મધ્યપ્રદેશની ઘટના: બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપી વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી, આરોપીના ઘર પર ફેરવી દેવાયું બુલડોઝર!


  • Published By :
  • Published Date : 2023-07-29 18:27:21

દેશમાં સ્ત્રીઓને દેવીનું રૂપ માનવામાં આવે છે. અનેક લોકો દીકરીઓને લક્ષ્મીનો અવતાર માને છે. પરંતુ અનેક એવા લોકો હોય છે જે માનવતાને શર્મસાર કરી દેતા હોય છે. નાની બાળકીઓને હેવાનો પોતાના હવસનો શિકાર બનાવી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશના સતના જિલ્લાથી એક દિલ દહેલાઈ દે તેવી ઘટના સામે આવી છે જેમાં બે વ્યક્તિએ 11 વર્ષની દીકરીને પોતાના હવસનો શિકાર બનાવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે તે વ્યક્તિએ બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં લાકડીનો ટુકડો નાખી દીધો છે. છોકરીના શરીર પર દાંતથી બચકા ભરેલા હોવાના નિશાન પણ જોવા મળ્યા છે. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 


11 વર્ષીય બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ!

અનેક વખત આપણી સામે એવા કિસ્સાઓ આવતા હોય છે જેમાં નાની બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવતું હોય છે. ત્યારે આવી જ એક ઘટના મધ્યપ્રદેશથી સામે આવી છે. 11 વર્ષીય દીકરી પર બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર છોકરી એક મંદિર પાસે ફૂલોની માળા વેચતી હતી, એવી પણ માહિતી સામે આવી રહી છે કે તે છોકરી માનસિક રીતે અસ્વસ્થ છે. આરોપીઓ છોકરીને વાતોમાં બહેલાવીને પહાડી વિસ્તારમાં લઈ અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. એસડીઓપીના જણાવ્યા અનુસાર દીકરીના શરીર પર દાંતના નિશાન પણ મળી આવ્યા હતા. આ ઘટના ગુરૂવાર બપોરે બની હોય તેવું અનુમાન છે. પરિવારને જ્યારે તે દીકરી મળી ત્યારે તે ખૂનથી લતપત હાલતમાં હતી. સારવાર માટે બાળકીને લોકલ હોસ્પિટલ ખસડેવામાં આવી. પરંતુ તે બાદ મેડિકલ કોલેજ તેને શિફ્ટ કરવામાં આવી. મળતી માહિતી અનુસાર બાળકીની હાલત ગંભીર છે. 


આરોપીના ઘરો પર ફરી વળ્યું બુલ્ડોઝર 

ઘટનાની જાણ પ્રશાસનને થતાં આ મામલે ત્વરીત પગલા લેવામાં આવ્યા. આમાં જે આરોપીઓ હતા તેમની ગેરકાયદેસર મિલકત પર બુલ્ડોઝર ફરી વળ્યું છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીઓની ગેરકાયદેસરવાળી મિલકત પર બુલ્ડોઝર ફેરવીએ દાખલો બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે કાયદાથી પર કોઈ નથી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.