ભાદરવી પૂનમના મહામેળાનો થયો પ્રારંભ, માર્ગો બોલ મારી અંબેના નાદથી ગુંજી ઉઠ્યા, દર્શન કરી ભાવુક થયા ભક્તો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-23 12:38:00

માતાજીને શક્તિનું રૂપ માનવામાં આવે છે. પૂનમ દરમિયાન માતાજીના મંદિરોમાં ભાવિકોની ભીડ જોવા મળતી હોય છે. ભાદરવી પૂનમ તેમજ પોષી પૂનમનો અનેરો મહિમા રહેલો છે. ત્યારે ભાદરવી પૂનમના મેળાની શરૂઆત આજથી થઈ ગઈ છે. આજથી પ્રારંભ થયેલો મેળો 29 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું વિશેષ સ્થાન રહેલું છે. ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય છે. દૂર-દૂરથી પગપાળા કરી માતાજીના મંદિરે માઈ ભક્તો પહોંચતા હોય છે. ત્યારે મંદિર તો બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે પરંતુ અંબાજી તરફ જતા રસ્તાઓ પણ જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે.

 


બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે મેળાનો કરાવ્યો પ્રારંભ 

ભક્તિમય વાતાવરણ ચારેય તરફ જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા કલેક્ટર દ્વારા વિધિવતરૂપે રથ ખેંચી અંબાજી મહામેળાનો પ્રારંભ કરાવાયો છે. આજથી શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઈ ગયો છે. ભક્તોની ભારે ભીડ મંદિરના પ્રાંગણમાં, અંબાજી તરફ આવતા રસ્તાઓ પર જોવા મળી રહી છે. મેળાને લઈ તેમજ ભક્તોને આવકારવા માટે બનાસકાંઠા તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. ભક્તોના ઉતારાથી લઇ, માતાના દર્શન, પ્રસાદ સુધીની તૈયારીઓ કરી છે, પહેલા દર્શન કરીયે પવિત્ર યાત્રા ધામને આ પ્રસંગ નિમિત્તે વિશેષ રૂપે શણગારવામાં આવ્યું છે. 


આ સ્થળે પડ્યું હતું માતા સતીનું હૃદય  

51 શક્તિ પીઠમાંનું સૌથી શક્તિશાળી સ્થળ માનવામાં આવતા અંબાજીમાં એમ તો દર પૂનમે ભક્તો માતાના દર્શને આવી જ પહોંચે છે પણ ભાદરવી પૂનમ વિશેષ છે, દર વર્ષે મેળો ભરાય છે, પુરાણોમાં ઉલ્લેખ મુજબ સતી માતાનું હૃદય આ સ્થળે પડ્યું હતું અને આજ સ્થળ છે જ્યાં આજે પણ આંખે પાટા બાંધી આરતી ઉતારવામાં આવે છે, આજ સ્થળ છે જ્યાં નંદ-જશોદા કૃષ્ણની બાબરી વિધિ કરવા આવ્યા હતા, માતા સીતાની શોધમાં રામજીએ અહીં આરાધના કરી હતી, પોતાની મનોકામના લઇ ભક્તો આવી પહોંચે છે. 


વિવિધ પ્રકારની તંત્ર દ્વારા કરવામાં આવી છે તૈયારી  

ગબ્બર પર બિરાજમાન માતાના દર્શને જયારે લાખ્ખો ભક્તો આવવાના છે ત્યારે પીવાના પાણી, વિનામૂલ્ય ભોજનાલય, વિશ્રામ સ્થળ, આરોગ્ય સેવા, પોલીસ કન્ટ્રોલ રૂમ, બસ સ્ટેન્ડ, પાર્કિંગ સ્લોટ, જેવી વ્યવસ્થા કરવામાં આવી છે, અને સાથે ટેક્નોલોજીનો ઉપયોગ કરી વોટ્સએપ દ્વારા વિવિધ સેવાની જાણકારી પણ મેળવી શકો છો. તેમજ ત્યાં પહોંચવા વધુ ST બસો પણ ચલાવવામાં આવી રહી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.