Gyansahayakના વિરોધમાં Gandhinagar ખાતે યોજાયું મહા સંમેલન, TET-TAT ઉમેદવારો ઉપરાંત Chaitar Vasava તેમજ Yuvrajsinh આક્રામક દેખાયા!


  • Published By :
  • Published Date : 2023-10-22 15:51:04

ગુજરાતના ભાવિ શિક્ષકો જ્ઞાન સહાયકના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો લડત રહી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી માગ તેઓ કરી રહ્યા છે. આંદોલન કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી આવી છે. અલગ અલગ રીતે જ્ઞાન સહાયકનો વિરોધ રાજકીય પાર્ટી તેમજ ઉમેદવારો કરી રહ્યા છે. દાંડી યાત્રા 2.0ની સમાપ્તિ ગઈકાલે થઈ ગઈ છે. દાંડી યાત્રાથી નિકળેલી આ યાત્રા અમદાવાદમાં પૂર્ણ થઈ છે.

 

યુવા અધિકાર યાત્રા દરમિયાન નેતાઓ આક્રામક દેખાયા!

શિક્ષણની પરિસ્થિતિ દિવસેને દિવસે કથડી રહી છે. બાળકોને સારૂં શિક્ષણ મળે તે માટે ભાવિ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ આ ઉમેદવારોના સમર્થનમાં આવી છે. આંદોલનો કરવામાં આવી રહ્યા છે. દાંડી યાત્રા 2.0 પૂર્ણ થઈ ગઈ છે. ગઈકાલે ગાંધીનગર ખાતે ઉમેદવારોએ મહા સંમેલન યોજ્યું હતું. જેમાં  હજારો ઉમેદવારો હાજર રહ્યા હતા. આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ધારાસભ્ય ચૈતર વસાવા એકદમ આક્રામક દેખાયા હતા.  

શું કહ્યું યુવરાજસિંહે તેમજ ચૈતર વસાવાએ?

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ આ યાત્રા દરમિયાન એકદમ આક્રામક દેખાયા હતા. તેમણે કહ્યું હતું કે અમારો સંકલ્પ છે કે જ્યાં સુધી આ કરાર આધારીત ભરતી બંધ કરાવી, શિક્ષકોની કાયમી ભરતી શરૂ નહીં કરાવીએ ત્યાં સુધી ભાજપ સરકાર વિરૂદ્ધની અમારી આ લડત બંધ નહીં કરીએ. તે ઉપરાંત ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે ભાજપ સરકાર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતીઓ કરીને સરકારી નોકરી ખતમ કરી રહી છે અને ખાનગીકરણ કરી રહી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.