મહીસાગર CDHOની કિન્નાખોરી, લુણાવાડા નોડલ ઓફિસરનો કોન્ટ્રાક્ટ કર્યો રદ્દ, કર્મચારીએ CMOને લખ્યો પત્ર


  • Published By :
  • Published Date : 2023-07-24 15:04:46

સરકારી કર્મચારીઓને તેમના ઉપરી અધિકારીઓના પૂર્વગ્રહના કારણે કેવું હેરાન-પરેશાન થવું પડે છે તેનાથી સૌ કોઈ વાકેફ છે. ઘણી વખત એવું પણ બને છે કે ઉપરી અધિકારીઓ તેમના અંગત કામ માટે કે ઘરના કામ માટે પણ હાથ નીચેના કર્મચારીઓનો ઉપયોગ કરતા હોય છે. જો કોઈ કર્મચારી અંગત કામ કરવાની ના પાડે તો તેને બીજી રીતે હેરાન કરવામાં આવે છે. આવો જ એક કિસ્સો મહીસાગર જિલ્લામાં સામે આવ્યો છે, મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં RBSK mo (નોડલ ઓફિસર) તરીકે છેલ્લા 6 વર્ષથી ફરજ બજાવતા ડો. દત્તુ રાવલે તેમના ઉપરી અધિકારીનો ઘરના કામો કરવાનો ઈન્કાર કરતા અંતે પહેલા તેમની માનસિક રીતે હેરાન કરવામાં આવ્યા હતા. આટલાથી પણ સંતોષ ન થતો હોય તેમ તેમનો કોન્ટ્રાક્ટ જ રિન્યું કર્યો ન હતો. નોડલ ઓફિસર ઓફિસર ડો. દત્તુ રાવલે તેમને થયેલા અન્યાયના મામલે સીએમ ઓફિસને પણ પત્ર લખ્યો છે તો કે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.



મહીસાગર CDHOની  કિન્નાખોરી


મહીસાગર જિલ્લામાં RBSK mo (નોડલ ઓફિસર) તરીકે ફરજ બજાવતા ડો. દત્તુ રાવલે તેમના ઉપરી અધિકારી એવા મહીસાગર CDHOએ કિન્નાખોરી રાખી તેમને માનસિક ત્રાસ આપ્યો અને બાદમાં તેમનો કોન્ટ્રાક્ટ પણ રિન્યુ ન કરતા હાલ આ કર્મચારી માનસિક તણાવ અનુભવી રહ્યો છે. મહીસાગર  CDHO ડો. દત્તુ રાવલ પાસે તેમના ઘર કામ જેવા કે ફર્નિચર, AC ફિટિંગ, આરો ફિટિંગ સહિતના કામે કરાવતા હતા. જો  કે એક દિવસ ડો. દત્તુ રાવલે તેમના ઉપરી અધિકારી CDHO ને તેમના અંગત કામો કરવાનો ઈન્કાર કર્યો હતો. આ જ બાબતની દાઝ રાખીને  CDHOએ પહેલા તો દત્તુ રાવલને માનસિક ત્રાસ આપવાનું અને બાદમાં તેમનો કોન્ટ્રાક્ટ જ રિન્યુ નહીં કરીને તેમની પ્રત્યે કિન્નાખોરી દાખવી હતી.   


તાલુકા હેલ્થ ઓફિસરના અભિપ્રાયની અવગણના


મહીસાગર જિલ્લામાં RBSK mo (નોડલ ઓફિસર) ડો. દત્તુ રાવલની સારી કામગીરીને જોતા તાલુકા હેલ્થ ઓફિસરે પણ તેમનો કાન્ટ્રાક્ટ રિન્યુ કરવા માટે અભિપ્રાય આપ્યો હતો. તાલુકા હેલ્થ ઓફિસરે 14-07- 2023ના રોજ તેમણે 5 રિન્યુ માર્ક્સ આપ્યા હતા, ખરેખર તો કર્મચારીનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા માટે  તેને 3 માર્ક્સની જ જરૂર પડતી હોય છે તેમ છતાં તાલુકા હેલ્થ ઓફિસરે 5 માર્ક્સ આપ્યા છે જે તેમની સારી કામગીરી દર્શાવે છે. ડો. દત્તુ રાવલને પાલનના રાજ્યકક્ષાના વર્કશોપમાં માર્ચ 2023 શ્રેષ્ઠ કામગીરી માટે પ્રથમ બેસ્ટ પ્રેઝન્ટેશન એવોર્ડ પણ મળી ચુક્યો છે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે