ભાદરવી પૂનમના મહામેળાનો થયો પ્રારંભ, માર્ગો બોલ મારી અંબેના નાદથી ગુંજી ઉઠ્યા, દર્શન કરી ભાવુક થયા ભક્તો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-23 12:38:00

માતાજીને શક્તિનું રૂપ માનવામાં આવે છે. પૂનમ દરમિયાન માતાજીના મંદિરોમાં ભાવિકોની ભીડ જોવા મળતી હોય છે. ભાદરવી પૂનમ તેમજ પોષી પૂનમનો અનેરો મહિમા રહેલો છે. ત્યારે ભાદરવી પૂનમના મેળાની શરૂઆત આજથી થઈ ગઈ છે. આજથી પ્રારંભ થયેલો મેળો 29 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું વિશેષ સ્થાન રહેલું છે. ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય છે. દૂર-દૂરથી પગપાળા કરી માતાજીના મંદિરે માઈ ભક્તો પહોંચતા હોય છે. ત્યારે મંદિર તો બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે પરંતુ અંબાજી તરફ જતા રસ્તાઓ પણ જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે.

 


બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે મેળાનો કરાવ્યો પ્રારંભ 

ભક્તિમય વાતાવરણ ચારેય તરફ જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા કલેક્ટર દ્વારા વિધિવતરૂપે રથ ખેંચી અંબાજી મહામેળાનો પ્રારંભ કરાવાયો છે. આજથી શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઈ ગયો છે. ભક્તોની ભારે ભીડ મંદિરના પ્રાંગણમાં, અંબાજી તરફ આવતા રસ્તાઓ પર જોવા મળી રહી છે. મેળાને લઈ તેમજ ભક્તોને આવકારવા માટે બનાસકાંઠા તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. ભક્તોના ઉતારાથી લઇ, માતાના દર્શન, પ્રસાદ સુધીની તૈયારીઓ કરી છે, પહેલા દર્શન કરીયે પવિત્ર યાત્રા ધામને આ પ્રસંગ નિમિત્તે વિશેષ રૂપે શણગારવામાં આવ્યું છે. 


આ સ્થળે પડ્યું હતું માતા સતીનું હૃદય  

51 શક્તિ પીઠમાંનું સૌથી શક્તિશાળી સ્થળ માનવામાં આવતા અંબાજીમાં એમ તો દર પૂનમે ભક્તો માતાના દર્શને આવી જ પહોંચે છે પણ ભાદરવી પૂનમ વિશેષ છે, દર વર્ષે મેળો ભરાય છે, પુરાણોમાં ઉલ્લેખ મુજબ સતી માતાનું હૃદય આ સ્થળે પડ્યું હતું અને આજ સ્થળ છે જ્યાં આજે પણ આંખે પાટા બાંધી આરતી ઉતારવામાં આવે છે, આજ સ્થળ છે જ્યાં નંદ-જશોદા કૃષ્ણની બાબરી વિધિ કરવા આવ્યા હતા, માતા સીતાની શોધમાં રામજીએ અહીં આરાધના કરી હતી, પોતાની મનોકામના લઇ ભક્તો આવી પહોંચે છે. 


વિવિધ પ્રકારની તંત્ર દ્વારા કરવામાં આવી છે તૈયારી  

ગબ્બર પર બિરાજમાન માતાના દર્શને જયારે લાખ્ખો ભક્તો આવવાના છે ત્યારે પીવાના પાણી, વિનામૂલ્ય ભોજનાલય, વિશ્રામ સ્થળ, આરોગ્ય સેવા, પોલીસ કન્ટ્રોલ રૂમ, બસ સ્ટેન્ડ, પાર્કિંગ સ્લોટ, જેવી વ્યવસ્થા કરવામાં આવી છે, અને સાથે ટેક્નોલોજીનો ઉપયોગ કરી વોટ્સએપ દ્વારા વિવિધ સેવાની જાણકારી પણ મેળવી શકો છો. તેમજ ત્યાં પહોંચવા વધુ ST બસો પણ ચલાવવામાં આવી રહી છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.