Gujaratમાં BJPના મહિલા નેતા Madhuben Joshiની પાડોશીએ કરી ધોળા દિવસે હત્યા, કાયદો વ્યવસ્થા નેવે મુકાયા!


  • Published By :
  • Published Date : 2023-11-16 12:06:13

ગુજરાતમાં લુખ્ખાતત્વો બેફામ બન્યા છે. અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં મારા-મારી, હત્યાના બનાવો બની રહ્યા છે. દિવાળીના તહેવાર દરમિયાન પણ અનેક મારામારીની તેમજ હત્યાની ઘટનાઓ બની છે. ગુજરાતમાં કાયદાનો લોકોને ડર જ ન હોય તેવું લાગે છે. નાની નાની વાતમાં લોકો એકબીજાની હત્યા કરવા તત્પર બન્યા હોય તેવું લાગે છે. ક્યાંક ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થાય અને હત્યા કરવામાં આવે તો ક્યાંક પાર્કિંગને લઈ આવા બનાવો બને છે. ત્યારે ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં ભાજપના મહિલા નેતા પર હુમલોનો શિકાર બન્યા છે. આ હુમલો એટલો ગંભીર હતો કે મહિલા નેતાનો જીવ બચી ન શક્યો.

ભાજપના મહિલા નેતા પર થયો હુમલો   

રાજ્યમાં ગુનાખોરી એકદમ ઝડપતી વધી રહી છે, તેના ઉદાહરણો પણ તમને આપવાની જરૂર નથી. લોકોની સહન કરવાની ક્ષમતા એ હદે ઘટી ગઈ છે કે  નાની નાની વાત પાર ખુનસ રાખીને કોઈને પણ મારી નાખે છે! ફરી એવો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે જેમાં સત્તા પક્ષના ભાજપના મહિલા નેતા મધુબેન જોશીની હત્યા કરી નાખવામાં આવી છે. ભાજપના મહિલા નેતાની હત્યા તેમના પાડોશીએ કરી છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. વિગતવાર વાત કરીએ તો વાત એમ હતી કે પહેલા બંને વચ્ચે પક્ષો વચ્ચે વાહન ટકરાવવા બાબતે બોલાચાલી થઇ હતી.  જે આરોપીએ નેતા પર હુમલો કર્યો છે તેમના નામ છે ઋષિક મહેતા, જયઓમ મહેતા તેમજ હરિઓમ મહેતા છે. જે લોકોએ આ હત્યાને અંજામ આપ્યો છે તેમની ઉંમર નાની છે. એકની ઉંમર 22 વર્ષ છે, બીજાની ઉંમર 20 વર્ષની છે જ્યારે ત્રીજા આરોપીની ઉંમર 18 વર્ષની છે. 

તિક્ષ્ણ હત્યા વડે નેતા પર કરાયો હુમલો 

આ મહિલા નેતા ઠપકો આપવા આરોપીના ઘરે ગયા હતા અને મામલો ઉગ્ર બનતા ભાજપના મહિલા નેતાની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખવામાં આવી. ઘાયલ અવસ્થામાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પણ તેમનો જીવ ન બચી શક્યો. આ હુમલામાં મૃતક મહિલા નેતાના પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મહત્વનું છે કે આવા તો અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં નજીવી બાબતને ધ્યાનમાં રાખી મોતને ઘાટ લોકોને ઉતારી દેવામાં આવ્યા છે. 


કાયદાનો લોકોને રહ્યો જ નથી ડર!

મધુબેન ઘારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય હતા, જિલ્લા સંગઠનમાં પણ તેઓ મહત્વની જવાબદારી નિભાવી ચુક્યાં છે, તેઓ વર્ષોથી ભાજપમાં સક્રિય હતા,અને એટલે ક્યારે સત્તા પક્ષના નેતા સાથે એવું કઈ થાય તો ઘણા બધા સવાલો ઉભા થાય છે પોલીસ આ હત્યા કેસની તપાસમાં લાગી ગઈ છે. આરોપી પોલીસની પકડમાં છે પરંતુ આમાં પોલીસની કામગીરી પર પણ પ્રશ્ન છે. આવી વધતી ઘટનાઓને જોતા લાગે છે કે પોલીસનો, કાયદાનો લોકોને ડર જ નથી.ગુજરાતમાં કાયદો વ્યવસ્થા એકદમ ખરાબ થઈ ગઈ છે.   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.