વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવના પત્ની લડી શકે છે ચૂંટણી, મધુ શ્રીવાસ્તવે આપ્યું નિવેદન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-10 09:21:20

ભાજપમાંથી કોને ટિકિટ મળશે તે અંગે હજી બધાને અસમંસજ છે. કોનું પત્તું કપાશે તે અંગે કોઈને ખબર નથી, એવું માનવામાં આવી રહ્યું છે આ વખતે અનેક નવા ચહેરાને તક આપવામાં આવશે. ત્યારે વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુશ્રીવાસ્તવે મોટો દાવો કર્યો છે. ટિકિટ ફાળવણીને લઈ એવી વાતો વહેતી થઈ હતી કે વાઘોડિયાથી ભાજપ ડો. પારૂલને ટિકિટ આપશે. આ બધા વચ્ચે મધુશ્રીવાસ્તવે કહ્યું કે વાઘોડિયા બેઠક પરથી તે નહીં પરંતુ તેમની પત્ની ચૂંટણી લડશે. તેમના આવા નિવેદનથી રાજકારણ ગરમાયું છે.

ભાજપ આ ઉમેદવારને ટિકિટ આપવા અંગે કરી રહ્યું છે વિચારણા 

ગુજરાત વિધાનસભા ચૂંટણીને થોડો સમય જ બાકી રહ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે.પરંતુ ભાજપમાં ટિકિટ મુદ્દે ભારે ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે વાઘોડિયાના ધારાસભ્ય પોતાના નિવેદનને લઈ ચર્ચામાં આવ્યા છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે આ બેઠક પરથી આ વખતે તેમની પત્ની ચૂંટણી લડશે. પરંતુ મહત્વનું છે કે જ્યારે પરષોત્તમ રૂપાલાએ બેઠક યોજી હતી ત્યારે શ્રીવાસ્તવને આ બેઠકથી દૂર રાખવામાં આવ્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ આ બેઠક પરથી પારૂલ યુનિવર્સિટીના ડોક્ટર પારૂલને ટિકિટ આપી શકે છે. 

મારી પત્નીને આ બેઠકથી ચૂંટણી લડાવી શકું છું - મધુ શ્રીવાસ્તવ  

પોતાના નિવેદનથી હમેશાં મદુશ્રીવાસ્તવ ચર્ચામાં રહેતા હોય છે. થોડા દિવસો પહેલા ટિકિટ ફાળવણી અંગે તેમણે કહ્યું હતું કે પાર્ટી મને જ ટિકિટ આપશે. ત્યારે અચાનક પોતાના નિવેદનથી તેઓ પલટી ગયા છે, અને નિવેદન આપ્યું કે વાઘોડિયાની બેઠકથી મારી પત્નીને ચૂંટણી લડાવી શકું છું.      




ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.