હિન્દી ભાષામાં મેડિકલનો અભ્યાસ કરાવનાર મધ્યપ્રદેશ પ્રથમ રાજ્ય બન્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 15:29:48

સામાન્ય રીતે આપણા દેશમાં અભ્યાસ માટે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે દેશમાં પહેલીવાર હિંદી ભાષામાં MBBSનો અભ્યાસ કરી શકાશે. મધ્યપ્રદેશ સરકારે આ નવી પહેલ કરી છે. હિંદીમાં અભ્યાસ થતો હોવાથી MBBSના પુસ્તકોને પણ હિંદીમાં તૈયાર કરાયા છે.  ત્રણ પુસ્તકોનું વિમોચન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું. લાલ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજીત હિન્દીમેં જ્ઞાન કા પ્રકાશ કાર્યક્રમ દરમિયાન MBBS પ્રથમ વર્ષના ત્રણ વિષયના હિન્દી પુસ્તકોનું વિમોચન કર્યું હતું.

 

આજે દેશમાં નવી શરૂઆત થઈ છે - અમિત શાહ

આ કાર્યક્રમમાં સંબોધન આપતા તેમણે કહ્યું કે આજનો દિવસ ભારતના શિક્ષણ ક્ષેત્ર માટે ઘણો મહત્વનો છે. જ્યારે પણ આવનારા દિવસોમાં ઈતિહાસ લખાશે ત્યારે આજના દિવસનો ઈતિહાસ સુવર્ણ અક્ષરે લખાશે. સંકલ્પ પત્રની વાત કરતા તેમણે કહ્યું કે જ્યારે મધ્યપ્રદેશની ચૂંટણી યોજાઈ હતી ત્યારે સંકલ્પ પત્રમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મોદીજીની નવી શિક્ષણ નીતિને સૌ પ્રથમ મધ્યપ્રદેશે લાગુ કરી છે. આજે એક નવી શરૂઆત થઈ છે.

  

અંગ્રેજોએ આપણને અંગ્રેજીના ગુલામ બનાવી નાખ્યા - શિવરાજ સિંહ ચૌહાણ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. તબીબી શિક્ષણ અંગ્રેજીમાં હોવાથી હિંદી માધ્યમમાં ભણતા વિદ્યાર્થી ઈચ્છે તો પણ ડોક્ટર બની શકતા નથી. અંગ્રેજી ભાષા સપના પૂરા કરવામાં સૌથી મોટી બાધા બની જાય છે પરંતુ હવે મધ્યપ્રદેશમાં હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ પણ ડોક્ટર બની શકશે. દુનિયાના કોઈ પણ દેશમાં જાવ, ત્યાં શિક્ષણ તે દેશની સ્થાનિક ભાષાઓમાં થાય છે, પરંતુ અંગ્રેજી માનસિકતાના લોકોએ ભારતમાં હિંદી ભાષાને આગળ વધવા નથી દીધી.

                   




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.