હિન્દી ભાષામાં મેડિકલનો અભ્યાસ કરાવનાર મધ્યપ્રદેશ પ્રથમ રાજ્ય બન્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 15:29:48

સામાન્ય રીતે આપણા દેશમાં અભ્યાસ માટે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે દેશમાં પહેલીવાર હિંદી ભાષામાં MBBSનો અભ્યાસ કરી શકાશે. મધ્યપ્રદેશ સરકારે આ નવી પહેલ કરી છે. હિંદીમાં અભ્યાસ થતો હોવાથી MBBSના પુસ્તકોને પણ હિંદીમાં તૈયાર કરાયા છે.  ત્રણ પુસ્તકોનું વિમોચન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું. લાલ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજીત હિન્દીમેં જ્ઞાન કા પ્રકાશ કાર્યક્રમ દરમિયાન MBBS પ્રથમ વર્ષના ત્રણ વિષયના હિન્દી પુસ્તકોનું વિમોચન કર્યું હતું.

 

આજે દેશમાં નવી શરૂઆત થઈ છે - અમિત શાહ

આ કાર્યક્રમમાં સંબોધન આપતા તેમણે કહ્યું કે આજનો દિવસ ભારતના શિક્ષણ ક્ષેત્ર માટે ઘણો મહત્વનો છે. જ્યારે પણ આવનારા દિવસોમાં ઈતિહાસ લખાશે ત્યારે આજના દિવસનો ઈતિહાસ સુવર્ણ અક્ષરે લખાશે. સંકલ્પ પત્રની વાત કરતા તેમણે કહ્યું કે જ્યારે મધ્યપ્રદેશની ચૂંટણી યોજાઈ હતી ત્યારે સંકલ્પ પત્રમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મોદીજીની નવી શિક્ષણ નીતિને સૌ પ્રથમ મધ્યપ્રદેશે લાગુ કરી છે. આજે એક નવી શરૂઆત થઈ છે.

  

અંગ્રેજોએ આપણને અંગ્રેજીના ગુલામ બનાવી નાખ્યા - શિવરાજ સિંહ ચૌહાણ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. તબીબી શિક્ષણ અંગ્રેજીમાં હોવાથી હિંદી માધ્યમમાં ભણતા વિદ્યાર્થી ઈચ્છે તો પણ ડોક્ટર બની શકતા નથી. અંગ્રેજી ભાષા સપના પૂરા કરવામાં સૌથી મોટી બાધા બની જાય છે પરંતુ હવે મધ્યપ્રદેશમાં હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ પણ ડોક્ટર બની શકશે. દુનિયાના કોઈ પણ દેશમાં જાવ, ત્યાં શિક્ષણ તે દેશની સ્થાનિક ભાષાઓમાં થાય છે, પરંતુ અંગ્રેજી માનસિકતાના લોકોએ ભારતમાં હિંદી ભાષાને આગળ વધવા નથી દીધી.

                   




લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી ગયું છે. આજે ફોર્મની ચકાસણી કરાઈ. આ બધા વચ્ચે ગેનીબેન ઠાકોર પર પાલનપુરના પૂર્વ ધારાસભ્યએ ગંભીર આરોપો લગાવ્યા છે. ગેનીબેન ઠાકોર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.

ગુજરાત માટે ભાજપ પાંચ લાખની લીડ સાથે દરેક બેઠક પર જીત હાંસલ કરશે તેવો લક્ષ્ય રાખ્યો છે. આ લક્ષ્યને પાર કરવા માટે ભાજપનું સંગઠન કામ કરશે. પેજ પ્રમુખ તેમજ સમિતીને આને લઈ જવાબદારી સોંપવામાં આવી છે.

અનેક ઉદાહરણો આપણે જોયા હશે જેમાં માણસો આપણી સામે કંઈ અલગ હોય છે અને બીજાની સામે કંઈ અલગ હોય છે.. પારકી પંચાતમાં અનેક લોકો પોતાની જીંદગીને વેડફી નાખે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બેફામસાહેબની રચના

એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.