ફોન પર હવે 'હેલ્લો' નહીં પણ 'વંદે માતરમ' બોલવું ફરજીયાત: મહારાષ્ટ્ર સરકાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 18:18:46

મહારાષ્ટ્ર સરકારે સરકારે કર્મચારીઓ માટે  1 ઓક્ટોબરે પરિપત્ર બહાર પાડી હેલ્લોના બદલે વંદે માતરમ બોલવું ફરજીયાત કરી દીધું છે. આ નવા GR મુજબ મહારાષ્ટ્રના તમામ સરકારી કર્મચારી હવે ફોન રિસિવ કરતી વખતે હેલ્લોના બદલે ફરજીયાતપણે વંદે માતરમ બોલશે. 


ભાજપ નેતા સુધીર મુનગંટીવારે શરૂ કરી પરંપરા


દેશ આઝાદીની 75મી વર્ષગાંઠ મનાવી રહયો હતો ત્યારે એ નક્કી કરવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્લો નહીં પણ વંદે માતરમ બોલવું ફરજિયાત કરી દેવામાં આવે. મહારાષ્ટ્રમાં જ્યારે સત્તા પરિવર્તન થયું તે સમયે સુધીર મુનગંટીવારને રાજ્યના સાંસ્કૃતિક મંત્રાલયની જવાબદારી સોંપાવમાં આવી હતી. તેમણે તાત્કાલિક નિર્ણય લઈ તેમના મંત્રાલયના કર્મચારીઓ માટે ફોન પર વંદે માતરમ બોલવું ફરજિયાત કરી દીધું હતું.


'વંદે માતરમ'થી રાષ્ટ્રિય ગૌરવ પેદા થાય છે


મહારાષ્ટ્ર સરકારના દાવા મુજબ હેલ્લો શબ્દ પશ્ચિમથી આવ્યો છે. આ શબ્દ પશ્ચિમી સંસ્કૃતિની નકલ છે, અને નિરર્થક અભિવાદન છે. તેનાથી કોઈ લાગણીનો કોઈ ભાવ પેદા નથી થતો. જો કે વંદે માતરમ બોલવાથી રાષ્ટ્રિય ગૌરવની લાગણી પેદા થાય છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે