મધ્યપ્રદેશની ઘટના: બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપી વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી, આરોપીના ઘર પર ફેરવી દેવાયું બુલડોઝર!


  • Published By :
  • Published Date : 2023-07-29 18:27:21

દેશમાં સ્ત્રીઓને દેવીનું રૂપ માનવામાં આવે છે. અનેક લોકો દીકરીઓને લક્ષ્મીનો અવતાર માને છે. પરંતુ અનેક એવા લોકો હોય છે જે માનવતાને શર્મસાર કરી દેતા હોય છે. નાની બાળકીઓને હેવાનો પોતાના હવસનો શિકાર બનાવી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશના સતના જિલ્લાથી એક દિલ દહેલાઈ દે તેવી ઘટના સામે આવી છે જેમાં બે વ્યક્તિએ 11 વર્ષની દીકરીને પોતાના હવસનો શિકાર બનાવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે તે વ્યક્તિએ બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં લાકડીનો ટુકડો નાખી દીધો છે. છોકરીના શરીર પર દાંતથી બચકા ભરેલા હોવાના નિશાન પણ જોવા મળ્યા છે. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 


11 વર્ષીય બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ!

અનેક વખત આપણી સામે એવા કિસ્સાઓ આવતા હોય છે જેમાં નાની બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવતું હોય છે. ત્યારે આવી જ એક ઘટના મધ્યપ્રદેશથી સામે આવી છે. 11 વર્ષીય દીકરી પર બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર છોકરી એક મંદિર પાસે ફૂલોની માળા વેચતી હતી, એવી પણ માહિતી સામે આવી રહી છે કે તે છોકરી માનસિક રીતે અસ્વસ્થ છે. આરોપીઓ છોકરીને વાતોમાં બહેલાવીને પહાડી વિસ્તારમાં લઈ અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. એસડીઓપીના જણાવ્યા અનુસાર દીકરીના શરીર પર દાંતના નિશાન પણ મળી આવ્યા હતા. આ ઘટના ગુરૂવાર બપોરે બની હોય તેવું અનુમાન છે. પરિવારને જ્યારે તે દીકરી મળી ત્યારે તે ખૂનથી લતપત હાલતમાં હતી. સારવાર માટે બાળકીને લોકલ હોસ્પિટલ ખસડેવામાં આવી. પરંતુ તે બાદ મેડિકલ કોલેજ તેને શિફ્ટ કરવામાં આવી. મળતી માહિતી અનુસાર બાળકીની હાલત ગંભીર છે. 


આરોપીના ઘરો પર ફરી વળ્યું બુલ્ડોઝર 

ઘટનાની જાણ પ્રશાસનને થતાં આ મામલે ત્વરીત પગલા લેવામાં આવ્યા. આમાં જે આરોપીઓ હતા તેમની ગેરકાયદેસર મિલકત પર બુલ્ડોઝર ફરી વળ્યું છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીઓની ગેરકાયદેસરવાળી મિલકત પર બુલ્ડોઝર ફેરવીએ દાખલો બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે કાયદાથી પર કોઈ નથી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .