Madhya pradesh : ગુનામાં સર્જાયો ભીષણ અકસ્માત, બસની પહેલા થઈ ટક્કર પછી પલટી અને અંતે લાગી આગ...ગયા આટલા લોકોના જીવ


  • Published By :
  • Published Date : 2023-12-28 09:48:16

મધ્યપ્રદેશના ગુનામાં એક માર્ગ અકસ્માત સર્જાયો છે જેણે ન માત્ર રાજ્યને પરંતુ દેશને હચમચાવી દીધો છે. ગુનામાં એક પેસેન્જર બસમાં આગ લાગી હતી જેમાં 13 લોકો બળીને ખાખ થઈ ગયા. મળતી માહિતી અનુસાર 27 ડિસેમ્બર રાત્રે 9 વાગે ગુના આરોન રોડ પર એક બસ ડમ્પર સાથે અથડાઈ. ભયંકર ટક્કર થતા બસ પલટી ગઈ અને એમાં આગ લાગી. આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે જ્યારે 15 જેટલા લોકો ઘાયલ થયા છે. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બસ પલ્ટી અને પછી બસમાં લાગી આગ

અનેક લોકો નવા વર્ષની ઉજવણી માટે પ્લાનિંગ કરી રહ્યા છે. નવા વર્ષની તૈયારીઓમાં વ્યસ્ત છે તો બીજી તરફ મધ્યપ્રદેશના ગુનામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં અંદાજીત 13 જેટલા લોકોના મોત થઈ ગયા છે.  ઉપરાંત 15 જેટલા લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર જે બસ સાથે આ દુર્ઘટના સર્જાઈ છે તે હારૂન તરફ જઈ રહી હતી. બસ જઈ રહી હતી ત્યારે બેકાબુ બનેલું ડમ્પર તેની સાથે અથડાયું અને આ અથડામણ થતાં બસ પલટી ગઈ. ન માત્ર બસ પલટી પરંતુ  તેમાં ભીષણ આગ લાગી. એ આગ એટલી વિકરાળ હતી કે તેમાં 13 જીંદગીઓ બુઝાઈ ગઈ. 

Guna Bus Accident: People were in pain in the bus, I saved three-four; Injured eyewitness told the story

13 જેટલી જિંદગીઓ આગમાં બુઝાઈ 

મુસાફરો કંઈ સમજે તે પહેલા જ આગની લપેટામાં બસ આવી ગઈ. આગ લાગતા જ અફરા-તફરી સર્જાઈ. બહાર નીકળવા માટે મુસાફરોએ કાચ તોડ્યા, અને મુસાફરો પોતાનો જીવ બચાવી શક્યા પરંતુ અનેક મુસાફરો એવા હતા જેમના માટે આ યાત્રા અંતિમ સાબિત થઈ. 13 જેટલા લોકો આગમાં દાઝી ગયા અને મોતને ભેટ્યા જ્યારે 15જેટલા લોકો ઘાયલ થયા છે અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

Guna Bus Accident: People were in pain in the bus, I saved three-four; Injured eyewitness told the story

મુખ્યમંત્રીએ કરી આર્થિક સહાય આપવાની જાહેરાત 

આ દુર્ઘટના અંગે મુખ્યમંત્રી મોહન યાદવે શોક પ્રગટ કર્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને ચાર લાખ આપવાની જ્યારે ઘાયલોને 50 હજાર આપવાની જાહેરાત કરી છે. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે માટે તપાસ કરવા પણ આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી ઉપરાંત જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આ દુર્ઘટનાને લઈ શોક પ્રગટ કર્યો છે. 


ખરાબ રીતે બળી ગયા છે મૃતકોના ચહેરા!

આ દુર્ઘટનામાં જે લોકો મોતને ભેટ્યા છે તેમના શરીરની એવી હાલત થઈ ગઈ છે કે તેમની ઓળખ કરવી પણ મુશ્કીલ છે. મૃતકોના ચહેરા એટલી ગંદી રીતે બળી ગયા છે કે તેમની ઓખળાણ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.