માગશર સુદ અગિયારસ એટલે ગીતા જયંતી, આ વર્ષે 3 ડિસેમ્બરના રોજ ઉજવાશે ગીતા જયંતી


  • Published By :
  • Published Date : 2022-12-02 11:32:03

હિંદુ ધર્મમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાને મહત્વનું ગ્રંથ માનવામાં આવે છે. ગીતાજીને આપણે ત્યાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. કુરુક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને ગીતાનો બોધ આપ્યો હતો. જે દિવસે ભગવાને ગીતાનો ઉપદેશ્ય આપ્યો હતો તે દિવસ હતો માગશર મહિનાની સુદ અગિયારસ. આ દિવસને આપણે ગીતા જયંતી તરીકે ઉજવીએ છીએ. ગીતા જયંતીને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે. ગીતા જયંતી પર ગીતાજીના પાઠ કરવાથી અનેક ઘણું પુણ્ય મળે છે. ગીતાનો ઉપદેશ્ય માત્ર અર્જુને જ ન હોતું સાંભળ્યું પરંતુ રથની ધ્વજા પર બેઠેલા હનુમાનજીએ, બર્બરિક અને સંજયે પણ સાંભળ્યું હતું. 

ગીતા જયંતિ – દિન વિશેષ ✍

આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે એવો એક પણ વિષય નથી અથવા તો એવો એક પણ પ્રશ્ન નથી જેનું સમાધાન અથવા તો જવાબ ગીતાજીમાં ન મળી રહે. ગીતાજીને આપણે જ્ઞાનનો સાગર માનીએ છીએ. કુરૂક્ષેત્રના મેદાનની વચ્ચોવચ ભગવાન કૃષ્ણએ પાર્થને એટલે કે અર્જુનને ગીતાજીનું જ્ઞાન આપ્યું હતું. માગશર મહિનાના સુદ પક્ષની એકાદશીને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે 3 ડિસેમ્બરના રોજ ગીતા જયંતી આવવાની છે. 

Geeta Jayanti 14 दिसंबर को, इस दिन करें भगवान श्रीकृष्ण की पूजा और मंत्रों  का जाप | Geeta Jayanti 2021, Mokshada Ekadashi 2021 Remedy Astrology  Religious Remedy Mantra MMA

એવું માનવામાં આવે છે કે નિત્ય ગીતાજીનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. ગીતા જયંતીના દિવસે ચોક્કસપણે ગીતાજીનો પાઠ કરવામાં આવે છે. ગીતાજીનો પાઠ કરવો જોઈએ ઉપરાંત ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ભગવાનની પૂજા કરતી વખતે નારાયણને પુષ્પ, પીળા ફળ, ધૂપ, દિપ વગેરે અર્પણ કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ગીતાજીના દર્શન કરવાથી સમસ્યાઓ તેમજ નકારાત્મકતા દૂર થાય છે. 

Bhagwat geeta study in gujarat school: ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ  અંતર્ગત ધોરણ 6થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણાવવાની ભલામણ કરાઈ - Desh ki  Aawaz

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કુલ 18 અધ્યાય છે જેમાં 700 શ્લોક છે. આ 18 અધ્યાયની વાત કરીએ તો 6 અધ્યાયોમાં કર્મયોગને સમજાવે છે, એના જ્ઞાનયોગની ચર્ચા કરવામાં આવી છે છેલ્લે ભક્તિ યોગની વાત કરવામાં આવી છે. ગીતાજીનો નિત્ય પાઠ કરવાથી અથવા તો સાંભવાથી જીવનમાં આવતા કષ્ટો સમાપ્ત થઈ જાય છે.        




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.