વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવના પત્ની લડી શકે છે ચૂંટણી, મધુ શ્રીવાસ્તવે આપ્યું નિવેદન


  • Published By :
  • Published Date : 2022-11-10 09:21:20

ભાજપમાંથી કોને ટિકિટ મળશે તે અંગે હજી બધાને અસમંસજ છે. કોનું પત્તું કપાશે તે અંગે કોઈને ખબર નથી, એવું માનવામાં આવી રહ્યું છે આ વખતે અનેક નવા ચહેરાને તક આપવામાં આવશે. ત્યારે વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુશ્રીવાસ્તવે મોટો દાવો કર્યો છે. ટિકિટ ફાળવણીને લઈ એવી વાતો વહેતી થઈ હતી કે વાઘોડિયાથી ભાજપ ડો. પારૂલને ટિકિટ આપશે. આ બધા વચ્ચે મધુશ્રીવાસ્તવે કહ્યું કે વાઘોડિયા બેઠક પરથી તે નહીં પરંતુ તેમની પત્ની ચૂંટણી લડશે. તેમના આવા નિવેદનથી રાજકારણ ગરમાયું છે.

ભાજપ આ ઉમેદવારને ટિકિટ આપવા અંગે કરી રહ્યું છે વિચારણા 

ગુજરાત વિધાનસભા ચૂંટણીને થોડો સમય જ બાકી રહ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે.પરંતુ ભાજપમાં ટિકિટ મુદ્દે ભારે ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે વાઘોડિયાના ધારાસભ્ય પોતાના નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે આ બેઠક પરથી આ વખતે તેમની પત્ની ચૂંટણી લડશે. પરંતુ મહત્વનું છે કે જ્યારે પરષોત્તમ રૂપાલાએ બેઠક યોજી હતી ત્યારે શ્રીવાસ્તવને આ બેઠકથી દૂર રાખવામાં આવ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ આ બેઠક પરથી પારૂલ યુનિવર્સિટીના ડોક્ટર પારૂલને ટિકિટ આપી શકે છે. 

મારી પત્નીને આ બેઠકથી ચૂંટણી લડાવી શકું છું - મધુ શ્રીવાસ્તવ  

પોતાના નિવેદનથી હમેશાં મદુશ્રીવાસ્તવ ચર્ચામાં રહેતા હોય છે. થોડા દિવસો પહેલા ટિકિટ ફાળવણી અંગે તેમણે કહ્યું હતું કે પાર્ટી મને જ ટિકિટ આપશે. ત્યારે અચાનક પોતાના નિવેદનથી તેઓ પલટી ગયા છે, અને નિવેદન આપ્યું કે વાઘોડિયાની બેઠકથી મારી પત્નીને ચૂંટણી લડાવી શકું છું.      




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.