Gyansahayakના વિરોધમાં Gandhinagar ખાતે યોજાયું મહા સંમેલન, TET-TAT ઉમેદવારો ઉપરાંત Chaitar Vasava તેમજ Yuvrajsinh આક્રામક દેખાયા!


  • Published By :
  • Published Date : 2023-10-22 15:51:04

ગુજરાતના ભાવિ શિક્ષકો જ્ઞાન સહાયકના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો લડત રહી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ તેઓ કરી રહ્યા છે. આંદોલન કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી આવી છે. અલગ અલગ રીતે જ્ઞાન સહાયકનો વિરોધ રાજકીય પાર્ટી તેમજ ઉમેદવારો કરી રહ્યા છે. દાંડી યાત્રા 2.0ની સમાપ્તિ ગઈકાલે થઈ ગઈ છે. દાંડી યાત્રાથી નિકળેલી આ યાત્રા અમદાવાદમાં પૂર્ણ થઈ છે.

 

યુવા અધિકાર યાત્રા દરમિયાન નેતાઓ આક્રામક દેખાયા!

શિક્ષણની પરિસ્થિતિ દિવસેને દિવસે કથડી રહી છે. બાળકોને સારૂં શિક્ષણ મળે તે માટે ભાવિ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આ ઉમેદવારોના સમર્થનમાં આવી છે. આંદોલનો કરવામાં આવી રહ્યા છે. દાંડી યાત્રા 2.0 પૂર્ણ થઈ ગઈ છે. ગઈકાલે ગાંધીનગર ખાતે ઉમેદવારોએ મહા સંમેલન યોજ્યું હતું. જેમાં  હજારો ઉમેદવારો હાજર રહ્યા હતા. આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ધારાસભ્ય ચૈતર વસાવા એકદમ આક્રામક દેખાયા હતા.  

શું કહ્યું યુવરાજસિંહે તેમજ ચૈતર વસાવાએ?

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ આ યાત્રા દરમિયાન એકદમ આક્રામક દેખાયા હતા. તેમણે કહ્યું હતું કે અમારો સંકલ્પ છે કે જ્યાં સુધી આ કરાર આધારીત ભરતી બંધ કરાવી, શિક્ષકોની કાયમી ભરતી શરૂ નહીં કરાવીએ ત્યાં સુધી ભાજપ સરકાર વિરૂદ્ધની અમારી આ લડત બંધ નહીં કરીએ. તે ઉપરાંત ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે ભાજપ સરકાર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતીઓ કરીને સરકારી નોકરી ખતમ કરી રહી છે અને ખાનગીકરણ કરી રહી છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી