મહીસાગર CDHOની કિન્નાખોરી, લુણાવાડા નોડલ ઓફિસરનો કોન્ટ્રાક્ટ કર્યો રદ્દ, કર્મચારીએ CMOને લખ્યો પત્ર


  • Published By :
  • Published Date : 2023-07-24 15:04:46

સરકારી કર્મચારીઓને તેમના ઉપરી અધિકારીઓના પૂર્વગ્રહના કારણે કેવું હેરાન-પરેશાન થવું પડે છે તેનાથી સૌ કોઈ વાકેફ છે. ઘણી વખત એવું પણ બને છે કે ઉપરી અધિકારીઓ તેમના અંગત કામ માટે કે ઘરના કામ માટે પણ હાથ નીચેના કર્મચારીઓનો ઉપયોગ કરતા હોય છે. જો કોઈ કર્મચારી અંગત કામ કરવાની ના પાડે તો તેને બીજી રીતે હેરાન કરવામાં આવે છે. આવો જ એક કિસ્સો મહીસાગર જિલ્લામાં સામે આવ્યો છે, મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં RBSK mo (નોડલ ઓફિસર) તરીકે છેલ્લા 6 વર્ષથી ફરજ બજાવતા ડો. દત્તુ રાવલે તેમના ઉપરી અધિકારીનો ઘરના કામો કરવાનો ઈન્કાર કરતા અંતે પહેલા તેમની માનસિક રીતે હેરાન કરવામાં આવ્યા હતા. આટલાથી પણ સંતોષ ન થતો હોય તેમ તેમનો કોન્ટ્રાક્ટ જ રિન્યું કર્યો ન હતો. નોડલ ઓફિસર ઓફિસર ડો. દત્તુ રાવલે તેમને થયેલા અન્યાયના મામલે સીએમ ઓફિસને પણ પત્ર લખ્યો છે તો કે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.



મહીસાગર CDHOની  કિન્નાખોરી


મહીસાગર જિલ્લામાં RBSK mo (નોડલ ઓફિસર) તરીકે ફરજ બજાવતા ડો. દત્તુ રાવલે તેમના ઉપરી અધિકારી એવા મહીસાગર CDHOએ કિન્નાખોરી રાખી તેમને માનસિક ત્રાસ આપ્યો અને બાદમાં તેમનો કોન્ટ્રાક્ટ પણ રિન્યુ ન કરતા હાલ આ કર્મચારી માનસિક તણાવ અનુભવી રહ્યો છે. મહીસાગર  CDHO ડો. દત્તુ રાવલ પાસે તેમના ઘર કામ જેવા કે ફર્નિચર, AC ફિટિંગ, આરો ફિટિંગ સહિતના કામે કરાવતા હતા. જો  કે એક દિવસ ડો. દત્તુ રાવલે તેમના ઉપરી અધિકારી CDHO ને તેમના અંગત કામો કરવાનો ઈન્કાર કર્યો હતો. આ જ બાબતની દાઝ રાખીને  CDHOએ પહેલા તો દત્તુ રાવલને માનસિક ત્રાસ આપવાનું અને બાદમાં તેમનો કોન્ટ્રાક્ટ જ રિન્યુ નહીં કરીને તેમની પ્રત્યે કિન્નાખોરી દાખવી હતી.   


તાલુકા હેલ્થ ઓફિસરના અભિપ્રાયની અવગણના


મહીસાગર જિલ્લામાં RBSK mo (નોડલ ઓફિસર) ડો. દત્તુ રાવલની સારી કામગીરીને જોતા તાલુકા હેલ્થ ઓફિસરે પણ તેમનો કાન્ટ્રાક્ટ રિન્યુ કરવા માટે અભિપ્રાય આપ્યો હતો. તાલુકા હેલ્થ ઓફિસરે 14-07- 2023ના રોજ તેમણે 5 રિન્યુ માર્ક્સ આપ્યા હતા, ખરેખર તો કર્મચારીનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા માટે  તેને 3 માર્ક્સની જ જરૂર પડતી હોય છે તેમ છતાં તાલુકા હેલ્થ ઓફિસરે 5 માર્ક્સ આપ્યા છે જે તેમની સારી કામગીરી દર્શાવે છે. ડો. દત્તુ રાવલને પાલનના રાજ્યકક્ષાના વર્કશોપમાં માર્ચ 2023 શ્રેષ્ઠ કામગીરી માટે પ્રથમ બેસ્ટ પ્રેઝન્ટેશન એવોર્ડ પણ મળી ચુક્યો છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.