મધ્યપ્રદેશની ઘટના: બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપી વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી, આરોપીના ઘર પર ફેરવી દેવાયું બુલડોઝર!


  • Published By :
  • Published Date : 2023-07-29 18:27:21

દેશમાં સ્ત્રીઓને દેવીનું રૂપ માનવામાં આવે છે. અનેક લોકો દીકરીઓને લક્ષ્મીનો અવતાર માને છે. પરંતુ અનેક એવા લોકો હોય છે જે માનવતાને શર્મસાર કરી દેતા હોય છે. નાની બાળકીઓને હેવાનો પોતાના હવસનો શિકાર બનાવી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશના સતના જિલ્લાથી એક દિલ દહેલાઈ દે તેવી ઘટના સામે આવી છે જેમાં બે વ્યક્તિએ 11 વર્ષની દીકરીને પોતાના હવસનો શિકાર બનાવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે તે વ્યક્તિએ બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં લાકડીનો ટુકડો નાખી દીધો છે. છોકરીના શરીર પર દાંતથી બચકા ભરેલા હોવાના નિશાન પણ જોવા મળ્યા છે. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 


11 વર્ષીય બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ!

અનેક વખત આપણી સામે એવા કિસ્સાઓ આવતા હોય છે જેમાં નાની બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવતું હોય છે. ત્યારે આવી જ એક ઘટના મધ્યપ્રદેશથી સામે આવી છે. 11 વર્ષીય દીકરી પર બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર છોકરી એક મંદિર પાસે ફૂલોની માળા વેચતી હતી, એવી પણ માહિતી સામે આવી રહી છે કે તે છોકરી માનસિક રીતે અસ્વસ્થ છે. આરોપીઓ છોકરીને વાતોમાં બહેલાવીને પહાડી વિસ્તારમાં લઈ અને ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. એસડીઓપીના જણાવ્યા અનુસાર દીકરીના શરીર પર દાંતના નિશાન પણ મળી આવ્યા હતા. આ ઘટના ગુરૂવાર બપોરે બની હોય તેવું અનુમાન છે. પરિવારને જ્યારે તે દીકરી મળી ત્યારે તે ખૂનથી લતપત હાલતમાં હતી. સારવાર માટે બાળકીને લોકલ હોસ્પિટલ ખસડેવામાં આવી. પરંતુ તે બાદ મેડિકલ કોલેજ તેને શિફ્ટ કરવામાં આવી. મળતી માહિતી અનુસાર બાળકીની હાલત ગંભીર છે. 


આરોપીના ઘરો પર ફરી વળ્યું બુલ્ડોઝર 

ઘટનાની જાણ પ્રશાસનને થતાં આ મામલે ત્વરીત પગલા લેવામાં આવ્યા. આમાં જે આરોપીઓ હતા તેમની ગેરકાયદેસર મિલકત પર બુલ્ડોઝર ફરી વળ્યું છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોપીઓની ગેરકાયદેસરવાળી મિલકત પર બુલ્ડોઝર ફેરવીએ દાખલો બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે કાયદાથી પર કોઈ નથી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.