મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, સ્પીકર રાહુલ નાર્વેકરનો ફેંસલો, 'ઉદ્ધવને એકનાથ શિંદેને હટાવવાનો અધિકાર નથી'


  • Published By :
  • Published Date : 2024-01-10 19:37:50

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે આજે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યો વિરુદ્ધ ગેરલાયકાતના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલામાં પોતાનો નિર્ણય સાંભળતા મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે કહ્યું, 'ઉદ્ધવ ઠાકરે પાસે એકનાથ શિંદેને હટાવવાની સત્તા નથી. શિવસેના પ્રમુખને પક્ષના કોઈપણ નેતાને હટાવવાનો અધિકાર નથી. એકનાથ શિંદેને વિધાયક દળના નેતા પદેથી હટાવવાનો નિર્ણય સ્વીકારી શકાય નહીં.

ઈલેક્શન કમિશનના રેકોર્ડને બનાવ્યો આધાર 


મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે પોતાના નિર્ણયમાં નાર્વેકરે સવાલ કર્યો કે પાર્ટીનું બંધારણ શું કહે છે? નેતૃત્વ કોની પાસે હતું? વિધાનમંડળમાં કોની પાસે બહુમતી હતી? આ બધી બાબાતોને તેમણે મુખ્ય આધાર બનાવ્યો હતો. આ પ્રશ્નોના જવાબો મેળવવા માટે તેમણે ચૂંટણી પંચના રેકોર્ડને યોગ્ય સાચો માન્યો હતો. આ પછી, તેમણે શિંદેથી અલગ થયેલા શિવસેનાના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો ઇનકાર કરીને ઉદ્ધવ ઠાકરેની અપીલને નકારી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે શિવસેનાના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા પર નિર્ણય લેવા માટે નાર્વેકરને 10 જાન્યુઆરીની સમયમર્યાદા આપી હતી. રાહુલ નાર્વેકરે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે મેં ધારાસભ્યોની અયોગ્યતાના મામલામાં નિર્ણય લેતી વખતે ચૂંટણી પંચના નિર્ણયને ધ્યાનમાં રાખ્યો હતો.


શું છે સમગ્ર મામલો?


લગભગ દોઢ વર્ષ પહેલા, 20 જૂન, 2022 ના રોજ, એકનાથ શિંદે અને તેમના જૂથના 39 ધારાસભ્યોએ શિવસેના સામે બળવો કર્યો હતો અને ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. ત્યાર બાદ શિંદે ભાજપના સમર્થનથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા, દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ બન્યા હતા. ઉદ્ધવ પાર્ટીએ પહેલા પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ સ્પીકરને નોટિસ આપી હતી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને બંને જૂથોએ એકબીજાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગણી કરતી અરજીઓ દાખલ કરી હતી.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.