Madhya Pradesh - હરદાના ફટાકડાના કારખાનામાં મોટી દુર્ઘટના, વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી


  • Published By :
  • Published Date : 2024-02-06 14:28:49

મધ્યપ્રદેશના હરદામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નિકળી હતી અને એ ધમાકો એટલો જોરદાર હતો કે અનેક લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને એના કારણે 60થી વધુ મકાનો આગની ઝપેટમાં આવી ગયા છે. એવી માહિતી સામે આવી છે કે આ દુર્ઘટનામાં 7 જેટલા લોકોના મોત થઈ ગયા છે અને 100થી વધારે લોકો ઘાયલ થયા છે. એવી માહિતી સામે આવી છે કે તંત્ર દ્વારા આસપાસના ઘરોને ખાલી કરાવામાં આવ્યા છે. 


આગ લાગવાની ઘટના મધ્યપ્રદેશમાં સર્જાઈ 

કોઈ વખત કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતી હોય છે તો કોઈ વખત ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં આગ લાગતી હોય છે. આગ લાગવાને કારણે અનેક વખત મોટી જાનહાની સર્જાતી હોય છે અને લોકો મોતને ભેટે છે. આગ કોઈ એક જગ્યા પર લાગે છે પરંતુ તે આગ એટલી પ્રસરી જતી હોય છે કે આસપાસના વિસ્તારોમાં પણ તે ફેલાઈ જતી હોય છે. ત્યારે આવી જ એક દુર્ઘટના મધ્યપ્રદેશમાં સર્જાઈ છે. હરદાના બૈરાગઢમાં આવેલી ફેક્ટરીમાં આગ લાગી હતી અને 7 જેટલા લોકોના મોત થઈ ગયા છે. 


v7 લોકોના થયા મોત!

મીડિયા રિપોર્ટ અનુસાર જ્યારે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો ત્યારે અનેક લોકો ફેક્ટરીમાં હાજર હતા. હજી પણ અનેક લોકો આગમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ એસડીઆરએફની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. આ ઘટનાના અનેક વીડિયો સામે આવ્યા છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .