પાર્ટી શિસ્તની ઐસી તૈસી કરી ભાજપના પૂર્વ MLA મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું


  • Published By :
  • Published Date : 2022-11-17 12:46:31

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું પ્રચાર અભિયાન તેની ચરમસીમા પર છે. ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ સમગ્ર રાજ્યમાં ઝંઝાવાતી પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. જો કે કેટલાક ઉમેદવારો પાર્ટી શિસ્તની ઐસી તૈસી કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરી રહ્યા છે. ભાજપના જ વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પણ ટિકિટ કપાતા તે પાર્ટીથી ઘણા નારાજ છે. દબંગ નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપમાં હડકંપ મચી ગયો છે. 


ભાજપથી નારાજ મધુ શ્રીવાસ્તવ વિશે શું કહ્યું?


ભાજપે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું પત્તુ કાપતા જ તેમના તેવર બદલાયા હતા. મધુ શ્રીવાસ્તવ પાર્ટી શિસ્તની નાફરમાની કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે તેવું અગાઉ જાહેર કરી ચુક્યા હતા. આજે તેમણે ફોર્મ ભરવા જતા પહેલા ભાજપને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે, મેં સી.આર પાટીલને કહ્યું હતું કે, આ મારી છેલ્લી તક છે, મારે આ પછી ચૂંટણી નથી લડવાની. તમે મને ટિકિટ આપો, મારી સાથે અન્યાય કરાયો છે. મારા કાર્યકર્તાઓની કમિટી બનાવી હતી અને કમિટીએ નિર્ણય લીધો કે તમારે અપક્ષ ચૂંટણી લડવાની છે. મેં ભાજપમાં 25-30 વર્ષ રહીને લોહી-પરસેવો રેડીને પાર્ટી આગળ લઈ જવા ઘણું કામ કર્યું છે. આજે મારી ટિકિટ કાપીને મારું અમપાન કર્યું છે મારા કાર્યકર્તાઓનું, મારા મતદારોનું અપમાન કર્યું છે. મારા કાર્યકર્તાઓ અને મતદારોએ કહ્યું, મધુભાઈ તમે ચૂંટણી લડો અમે તમારી સાથે છીએ. મધુ શ્રીવાસ્તવે તેમની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે મારી જીત નિશ્ચિત છે. જોકે તેઓ કેટલા મતથી જીતશે તે અંગે મૌન રહ્યા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.