ગુજરાતનો એક એવો મતદાર જેમના માટે 8 નોડલ ઓફિસર અને સુરક્ષા કર્મીઓ સહિતનો કાફલો તૈનાત રહે છે


  • Published By :
  • Published Date : 2022-11-23 14:51:47


ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. રાજ્યનો છેવાડોનો એક પણ મતદાતા તેના મતાધિકારનો ઉપયોગ કર્યા વગર ન રહી જાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમ કે ગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા સીટના જામવાડા ગામના બાણેજ વિસ્તારમાં માત્ર એક જ મતદાર છે તેમ છતાં તેમના માટે ખાસ પોલિંગ સ્ટેશન ઉભું કરવામાં આવે છે. 


કોણ છે બાણેજના એક માત્ર મતદાતા?


મહંત હરિદાસ બાપુ ગીર સોમનાથ જિલ્લાના ગીર મધ્યમાં આવેલા નેશનલ પાર્કમાં જામવાડાથી લગભગ 25 કિલોમીટર દૂર ગીરના ગાઢ જંગલમાં બાણ મહાદેવનું મંદિરના ગાદીપતિ છે. આ મંદિરના મહંત એક સમયે ભરત દાસ બાપુ હતા. વર્ષ 2019માં ભરત દાસ બાપુનું અવસાન થતા તેમનું સ્થાને નવા મહંત હરિદાસ બાપુએ લેતા મંદિરની ગાદી સંભાળી હતી. ચૂંટણી પંચે તેમના જ માટે પોલિંગની વ્યવસ્થા કરી છે, આ એક માત્ર મતદાતા છે જેમના માટે ચૂંટણી પંચ 8 નોડલ ઓફિસર અને સુરક્ષા કર્મીથી સજ્જ મતદાન મથક ઉભું કરે છે. ચૂંટણી પંચ દ્વારા 2002થી બાણેજના એક માત્ર મતદાતા સ્વ. ભરતદાસ બાપુ માટે પોલિગ બુથ ઉભુ કરવામાં આવતું હતું, પરંતુ ભરતદાસના સ્વર્ગસ્થ બાદ તેમના ગુરુભાઈ હરિદાસ બાપુ માટે ચૂંટણી પંચ તમામ વ્યવસ્થા ઉભી કરે છે. મંદિરની નજીક આવેલી ફોરેસ્ટ ઓફિસમાં બૂથ ઉભુ કરવામાં આવે છે. 


મતદાનની ગુપ્તતા જળવાતી નથી 


મહંત હરિદાસ બાપુ તેમના મતાધિકારનો ઉપયોગ તો કરે છે પણ તે ગુપ્ત રહેતું નથી. કારણ કે  મતગણતરી માટે અહીં નું ઈવીએમ ખુલ્લે છે ત્યારે બાપુ એ કોને મત આપ્યો તે પણ એક મત હોવાના કારણે ખુલ્લો પડી જાય છે. વળી પોવિંગ બુથમાં એક જ વ્યક્તિ મતદાન કરતા હોવાથી 100 ટકા મતદાન થાય છે.


શું છે આ વિસ્તારનું ધાર્મિક મહત્વ?


બાણેજનું ધાર્મિક મહત્વ ઘણું છે, ગીર પર્વતથી ઘેરાયેલા આ વિસ્તારમાં મહાભારત કાળમાં પાંડવ આવ્યા હતા. તેમણે તીર ધનુષથી અહીં બાણ ગંગાને પ્રકટ કરી ત્યાર બાદ ભગવાન મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. ત્યારથી આ સ્થળ લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યુ છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .