Mahadev App Scam : ઓનલાઈન સટ્ટાબાજી વિરૂદ્ધ EDની કાર્યવાહી, આ જગ્યાઓ પર કરાઈ છાપામારી, જાણો કેટલી સંપત્તિ કરાઈ જપ્ત?


  • Published By :
  • Published Date : 2023-09-16 13:10:11

છેલ્લા ઘણા સમયથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી દ્વારા અનેક જગ્યાઓ પર રેડ કરવામાં આવી રહી છે. રેડ કરી કરોડોની સંપત્તિને જપ્ત કરવામાં આવતી હોય છે. ત્યારે આવી જ કડક કાર્યવાહી ઓનલાઈન ગેમ્બલિંગ એપ મહાદેવ વિરૂદ્ધ કરવામાં આવી છે. આખી એપનું સંચાલન દૂબઈથી કરાઈ રહ્યું હતું. ઈડીએ કોલકાતા, ભોપાલ, મુંબઈ સહિતના વિસ્તારોમાં ઈડી દ્વારા રેડ કરી છે અને સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ છાપામારી દરમિયાન કુલ 417 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.  

મહાદેવ એપ વિરૂદ્ધ ઈડીએ કરી કાર્યવાહી 

મોબાઈલ ફોનનો ઉપયોગ દરેક વ્યક્તિ કરતો હોય છે. અલગ અલગ એપનો ઉપયોગ લોકો કરતા હોય છે. ભગવાનનું નામ લેવાય તે માટે લોકો ભક્તિને લગતી એપ્લિકેશન ડાઉનલોડ કરતા હોય છે પરંતુ અનેક વખત સટ્ટાબાજો પણ ભગવાનના નામ પર એપ્લિકેશનનું નામ રાખે છે. અમે વાત કરી રહ્યા છીએ મહાદેવ સટ્ટાબાજ એપની...આ એપ ઓનલાઈન સટ્ટાબાજી સાથે જોડાયેલી છે. 


417 કરોડની સંપત્તિ કરાઈ જપ્ત 

ઓછા સમયમાં ઓછી મહેનત કરી સારા પૈસા કમાવાની લાલચ હોવાને કારણે લોકો સટ્ટો રમતા હોય છે. ઓનલાઈન સટ્ટા પણ રમાઈ રહ્યા છે. ત્યારે ઓનલાઈન સટ્ટા પર સકંજો લાવવા ઈડી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહાદેવ એપના પ્રમોટરોના વિવિધ સ્થળો પર રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન કરોડોનો મુદ્દામાલ મળી આવ્યો છે. ઈડીએ કોલકાતા, ભોપાલ, મુંબઈ સહિત મહાદેવ એપ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ નેટવર્ક્સ સામે કાર્યવાહીના ભાગરૂપે દરોડા પાડ્યા હતા. 417 કરોડની સંપત્તિને ફ્રિજ કરવામાં આવી છે. 


રેડની કાર્યવાહી બાદ શું કહ્યું અધિકારીએ?

આ એપનું સંચાલન દુબઈથી કરવામાં આવી રહ્યું હતું. આ મામલે ઈડીએ જણાવ્યું કે સમગ્ર મામલાની તપાસ કરતી વખતે સામે આવ્યું કે છત્તીસગઢના ભિલાઈમાં રહેવાસી સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ મહાદેવ ઓનલાઈન બૂક એપના મુખ્ય પ્રમોટર છે. આ એપનું સમગ્ર સંચાલન દુબઈથી કરવામાં આવે છે. તે પોતાના સહયોગીઓને ૭૦-૩૦ ટકા નફાની સરેરાશ પર પેનલ-શાખાઓની ફ્રેન્ચાઈઝી આપીને સંચાલિત કરાતી હતી. સટ્ટાબાજીમાંથી જે આવક થાય તે આવકને વિદેશી ખાતાઓમાં મોકલવા માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવતી.  હવાલા ઓપરેશન ચલાવવામાં આવતું હતું. સટ્ટાબાજી પ્રત્યે લોકોને આકર્ષણ થાય તે માટે વિવિધ જાહેરાતો પણ કરવામાં આવતી. સટ્ટાબાજી વેબસાઈટોની જાહેરાત માટે ભારતમાં રોકડમાં પણ જંગી ખર્ચ કરવામાં આવતો હતો. વેબસાઈટનું માર્કેટિંગ કરવામાં આવતું હતું. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.