Madhya pradesh : ગુનામાં સર્જાયો ભીષણ અકસ્માત, બસની પહેલા થઈ ટક્કર પછી પલટી અને અંતે લાગી આગ...ગયા આટલા લોકોના જીવ


  • Published By :
  • Published Date : 2023-12-28 09:48:16

મધ્યપ્રદેશના ગુનામાં એક માર્ગ અકસ્માત સર્જાયો છે જેણે ન માત્ર રાજ્યને પરંતુ દેશને હચમચાવી દીધો છે. ગુનામાં એક પેસેન્જર બસમાં આગ લાગી હતી જેમાં 13 લોકો બળીને ખાખ થઈ ગયા. મળતી માહિતી અનુસાર 27 ડિસેમ્બર રાત્રે 9 વાગે ગુના આરોન રોડ પર એક બસ ડમ્પર સાથે અથડાઈ. ભયંકર ટક્કર થતા બસ પલટી ગઈ અને એમાં આગ લાગી. આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે જ્યારે 15 જેટલા લોકો ઘાયલ થયા છે. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બસ પલ્ટી અને પછી બસમાં લાગી આગ

અનેક લોકો નવા વર્ષની ઉજવણી માટે પ્લાનિંગ કરી રહ્યા છે. નવા વર્ષની તૈયારીઓમાં વ્યસ્ત છે તો બીજી તરફ મધ્યપ્રદેશના ગુનામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં અંદાજીત 13 જેટલા લોકોના મોત થઈ ગયા છે.  ઉપરાંત 15 જેટલા લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર જે બસ સાથે આ દુર્ઘટના સર્જાઈ છે તે હારૂન તરફ જઈ રહી હતી. બસ જઈ રહી હતી ત્યારે બેકાબુ બનેલું ડમ્પર તેની સાથે અથડાયું અને આ અથડામણ થતાં બસ પલટી ગઈ. ન માત્ર બસ પલટી પરંતુ  તેમાં ભીષણ આગ લાગી. એ આગ એટલી વિકરાળ હતી કે તેમાં 13 જીંદગીઓ બુઝાઈ ગઈ. 

Guna Bus Accident: People were in pain in the bus, I saved three-four; Injured eyewitness told the story

13 જેટલી જિંદગીઓ આગમાં બુઝાઈ 

મુસાફરો કંઈ સમજે તે પહેલા જ આગની લપેટામાં બસ આવી ગઈ. આગ લાગતા જ અફરા-તફરી સર્જાઈ. બહાર નીકળવા માટે મુસાફરોએ કાચ તોડ્યા, અને મુસાફરો પોતાનો જીવ બચાવી શક્યા પરંતુ અનેક મુસાફરો એવા હતા જેમના માટે આ યાત્રા અંતિમ સાબિત થઈ. 13 જેટલા લોકો આગમાં દાઝી ગયા અને મોતને ભેટ્યા જ્યારે 15જેટલા લોકો ઘાયલ થયા છે અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

Guna Bus Accident: People were in pain in the bus, I saved three-four; Injured eyewitness told the story

મુખ્યમંત્રીએ કરી આર્થિક સહાય આપવાની જાહેરાત 

આ દુર્ઘટના અંગે મુખ્યમંત્રી મોહન યાદવે શોક પ્રગટ કર્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને ચાર લાખ આપવાની જ્યારે ઘાયલોને 50 હજાર આપવાની જાહેરાત કરી છે. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે માટે તપાસ કરવા પણ આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી ઉપરાંત જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આ દુર્ઘટનાને લઈ શોક પ્રગટ કર્યો છે. 


ખરાબ રીતે બળી ગયા છે મૃતકોના ચહેરા!

આ દુર્ઘટનામાં જે લોકો મોતને ભેટ્યા છે તેમના શરીરની એવી હાલત થઈ ગઈ છે કે તેમની ઓળખ કરવી પણ મુશ્કીલ છે. મૃતકોના ચહેરા એટલી ગંદી રીતે બળી ગયા છે કે તેમની ઓખળાણ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.    



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.