Madhya Pradesh - હરદાના ફટાકડાના કારખાનામાં મોટી દુર્ઘટના, વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી


  • Published By :
  • Published Date : 2024-02-06 14:28:49

મધ્યપ્રદેશના હરદામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નિકળી હતી અને એ ધમાકો એટલો જોરદાર હતો કે અનેક લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને એના કારણે 60થી વધુ મકાનો આગની ઝપેટમાં આવી ગયા છે. એવી માહિતી સામે આવી છે કે આ દુર્ઘટનામાં 7 જેટલા લોકોના મોત થઈ ગયા છે અને 100થી વધારે લોકો ઘાયલ થયા છે. એવી માહિતી સામે આવી છે કે તંત્ર દ્વારા આસપાસના ઘરોને ખાલી કરાવામાં આવ્યા છે. 


આગ લાગવાની ઘટના મધ્યપ્રદેશમાં સર્જાઈ 

કોઈ વખત કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતી હોય છે તો કોઈ વખત ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં આગ લાગતી હોય છે. આગ લાગવાને કારણે અનેક વખત મોટી જાનહાની સર્જાતી હોય છે અને લોકો મોતને ભેટે છે. આગ કોઈ એક જગ્યા પર લાગે છે પરંતુ તે આગ એટલી પ્રસરી જતી હોય છે કે આસપાસના વિસ્તારોમાં પણ તે ફેલાઈ જતી હોય છે. ત્યારે આવી જ એક દુર્ઘટના મધ્યપ્રદેશમાં સર્જાઈ છે. હરદાના બૈરાગઢમાં આવેલી ફેક્ટરીમાં આગ લાગી હતી અને 7 જેટલા લોકોના મોત થઈ ગયા છે. 


v7 લોકોના થયા મોત!

મીડિયા રિપોર્ટ અનુસાર જ્યારે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો ત્યારે અનેક લોકો ફેક્ટરીમાં હાજર હતા. હજી પણ અનેક લોકો આગમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ એસડીઆરએફની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. આ ઘટનાના અનેક વીડિયો સામે આવ્યા છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.