Gujaratમાં BJPના મહિલા નેતા Madhuben Joshiની પાડોશીએ કરી ધોળા દિવસે હત્યા, કાયદો વ્યવસ્થા નેવે મુકાયા!


  • Published By :
  • Published Date : 2023-11-16 12:06:13

ગુજરાતમાં લુખ્ખાતત્વો બેફામ બન્યા છે. અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં મારા-મારી, હત્યાના બનાવો બની રહ્યા છે. દિવાળીના તહેવાર દરમિયાન પણ અનેક મારામારીની તેમજ હત્યાની ઘટનાઓ બની છે. ગુજરાતમાં કાયદાનો લોકોને ડર જ ન હોય તેવું લાગે છે. નાની નાની વાતમાં લોકો એકબીજાની હત્યા કરવા તત્પર બન્યા હોય તેવું લાગે છે. ક્યાંક ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થાય અને હત્યા કરવામાં આવે તો ક્યાંક પાર્કિંગને લઈ આવા બનાવો બને છે. ત્યારે ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં ભાજપના મહિલા નેતા પર હુમલોનો શિકાર બન્યા છે. આ હુમલો એટલો ગંભીર હતો કે મહિલા નેતાનો જીવ બચી ન શક્યો.

ભાજપના મહિલા નેતા પર થયો હુમલો   

રાજ્યમાં ગુનાખોરી એકદમ ઝડપતી વધી રહી છે, તેના ઉદાહરણો પણ તમને આપવાની જરૂર નથી. લોકોની સહન કરવાની ક્ષમતા એ હદે ઘટી ગઈ છે કે  નાની નાની વાત પાર ખુનસ રાખીને કોઈને પણ મારી નાખે છે! ફરી એવો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે જેમાં સત્તા પક્ષના ભાજપના મહિલા નેતા મધુબેન જોશીની હત્યા કરી નાખવામાં આવી છે. ભાજપના મહિલા નેતાની હત્યા તેમના પાડોશીએ કરી છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. વિગતવાર વાત કરીએ તો વાત એમ હતી કે પહેલા બંને વચ્ચે પક્ષો વચ્ચે વાહન ટકરાવવા બાબતે બોલાચાલી થઇ હતી.  જે આરોપીએ નેતા પર હુમલો કર્યો છે તેમના નામ છે ઋષિક મહેતા, જયઓમ મહેતા તેમજ હરિઓમ મહેતા છે. જે લોકોએ આ હત્યાને અંજામ આપ્યો છે તેમની ઉંમર નાની છે. એકની ઉંમર 22 વર્ષ છે, બીજાની ઉંમર 20 વર્ષની છે જ્યારે ત્રીજા આરોપીની ઉંમર 18 વર્ષની છે. 

તિક્ષ્ણ હત્યા વડે નેતા પર કરાયો હુમલો 

આ મહિલા નેતા ઠપકો આપવા આરોપીના ઘરે ગયા હતા અને મામલો ઉગ્ર બનતા ભાજપના મહિલા નેતાની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખવામાં આવી. ઘાયલ અવસ્થામાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પણ તેમનો જીવ ન બચી શક્યો. આ હુમલામાં મૃતક મહિલા નેતાના પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે આવા તો અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં નજીવી બાબતને ધ્યાનમાં રાખી મોતને ઘાટ લોકોને ઉતારી દેવામાં આવ્યા છે. 


કાયદાનો લોકોને રહ્યો જ નથી ડર!

મધુબેન ઘારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય હતા, જિલ્લા સંગઠનમાં પણ તેઓ મહત્વની જવાબદારી નિભાવી ચુક્યાં છે, તેઓ વર્ષોથી ભાજપમાં સક્રિય હતા,અને એટલે ક્યારે સત્તા પક્ષના નેતા સાથે એવું કઈ થાય તો ઘણા બધા સવાલો ઉભા થાય છે પોલીસ આ હત્યા કેસની તપાસમાં લાગી ગઈ છે. આરોપી પોલીસની પકડમાં છે પરંતુ આમાં પોલીસની કામગીરી પર પણ પ્રશ્ન છે. આવી વધતી ઘટનાઓને જોતા લાગે છે કે પોલીસનો, કાયદાનો લોકોને ડર જ નથી.ગુજરાતમાં કાયદો વ્યવસ્થા એકદમ ખરાબ થઈ ગઈ છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.