ફોન પર હવે 'હેલ્લો' નહીં પણ 'વંદે માતરમ' બોલવું ફરજીયાત: મહારાષ્ટ્ર સરકાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 18:18:46

મહારાષ્ટ્ર સરકારે સરકારે કર્મચારીઓ માટે  1 ઓક્ટોબરે પરિપત્ર બહાર પાડી હેલ્લોના બદલે વંદે માતરમ બોલવું ફરજીયાત કરી દીધું છે. આ નવા GR મુજબ મહારાષ્ટ્રના તમામ સરકારી કર્મચારી હવે ફોન રિસિવ કરતી વખતે હેલ્લોના બદલે ફરજીયાતપણે વંદે માતરમ બોલશે. 


ભાજપ નેતા સુધીર મુનગંટીવારે શરૂ કરી પરંપરા


દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ મનાવી રહયો હતો ત્યારે એ નક્કી કરવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્લો નહીં પણ વંદે માતરમ બોલવું ફરજિયાત કરી દેવામાં આવે. મહારાષ્ટ્રમાં જ્યારે સત્તા પરિવર્તન થયું તે સમયે સુધીર મુનગંટીવારને રાજ્યના સાંસ્કૃતિક મંત્રાલયની જવાબદારી સોંપાવમાં આવી હતી. તેમણે તાત્કાલિક નિર્ણય લઈ તેમના મંત્રાલયના કર્મચારીઓ માટે ફોન પર વંદે માતરમ બોલવું ફરજિયાત કરી દીધું હતું.


'વંદે માતરમ'થી રાષ્ટ્રિય ગૌરવ પેદા થાય છે


મહારાષ્ટ્ર સરકારના દાવા મુજબ હેલ્લો શબ્દ પશ્ચિમથી આવ્યો છે. આ શબ્દ પશ્ચિમી સંસ્કૃતિની નકલ છે, અને નિરર્થક અભિવાદન છે. તેનાથી કોઈ લાગણીનો કોઈ ભાવ પેદા નથી થતો. જો કે વંદે માતરમ બોલવાથી રાષ્ટ્રિય ગૌરવની લાગણી પેદા થાય છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.