરતા અંતે પહેલા તેમની માનસિક રીતે હેરાન કરવામાં આવ્યા હતા. આટલાથી પણ સંતોષ ન થતો હોય તેમ તેમનો કોન્ટ્રાક્ટ જ રિન્યું કર્યો ન હતો. નોડલ ઓફિસર ઓફિસર ડો. દત્તુ રાવલે તેમને થયેલા અન્યાયના મામલે સીએમ ઓફિસને પણ પત્ર લખ્યો છે તો કે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.



મહીસાગર CDHOની  કિન્નાખોરી


મહીસાગર જિલ્લામાં RBSK mo (નોડલ ઓફિસર) તરીકે ફરજ બજાવતા ડો. દત્તુ રાવલે તેમના ઉપરી અધિકારી એવા મહીસાગર CDHOએ કિન્નાખોરી રાખી તેમને માનસિક ત્રાસ આપ્યો અને બાદમાં તેમનો કોન્ટ્રાક્ટ પણ રિન્યુ ન કરતા હાલ આ કર્મચારી માનસિક તણાવ અનુભવી રહ્યો છે. મહીસાગર  CDHO ડો. દત્તુ રાવલ પાસે તેમના ઘર કામ જેવા કે ફર્નિચર, AC ફિટિંગ, આરો ફિટિંગ સહિતના કામે કરાવતા હતા. જો  કે એક દિવસ ડો. દત્તુ રાવલે તેમના ઉપરી અધિકારી CDHO ને તેમના અંગત કામો કરવાનો ઈન્કાર કર્યો હતો. આ જ બાબતની દાઝ રાખીને  CDHOએ પહેલા તો દત્તુ રાવલને માનસિક ત્રાસ આપવાનું અને બાદમાં તેમનો કોન્ટ્રાક્ટ જ રિન્યુ નહીં કરીને તેમની પ્રત્યે કિન્નાખોરી દાખવી હતી.   


તાલુકા હેલ્થ ઓફિસરના અભિપ્રાયની અવગણના


મહીસાગર જિલ્લામાં RBSK mo (નોડલ ઓફિસર) ડો. દત્તુ રાવલની સારી કામગીરીને જોતા તાલુકા હેલ્થ ઓફિસરે પણ તેમનો કાન્ટ્રાક્ટ રિન્યુ કરવા માટે અભિપ્રાય આપ્યો હતો. તાલુકા હેલ્થ ઓફિસરે 14-07- 2023ના રોજ તેમણે 5 રિન્યુ માર્ક્સ આપ્યા હતા, ખરેખર તો કર્મચારીનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા માટે  તેને 3 માર્ક્સની જ જરૂર પડતી હોય છે તેમ છતાં તાલુકા હેલ્થ ઓફિસરે 5 માર્ક્સ આપ્યા છે જે તેમની સારી કામગીરી દર્શાવે છે. ડો. દત્તુ રાવલને પાલનના રાજ્યકક્ષાના વર્કશોપમાં માર્ચ 2023 શ્રેષ્ઠ કામગીરી માટે પ્રથમ બેસ્ટ પ્રેઝન્ટેશન એવોર્ડ પણ મળી ચુક્યો છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.