ભાદરવી પૂનમના મહામેળાનો થયો પ્રારંભ, માર્ગો બોલ મારી અંબેના નાદથી ગુંજી ઉઠ્યા, દર્શન કરી ભાવુક થયા ભક્તો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-23 12:38:00

માતાજીને શક્તિનું રૂપ માનવામાં આવે છે. પૂનમ દરમિયાન માતાજીના મંદિરોમાં ભાવિકોની ભીડ જોવા મળતી હોય છે. ભાદરવી પૂનમ તેમજ પોષી પૂનમનો અનેરો મહિમા રહેલો છે. ત્યારે ભાદરવી પૂનમના મેળાની શરૂઆત આજથી થઈ ગઈ છે. આજથી પ્રારંભ થયેલો મેળો 29 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું વિશેષ સ્થાન રહેલું છે. ભક્તોનું ઘોડાપૂર ઉમટતું હોય છે. દૂર-દૂરથી પગપાળા કરી માતાજીના મંદિરે માઈ ભક્તો પહોંચતા હોય છે. ત્યારે મંદિર તો બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે પરંતુ અંબાજી તરફ જતા રસ્તાઓ પણ જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે.

 


બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે મેળાનો કરાવ્યો પ્રારંભ 

ભક્તિમય વાતાવરણ ચારેય તરફ જોવા મળી રહ્યું છે. બનાસકાંઠા કલેક્ટર દ્વારા વિધિવતરૂપે રથ ખેંચી અંબાજી મહામેળાનો પ્રારંભ કરાવાયો છે. આજથી શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઈ ગયો છે. ભક્તોની ભારે ભીડ મંદિરના પ્રાંગણમાં, અંબાજી તરફ આવતા રસ્તાઓ પર જોવા મળી રહી છે. મેળાને લઈ તેમજ ભક્તોને આવકારવા માટે બનાસકાંઠા તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. ભક્તોના ઉતારાથી લઇ, માતાના દર્શન, પ્રસાદ સુધીની તૈયારીઓ કરી છે, પહેલા દર્શન કરીયે પવિત્ર યાત્રા ધામને આ પ્રસંગ નિમિત્તે વિશેષ રૂપે શણગારવામાં આવ્યું છે. 


આ સ્થળે પડ્યું હતું માતા સતીનું હૃદય  

51 શક્તિ પીઠમાંનું સૌથી શક્તિશાળી સ્થળ માનવામાં આવતા અંબાજીમાં એમ તો દર પૂનમે ભક્તો માતાના દર્શને આવી જ પહોંચે છે પણ ભાદરવી પૂનમ વિશેષ છે, દર વર્ષે મેળો ભરાય છે, પુરાણોમાં ઉલ્લેખ મુજબ સતી માતાનું હૃદય આ સ્થળે પડ્યું હતું અને આજ સ્થળ છે જ્યાં આજે પણ આંખે પાટા બાંધી આરતી ઉતારવામાં આવે છે, આજ સ્થળ છે જ્યાં નંદ-જશોદા કૃષ્ણની બાબરી વિધિ કરવા આવ્યા હતા, માતા સીતાની શોધમાં રામજીએ અહીં આરાધના કરી હતી, પોતાની મનોકામના લઇ ભક્તો આવી પહોંચે છે. 


વિવિધ પ્રકારની તંત્ર દ્વારા કરવામાં આવી છે તૈયારી  

ગબ્બર પર બિરાજમાન માતાના દર્શને જયારે લાખ્ખો ભક્તો આવવાના છે ત્યારે પીવાના પાણી, વિનામૂલ્ય ભોજનાલય, વિશ્રામ સ્થળ, આરોગ્ય સેવા, પોલીસ કન્ટ્રોલ રૂમ, બસ સ્ટેન્ડ, પાર્કિંગ સ્લોટ, જેવી વ્યવસ્થા કરવામાં આવી છે, અને સાથે ટેક્નોલોજીનો ઉપયોગ કરી વોટ્સએપ દ્વારા વિવિધ સેવાની જાણકારી પણ મેળવી શકો છો. તેમજ ત્યાં પહોંચવા વધુ ST બસો પણ ચલાવવામાં આવી રહી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.