Madhya Pradesh - હરદાના ફટાકડાના કારખાનામાં મોટી દુર્ઘટના, વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી


  • Published By :
  • Published Date : 2024-02-06 14:28:49

મધ્યપ્રદેશના હરદામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નિકળી હતી અને એ ધમાકો એટલો જોરદાર હતો કે અનેક લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને એના કારણે 60થી વધુ મકાનો આગની ઝપેટમાં આવી ગયા છે. એવી માહિતી સામે આવી છે કે આ દુર્ઘટનામાં 7 જેટલા લોકોના મોત થઈ ગયા છે અને 100થી વધારે લોકો ઘાયલ થયા છે. એવી માહિતી સામે આવી છે કે તંત્ર દ્વારા આસપાસના ઘરોને ખાલી કરાવામાં આવ્યા છે. 


આગ લાગવાની ઘટના મધ્યપ્રદેશમાં સર્જાઈ 

કોઈ વખત કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતી હોય છે તો કોઈ વખત ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં આગ લાગતી હોય છે. આગ લાગવાને કારણે અનેક વખત મોટી જાનહાની સર્જાતી હોય છે અને લોકો મોતને ભેટે છે. આગ કોઈ એક જગ્યા પર લાગે છે પરંતુ તે આગ એટલી પ્રસરી જતી હોય છે કે આસપાસના વિસ્તારોમાં પણ તે ફેલાઈ જતી હોય છે. ત્યારે આવી જ એક દુર્ઘટના મધ્યપ્રદેશમાં સર્જાઈ છે. હરદાના બૈરાગઢમાં આવેલી ફેક્ટરીમાં આગ લાગી હતી અને 7 જેટલા લોકોના મોત થઈ ગયા છે. 


v7 લોકોના થયા મોત!

મીડિયા રિપોર્ટ અનુસાર જ્યારે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો ત્યારે અનેક લોકો ફેક્ટરીમાં હાજર હતા. હજી પણ અનેક લોકો આગમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ એસડીઆરએફની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. આ ઘટનાના અનેક વીડિયો સામે આવ્યા છે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.