ગુજરાતનો એક એવો મતદાર જેમના માટે 8 નોડલ ઓફિસર અને સુરક્ષા કર્મીઓ સહિતનો કાફલો તૈનાત રહે છે


  • Published By :
  • Published Date : 2022-11-23 14:51:47


ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. રાજ્યનો છેવાડોનો એક પણ મતદાતા તેના મતાધિકારનો ઉપયોગ કર્યા વગર ન રહી જાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમ કે ગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા સીટના જામવાડા ગામના બાણેજ વિસ્તારમાં માત્ર એક જ મતદાર છે તેમ છતાં તેમના માટે ખાસ પોલિંગ સ્ટેશન ઉભું કરવામાં આવે છે. 


કોણ છે બાણેજના એક માત્ર મતદાતા?


મહંત હરિદાસ બાપુ ગીર સોમનાથ જિલ્લાના ગીર મધ્યમાં આવેલા નેશનલ પાર્કમાં જામવાડાથી લગભગ 25 કિલોમીટર દૂર ગીરના ગાઢ જંગલમાં બાણ મહાદેવનું મંદિરના ગાદીપતિ છે. આ મંદિરના મહંત એક સમયે ભરત દાસ બાપુ હતા. વર્ષ 2019માં ભરત દાસ બાપુનું અવસાન થતા તેમનું સ્થાને નવા મહંત હરિદાસ બાપુએ લેતા મંદિરની ગાદી સંભાળી હતી. ચૂંટણી પંચે તેમના જ માટે પોલિંગની વ્યવસ્થા કરી છે, આ એક માત્ર મતદાતા છે જેમના માટે ચૂંટણી પંચ 8 નોડલ ઓફિસર અને સુરક્ષા કર્મીથી સજ્જ મતદાન મથક ઉભું કરે છે. ચૂંટણી પંચ દ્વારા 2002થી બાણેજના એક માત્ર મતદાતા સ્વ. ભરતદાસ બાપુ માટે પોલિગ બુથ ઉભુ કરવામાં આવતું હતું, પરંતુ ભરતદાસના સ્વર્ગસ્થ બાદ તેમના ગુરુભાઈ હરિદાસ બાપુ માટે ચૂંટણી પંચ તમામ વ્યવસ્થા ઉભી કરે છે. મંદિરની નજીક આવેલી ફોરેસ્ટ ઓફિસમાં બૂથ ઉભુ કરવામાં આવે છે. 


મતદાનની ગુપ્તતા જળવાતી નથી 


મહંત હરિદાસ બાપુ તેમના મતાધિકારનો ઉપયોગ તો કરે છે પણ તે ગુપ્ત રહેતું નથી. કારણ કે  મતગણતરી માટે અહીં નું ઈવીએમ ખુલ્લે છે ત્યારે બાપુ એ કોને મત આપ્યો તે પણ એક મત હોવાના કારણે ખુલ્લો પડી જાય છે. વળી પોવિંગ બુથમાં એક જ વ્યક્તિ મતદાન કરતા હોવાથી 100 ટકા મતદાન થાય છે.


શું છે આ વિસ્તારનું ધાર્મિક મહત્વ?


બાણેજનું ધાર્મિક મહત્વ ઘણું છે, ગીર પર્વતથી ઘેરાયેલા આ વિસ્તારમાં મહાભારત કાળમાં પાંડવ આવ્યા હતા. તેમણે તીર ધનુષથી અહીં બાણ ગંગાને પ્રકટ કરી ત્યાર બાદ ભગવાન મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. ત્યારથી આ સ્થળ લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યુ છે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.