ગુજરાતનો એક એવો મતદાર જેમના માટે 8 નોડલ ઓફિસર અને સુરક્ષા કર્મીઓ સહિતનો કાફલો તૈનાત રહે છે


  • Published By :
  • Published Date : 2022-11-23 14:51:47


ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. રાજ્યનો છેવાડોનો એક પણ મતદાતા તેના મતાધિકારનો ઉપયોગ કર્યા વગર ન રહી જાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમ કે ગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા સીટના જામવાડા ગામના બાણેજ વિસ્તારમાં માત્ર એક જ મતદાર છે તેમ છતાં તેમના માટે ખાસ પોલિંગ સ્ટેશન ઉભું કરવામાં આવે છે. 


કોણ છે બાણેજના એક માત્ર મતદાતા?


મહંત હરિદાસ બાપુ ગીર સોમનાથ જિલ્લાના ગીર મધ્યમાં આવેલા નેશનલ પાર્કમાં જામવાડાથી લગભગ 25 કિલોમીટર દૂર ગીરના ગાઢ જંગલમાં બાણ મહાદેવનું મંદિરના ગાદીપતિ છે. આ મંદિરના મહંત એક સમયે ભરત દાસ બાપુ હતા. વર્ષ 2019માં ભરત દાસ બાપુનું અવસાન થતા તેમનું સ્થાને નવા મહંત હરિદાસ બાપુએ લેતા મંદિરની ગાદી સંભાળી હતી. ચૂંટણી પંચે તેમના જ માટે પોલિંગની વ્યવસ્થા કરી છે, આ એક માત્ર મતદાતા છે જેમના માટે ચૂંટણી પંચ 8 નોડલ ઓફિસર અને સુરક્ષા કર્મીથી સજ્જ મતદાન મથક ઉભું કરે છે. ચૂંટણી પંચ દ્વારા 2002થી બાણેજના એક માત્ર મતદાતા સ્વ. ભરતદાસ બાપુ માટે પોલિગ બુથ ઉભુ કરવામાં આવતું હતું, પરંતુ ભરતદાસના સ્વર્ગસ્થ બાદ તેમના ગુરુભાઈ હરિદાસ બાપુ માટે ચૂંટણી પંચ તમામ વ્યવસ્થા ઉભી કરે છે. મંદિરની નજીક આવેલી ફોરેસ્ટ ઓફિસમાં બૂથ ઉભુ કરવામાં આવે છે. 


મતદાનની ગુપ્તતા જળવાતી નથી 


મહંત હરિદાસ બાપુ તેમના મતાધિકારનો ઉપયોગ તો કરે છે પણ તે ગુપ્ત રહેતું નથી. કારણ કે  મતગણતરી માટે અહીં નું ઈવીએમ ખુલ્લે છે ત્યારે બાપુ એ કોને મત આપ્યો તે પણ એક મત હોવાના કારણે ખુલ્લો પડી જાય છે. વળી પોવિંગ બુથમાં એક જ વ્યક્તિ મતદાન કરતા હોવાથી 100 ટકા મતદાન થાય છે.


શું છે આ વિસ્તારનું ધાર્મિક મહત્વ?


બાણેજનું ધાર્મિક મહત્વ ઘણું છે, ગીર પર્વતથી ઘેરાયેલા આ વિસ્તારમાં મહાભારત કાળમાં પાંડવ આવ્યા હતા. તેમણે તીર ધનુષથી અહીં બાણ ગંગાને પ્રકટ કરી ત્યાર બાદ ભગવાન મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. ત્યારથી આ સ્થળ લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યુ છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .