ફોન પર હવે 'હેલ્લો' નહીં પણ 'વંદે માતરમ' બોલવું ફરજીયાત: મહારાષ્ટ્ર સરકાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 18:18:46

મહારાષ્ટ્ર સરકારે સરકારે કર્મચારીઓ માટે  1 ઓક્ટોબરે પરિપત્ર બહાર પાડી હેલ્લોના બદલે વંદે માતરમ બોલવું ફરજીયાત કરી દીધું છે. આ નવા GR મુજબ મહારાષ્ટ્રના તમામ સરકારી કર્મચારી હવે ફોન રિસિવ કરતી વખતે હેલ્લોના બદલે ફરજીયાતપણે વંદે માતરમ બોલશે. 


ભાજપ નેતા સુધીર મુનગંટીવારે શરૂ કરી પરંપરા


દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ મનાવી રહયો હતો ત્યારે એ નક્કી કરવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્લો નહીં પણ વંદે માતરમ બોલવું ફરજિયાત કરી દેવામાં આવે. મહારાષ્ટ્રમાં જ્યારે સત્તા પરિવર્તન થયું તે સમયે સુધીર મુનગંટીવારને રાજ્યના સાંસ્કૃતિક મંત્રાલયની જવાબદારી સોંપાવમાં આવી હતી. તેમણે તાત્કાલિક નિર્ણય લઈ તેમના મંત્રાલયના કર્મચારીઓ માટે ફોન પર વંદે માતરમ બોલવું ફરજિયાત કરી દીધું હતું.


'વંદે માતરમ'થી રાષ્ટ્રિય ગૌરવ પેદા થાય છે


મહારાષ્ટ્ર સરકારના દાવા મુજબ હેલ્લો શબ્દ પશ્ચિમથી આવ્યો છે. આ શબ્દ પશ્ચિમી સંસ્કૃતિની નકલ છે, અને નિરર્થક અભિવાદન છે. તેનાથી કોઈ લાગણીનો કોઈ ભાવ પેદા નથી થતો. જો કે વંદે માતરમ બોલવાથી રાષ્ટ્રિય ગૌરવની લાગણી પેદા થાય છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .