મધ્યપ્રદેશની ઘટના: બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપી વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી, આરોપીના ઘર પર ફેરવી દેવાયું બુલડોઝર!


  • Published By :
  • Published Date : 2023-07-29 18:27:21

દેશમાં સ્ત્રીઓને દેવીનું રૂપ માનવામાં આવે છે. અનેક લોકો દીકરીઓને લક્ષ્મીનો અવતાર માને છે. પરંતુ અનેક એવા લોકો હોય છે જે માનવતાને શર્મસાર કરી દેતા હોય છે. નાની બાળકીઓને હેવાનો પોતાના હવસનો શિકાર બનાવી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશના સતના જિલ્લાથી એક દિલ દહેલાઈ દે તેવી ઘટના સામે આવી છે જેમાં બે વ્યક્તિએ 11 વર્ષની દીકરીને પોતાના હવસનો શિકાર બનાવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે તે વ્યક્તિએ બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં લાકડીનો ટુકડો નાખી દીધો છે. છોકરીના શરીર પર દાંતથી બચકા ભરેલા હોવાના નિશાન પણ જોવા મળ્યા છે. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 


11 વર્ષીય બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ!

અનેક વખત આપણી સામે એવા કિસ્સાઓ આવતા હોય છે જેમાં નાની બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવતું હોય છે. ત્યારે આવી જ એક ઘટના મધ્યપ્રદેશથી સામે આવી છે. 11 વર્ષીય દીકરી પર બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર છોકરી એક મંદિર પાસે ફૂલોની માળા વેચતી હતી, એવી પણ માહિતી સામે આવી રહી છે કે તે છોકરી માનસિક રીતે અસ્વસ્થ છે. આરોપીઓ છોકરીને વાતોમાં બહેલાવીને પહાડી વિસ્તારમાં લઈ અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. એસડીઓપીના જણાવ્યા અનુસાર દીકરીના શરીર પર દાંતના નિશાન પણ મળી આવ્યા હતા. આ ઘટના ગુરૂવાર બપોરે બની હોય તેવું અનુમાન છે. પરિવારને જ્યારે તે દીકરી મળી ત્યારે તે ખૂનથી લતપત હાલતમાં હતી. સારવાર માટે બાળકીને લોકલ હોસ્પિટલ ખસડેવામાં આવી. પરંતુ તે બાદ મેડિકલ કોલેજ તેને શિફ્ટ કરવામાં આવી. મળતી માહિતી અનુસાર બાળકીની હાલત ગંભીર છે. 


આરોપીના ઘરો પર ફરી વળ્યું બુલ્ડોઝર 

ઘટનાની જાણ પ્રશાસનને થતાં આ મામલે ત્વરીત પગલા લેવામાં આવ્યા. આમાં જે આરોપીઓ હતા તેમની ગેરકાયદેસર મિલકત પર બુલ્ડોઝર ફરી વળ્યું છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીઓની ગેરકાયદેસરવાળી મિલકત પર બુલ્ડોઝર ફેરવીએ દાખલો બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે કાયદાથી પર કોઈ નથી.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.