Mahadev App Scam : ઓનલાઈન સટ્ટાબાજી વિરૂદ્ધ EDની કાર્યવાહી, આ જગ્યાઓ પર કરાઈ છાપામારી, જાણો કેટલી સંપત્તિ કરાઈ જપ્ત?


  • Published By :
  • Published Date : 2023-09-16 13:10:11

છેલ્લા ઘણા સમયથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી દ્વારા અનેક જગ્યાઓ પર રેડ કરવામાં આવી રહી છે. રેડ કરી કરોડોની સંપત્તિને જપ્ત કરવામાં આવતી હોય છે. ત્યારે આવી જ કડક કાર્યવાહી ઓનલાઈન ગેમ્બલિંગ એપ મહાદેવ વિરૂદ્ધ કરવામાં આવી છે. આખી એપનું સંચાલન દૂબઈથી કરાઈ રહ્યું હતું. ઈડીએ કોલકાતા, ભોપાલ, મુંબઈ સહિતના વિસ્તારોમાં ઈડી દ્વારા રેડ કરી છે અને સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ છાપામારી દરમિયાન કુલ 417 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.  

મહાદેવ એપ વિરૂદ્ધ ઈડીએ કરી કાર્યવાહી 

મોબાઈલ ફોનનો ઉપયોગ દરેક વ્યક્તિ કરતો હોય છે. અલગ અલગ એપનો ઉપયોગ લોકો કરતા હોય છે. ભગવાનનું નામ લેવાય તે માટે લોકો ભક્તિને લગતી એપ્લિકેશન ડાઉનલોડ કરતા હોય છે પરંતુ અનેક વખત સટ્ટાબાજો પણ ભગવાનના નામ પર એપ્લિકેશનનું નામ રાખે છે. અમે વાત કરી રહ્યા છીએ મહાદેવ સટ્ટાબાજ એપની...આ એપ ઓનલાઈન સટ્ટાબાજી સાથે જોડાયેલી છે. 


417 કરોડની સંપત્તિ કરાઈ જપ્ત 

ઓછા સમયમાં ઓછી મહેનત કરી સારા પૈસા કમાવાની લાલચ હોવાને કારણે લોકો સટ્ટો રમતા હોય છે. ઓનલાઈન સટ્ટા પણ રમાઈ રહ્યા છે. ત્યારે ઓનલાઈન સટ્ટા પર સકંજો લાવવા ઈડી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહાદેવ એપના પ્રમોટરોના વિવિધ સ્થળો પર રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન કરોડોનો મુદ્દામાલ મળી આવ્યો છે. ઈડીએ કોલકાતા, ભોપાલ, મુંબઈ સહિત મહાદેવ એપ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ નેટવર્ક્સ સામે કાર્યવાહીના ભાગરૂપે દરોડા પાડ્યા હતા. 417 કરોડની સંપત્તિને ફ્રિજ કરવામાં આવી છે. 


રેડની કાર્યવાહી બાદ શું કહ્યું અધિકારીએ?

આ એપનું સંચાલન દુબઈથી કરવામાં આવી રહ્યું હતું. આ મામલે ઈડીએ જણાવ્યું કે સમગ્ર મામલાની તપાસ કરતી વખતે સામે આવ્યું કે છત્તીસગઢના ભિલાઈમાં રહેવાસી સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ મહાદેવ ઓનલાઈન બૂક એપના મુખ્ય પ્રમોટર છે. આ એપનું સમગ્ર સંચાલન દુબઈથી કરવામાં આવે છે. તે પોતાના સહયોગીઓને ૭૦-૩૦ ટકા નફાની સરેરાશ પર પેનલ-શાખાઓની ફ્રેન્ચાઈઝી આપીને સંચાલિત કરાતી હતી. સટ્ટાબાજીમાંથી જે આવક થાય તે આવકને વિદેશી ખાતાઓમાં મોકલવા માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવતી.  હવાલા ઓપરેશન ચલાવવામાં આવતું હતું. સટ્ટાબાજી પ્રત્યે લોકોને આકર્ષણ થાય તે માટે વિવિધ જાહેરાતો પણ કરવામાં આવતી. સટ્ટાબાજી વેબસાઈટોની જાહેરાત માટે ભારતમાં રોકડમાં પણ જંગી ખર્ચ કરવામાં આવતો હતો. વેબસાઈટનું માર્કેટિંગ કરવામાં આવતું હતું. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.