પાર્ટી શિસ્તની ઐસી તૈસી કરી ભાજપના પૂર્વ MLA મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું


  • Published By :
  • Published Date : 2022-11-17 12:46:31

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું પ્રચાર અભિયાન તેની ચરમસીમા પર છે. ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ સમગ્ર રાજ્યમાં ઝંઝાવાતી પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. જો કે કેટલાક ઉમેદવારો પાર્ટી શિસ્તની ઐસી તૈસી કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરી રહ્યા છે. ભાજપના જ વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પણ ટિકિટ કપાતા તે પાર્ટીથી ઘણા નારાજ છે. દબંગ નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપમાં હડકંપ મચી ગયો છે. 


ભાજપથી નારાજ મધુ શ્રીવાસ્તવ વિશે શું કહ્યું?


ભાજપે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું પત્તુ કાપતા જ તેમના તેવર બદલાયા હતા. મધુ શ્રીવાસ્તવ પાર્ટી શિસ્તની નાફરમાની કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે તેવું અગાઉ જાહેર કરી ચુક્યા હતા. આજે તેમણે ફોર્મ ભરવા જતા પહેલા ભાજપને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે, મેં સી.આર પાટીલને કહ્યું હતું કે, આ મારી છેલ્લી તક છે, મારે આ પછી ચૂંટણી નથી લડવાની. તમે મને ટિકિટ આપો, મારી સાથે અન્યાય કરાયો છે. મારા કાર્યકર્તાઓની કમિટી બનાવી હતી અને કમિટીએ નિર્ણય લીધો કે તમારે અપક્ષ ચૂંટણી લડવાની છે. મેં ભાજપમાં 25-30 વર્ષ રહીને લોહી-પરસેવો રેડીને પાર્ટી આગળ લઈ જવા ઘણું કામ કર્યું છે. આજે મારી ટિકિટ કાપીને મારું અમપાન કર્યું છે મારા કાર્યકર્તાઓનું, મારા મતદારોનું અપમાન કર્યું છે. મારા કાર્યકર્તાઓ અને મતદારોએ કહ્યું, મધુભાઈ તમે ચૂંટણી લડો અમે તમારી સાથે છીએ. મધુ શ્રીવાસ્તવે તેમની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે મારી જીત નિશ્ચિત છે. જોકે તેઓ કેટલા મતથી જીતશે તે અંગે મૌન રહ્યા હતા.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.