મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો, સ્પીકર રાહુલ નાર્વેકરનો ફેંસલો, 'ઉદ્ધવને એકનાથ શિંદેને હટાવવાનો અધિકાર નથી'


  • Published By :
  • Published Date : 2024-01-10 19:37:50

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે આજે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યો વિરુદ્ધ ગેરલાયકાતના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલામાં પોતાનો નિર્ણય સાંભળતા મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે કહ્યું, 'ઉદ્ધવ ઠાકરે પાસે એકનાથ શિંદેને હટાવવાની સત્તા નથી. શિવસેના પ્રમુખને પક્ષના કોઈપણ નેતાને હટાવવાનો અધિકાર નથી. એકનાથ શિંદેને વિધાયક દળના નેતા પદેથી હટાવવાનો નિર્ણય સ્વીકારી શકાય નહીં.

ઈલેક્શન કમિશનના રેકોર્ડને બનાવ્યો આધાર 


મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે પોતાના નિર્ણયમાં નાર્વેકરે સવાલ કર્યો કે પાર્ટીનું બંધારણ શું કહે છે? નેતૃત્વ કોની પાસે હતું? વિધાનમંડળમાં કોની પાસે બહુમતી હતી? આ બધી બાબાતોને તેમણે મુખ્ય આધાર બનાવ્યો હતો. આ પ્રશ્નોના જવાબો મેળવવા માટે તેમણે ચૂંટણી પંચના રેકોર્ડને યોગ્ય સાચો માન્યો હતો. આ પછી, તેમણે શિંદેથી અલગ થયેલા શિવસેનાના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો ઇનકાર કરીને ઉદ્ધવ ઠાકરેની અપીલને નકારી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે શિવસેનાના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા પર નિર્ણય લેવા માટે નાર્વેકરને 10 જાન્યુઆરીની સમયમર્યાદા આપી હતી. રાહુલ નાર્વેકરે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે મેં ધારાસભ્યોની અયોગ્યતાના મામલામાં નિર્ણય લેતી વખતે ચૂંટણી પંચના નિર્ણયને ધ્યાનમાં રાખ્યો હતો.


શું છે સમગ્ર મામલો?


લગભગ દોઢ વર્ષ પહેલા, 20 જૂન, 2022 ના રોજ, એકનાથ શિંદે અને તેમના જૂથના 39 ધારાસભ્યોએ શિવસેના સામે બળવો કર્યો હતો અને ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. ત્યાર બાદ શિંદે ભાજપના સમર્થનથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા, દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ બન્યા હતા. ઉદ્ધવ પાર્ટીએ પહેલા પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ સ્પીકરને નોટિસ આપી હતી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને બંને જૂથોએ એકબીજાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગણી કરતી અરજીઓ દાખલ કરી હતી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે