લ્યો હવે ચૂંટણી સુધી ગોપાલ ઇટાલિયાનો રોજ એક વીડિયો વાયરલ થશે ?????


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 13:13:57


હજુ ગોપાલ ઇટાલિયા એક વિવાદિત વિડિયોથી છૂટયા નથી ત્યાંતો આજે એમનો બીજો વીડિયોવાઇરલ થઈ ગયો છે. આ વખતે ગોપાલ ઇટાલિયા વડાપ્રધાનના માતા હીરાબા વિષે ટિપ્પણી કરતાં દેખાય રહ્યા છે 



શું ચૂંટણી સુધી રોજ એક વીડિયો વાયરલ થશે ?


રાજ્યમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ AAP અને BJPની ટક્કર વધતી દેખાઈ રહી છે. બંને પક્ષો એકબીજા પર પ્રહાર કરતાં જોવા મળે છે ભાજપ  તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક યુદ્ધ સતત ઉગ્ર બની રહ્યું છે. AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા પોતાના જૂના નિવેદનોના કારણે ચારે તરફથી ઘેરાઈ ચૂક્યા છે.  


હજી એક વીડિયોમાંથી છૂટયા નથી ત્યાં બીજો આવી ગયો !!!!


ગોપાલ ઇટાલિયાનો વધુ એકવીડિયોવાઇરલ થયો છે જેમાં તેઓ વડાપ્રધાનના માતા  હીરા બાને ટાર્ગેટ કરીને આપત્તિજનક ટીપ્પણી કરી રહ્યા છે. ભાજપ  ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો શોધી-શોધીને વાયરલ કરી રહ્યું છે અને આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીને જવાબ આપવો ભારે પડી ગયો છે. ભાજપે વીડિયોના આધારે AAP અને ગોપાલ ઈટાલિયાની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા છે અને આવા વિવિધ આરોપના ચક્રવ્યૂહમાં ઘેરાયેલી આમ આદમી પાર્ટીએ સમગ્ર વિવાદને પાટીદાર સાથે જોડી, મામલાને નવો રંગ આપવાનો પ્રયાસ કરી રહી છે.



પેહલા વાઇરલ થયેલો વીડિયો  !!!!!


તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયા મહિલાને સંબોધીન સલાહ આપતો વિડિયો વાઇરલ થયો હતો. જે વિડિયો 2018ના હતો  વાયરલ વીડિયોમાં ઇટાલિયા મહિલાઓને સલાહ આપતા સાંભળવા મળી રહ્યા છે. વીડિયોમાં ઇટાલિયા જણાવી રહ્યા છે કે જો મહિલાઓએ સમાન અધિકાર જોઇતો હોય તો, મંદિરો કે કથાવચનોમાં નાચવાને બદલે પુસ્તકો વાંચવા જોઇ


કાલે ગોપાલ ઇટાલિયાની થઈ હતી અટકાયત !!! 


ગત રોજ AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે વાંધાજનક શબ્દપ્રયોગથી સમગ્ર દેશની મહિલાઓનું અપમાન થયાનું કહી NCWએ ઈટાલિયા સામે નોટિસ કાઢી હતી. ઈટાલિયા આ નોટિસનો જવાબ આપવા NCWની દિલ્હી સ્થિત ઓફિસ પહોંચતા અટકાયત  કરી હતી. 

અને છૂટયા બાદ ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે  મારો પક્ષ રાખવા અહીં આવ્યો હતો અને મારી અટકાયત કરી લીધી, વારંવાર મને ટાર્ગેટ કરવામાં આવે છે, આખો દિવસ મને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો, મારો ગુનો શું છે ? હું પાટીદાર યુવાન છું અને BJP પાર્ટી પાટીદારોને નફરત કરે છે” આ બીજી તરફ કેજરીવાલે પણ ટ્વીટ કરીને કહ્યું કે, ગુજરાતના લોકોના ભારે દબાણથી ગોપાલ ઈટાલિયાને છોડવા પડ્યા, આ ગુજરાતના લોકોની જીત છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.