માગશર સુદ અગિયારસ એટલે ગીતા જયંતી, આ વર્ષે 3 ડિસેમ્બરના રોજ ઉજવાશે ગીતા જયંતી


  • Published By :
  • Published Date : 2022-12-02 11:32:03

હિંદુ ધર્મમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાને મહત્વનું ગ્રંથ માનવામાં આવે છે. ગીતાજીને આપણે ત્યાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. કુરુક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને ગીતાનો બોધ આપ્યો હતો. જે દિવસે ભગવાને ગીતાનો ઉપદેશ્ય આપ્યો હતો તે દિવસ હતો માગશર મહિનાની સુદ અગિયારસ. આ દિવસને આપણે ગીતા જયંતી તરીકે ઉજવીએ છીએ. ગીતા જયંતીને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે. ગીતા જયંતી પર ગીતાજીના પાઠ કરવાથી અનેક ઘણું પુણ્ય મળે છે. ગીતાનો ઉપદેશ્ય માત્ર અર્જુને જ ન હોતું સાંભળ્યું પરંતુ રથની ધ્વજા પર બેઠેલા હનુમાનજીએ, બર્બરિક અને સંજયે પણ સાંભળ્યું હતું. 

ગીતા જયંતિ – દિન વિશેષ ✍

આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે એવો એક પણ વિષય નથી અથવા તો એવો એક પણ પ્રશ્ન નથી જેનું સમાધાન અથવા તો જવાબ ગીતાજીમાં ન મળી રહે. ગીતાજીને આપણે જ્ઞાનનો સાગર માનીએ છીએ. કુરૂક્ષેત્રના મેદાનની વચ્ચોવચ ભગવાન કૃષ્ણએ પાર્થને એટલે કે અર્જુનને ગીતાજીનું જ્ઞાન આપ્યું હતું. માગશર મહિનાના સુદ પક્ષની એકાદશીને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે 3 ડિસેમ્બરના રોજ ગીતા જયંતી આવવાની છે. 

Geeta Jayanti 14 दिसंबर को, इस दिन करें भगवान श्रीकृष्ण की पूजा और मंत्रों  का जाप | Geeta Jayanti 2021, Mokshada Ekadashi 2021 Remedy Astrology  Religious Remedy Mantra MMA

એવું માનવામાં આવે છે કે નિત્ય ગીતાજીનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. ગીતા જયંતીના દિવસે ચોક્કસપણે ગીતાજીનો પાઠ કરવામાં આવે છે. ગીતાજીનો પાઠ કરવો જોઈએ ઉપરાંત ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ભગવાનની પૂજા કરતી વખતે નારાયણને પુષ્પ, પીળા ફળ, ધૂપ, દિપ વગેરે અર્પણ કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ગીતાજીના દર્શન કરવાથી સમસ્યાઓ તેમજ નકારાત્મકતા દૂર થાય છે. 

Bhagwat geeta study in gujarat school: ગુજરાતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ  અંતર્ગત ધોરણ 6થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણાવવાની ભલામણ કરાઈ - Desh ki  Aawaz

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કુલ 18 અધ્યાય છે જેમાં 700 શ્લોક છે. આ 18 અધ્યાયની વાત કરીએ તો 6 અધ્યાયોમાં કર્મયોગને સમજાવે છે, એના જ્ઞાનયોગની ચર્ચા કરવામાં આવી છે છેલ્લે ભક્તિ યોગની વાત કરવામાં આવી છે. ગીતાજીનો નિત્ય પાઠ કરવાથી અથવા તો સાંભવાથી જીવનમાં આવતા કષ્ટો સમાપ્ત થઈ જાય છે.        




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.