મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષે શરદ પવારને આપ્યો ઝટકો, કહ્યું અજિત પવાર જૂથ જ અસલી NCP


  • Published By :
  • Published Date : 2024-02-15 21:15:17

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી પર વર્ચસ્વની લડાઈમાં શરદ પવાર સામે ભત્રીજા અજીત પવારની જીત થઈ છે. NCP પર પોતાના એકાધિકાર માટે લડતા શરદ પવારને ચૂંટણી પંચ બાદ આજે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પિકરે પણ ઝટકો આપ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલે મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકરે ચુકાદો આપ્યો છે. તેમણે ધારાસભ્યોને લાયક જાહેર કરીને તેમની સામેની તમામ અરજીઓને રદ કરી દીધી છે. તેમણે અજીત જૂથને અસલી NCP પણ ગણાવ્યું હતું. અજિત પવારને 41 ધારાસભ્યોનું સમર્થન છે.


શું કહ્યું સ્પીકર રાહુલ નાર્વેકરે?


શરદ પવારના ભત્રીજા અજિત પવાર તેમના સમર્થક ધારાસભ્યોની સાથે જુલાઈ 2023 માં મહારાષ્ટ્રની શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા હતા. બાદમાં અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. જો કે ત્યાર પછી તેમના જુથને ગેરલાયક ઠરાવવા માટે અરજીઓ દાખલ કરવામાં આવી હતી. નાર્વેકરે ચુકાદામાં કહ્યું હતું કે પાર્ટીના સ્થાપક શરદ પવારના નિર્ણયો પર સવાલ ઉઠાવવો અથવા તેમની ઇચ્છાઓની અવગણના કરવી એ પક્ષપલટા સમાન નથી પરંતુ તે માત્ર આંતરિક મતભેદ છે. તેમણે કહ્યું કે આ કેસમાં પક્ષપલટા વિરોધી જોગવાઈઓ સાથે સંબંધિત બંધારણની 10મી અનુસૂચિનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. 


પક્ષની નેતાગીરી 10મી અનુસૂચિનો ઉપયોગ મોટી સંખ્યામાં સભ્યોના અસંમત અવાજોને અયોગ્યતાની ધમકી આપીને દબાવવા માટે કરી શકે નહીં. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે એનસીપીમાં (જુલાઈ 2023માં) જે ઘટના બની તે સ્પષ્ટ રીતે પાર્ટીનો આંતરિક મતભેદ હતો. વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે પાર્ટીમાં વિભાજન સમયે મોટાભાગના ધારાસભ્યો અજિત પવાર કેમ્પમાં હતા. તેમણે કહ્યું કે અજિત પવાર કેમ્પનો નિર્ણય NCPની ઈચ્છા દર્શાવે છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .