મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, સ્પીકર રાહુલ નાર્વેકરનો ફેંસલો, 'ઉદ્ધવને એકનાથ શિંદેને હટાવવાનો અધિકાર નથી'


  • Published By :
  • Published Date : 2024-01-10 19:37:50

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે આજે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યો વિરુદ્ધ ગેરલાયકાતના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલામાં પોતાનો નિર્ણય સાંભળતા મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે કહ્યું, 'ઉદ્ધવ ઠાકરે પાસે એકનાથ શિંદેને હટાવવાની સત્તા નથી. શિવસેના પ્રમુખને પક્ષના કોઈપણ નેતાને હટાવવાનો અધિકાર નથી. એકનાથ શિંદેને વિધાયક દળના નેતા પદેથી હટાવવાનો નિર્ણય સ્વીકારી શકાય નહીં.

ઈલેક્શન કમિશનના રેકોર્ડને બનાવ્યો આધાર 


મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે પોતાના નિર્ણયમાં નાર્વેકરે સવાલ કર્યો કે પાર્ટીનું બંધારણ શું કહે છે? નેતૃત્વ કોની પાસે હતું? વિધાનમંડળમાં કોની પાસે બહુમતી હતી? આ બધી બાબાતોને તેમણે મુખ્ય આધાર બનાવ્યો હતો. આ પ્રશ્નોના જવાબો મેળવવા માટે તેમણે ચૂંટણી પંચના રેકોર્ડને યોગ્ય સાચો માન્યો હતો. આ પછી, તેમણે શિંદેથી અલગ થયેલા શિવસેનાના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો ઇનકાર કરીને ઉદ્ધવ ઠાકરેની અપીલને નકારી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે શિવસેનાના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા પર નિર્ણય લેવા માટે નાર્વેકરને 10 જાન્યુઆરીની સમયમર્યાદા આપી હતી. રાહુલ નાર્વેકરે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે મેં ધારાસભ્યોની અયોગ્યતાના મામલામાં નિર્ણય લેતી વખતે ચૂંટણી પંચના નિર્ણયને ધ્યાનમાં રાખ્યો હતો.


શું છે સમગ્ર મામલો?


લગભગ દોઢ વર્ષ પહેલા, 20 જૂન, 2022 ના રોજ, એકનાથ શિંદે અને તેમના જૂથના 39 ધારાસભ્યોએ શિવસેના સામે બળવો કર્યો હતો અને ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. ત્યાર બાદ શિંદે ભાજપના સમર્થનથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા, દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ બન્યા હતા. ઉદ્ધવ પાર્ટીએ પહેલા પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ સ્પીકરને નોટિસ આપી હતી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને બંને જૂથોએ એકબીજાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગણી કરતી અરજીઓ દાખલ કરી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.