મહારાષ્ટ્ર: ડોમ્બિવલી નજીક ખોની પાલવામાં એક બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં


  • Published By :
  • Published Date : 2024-01-13 17:47:19

મહારાષ્ટ્રના થાણેમાં ડોમ્બિવલી નજીક ખોની પાલવામાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. હજુ સુધી કોઈ જાનહાનિના રિપોર્ટ નથી. આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં તે બહુમાળી ઈમારતના અન્ય ભાગોમાં પણ પહોંચી ગઈ હતી. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, લોઢા હાઉસિંગ કોમ્પ્લેક્સમાં એક બહુમાળી બિલ્ડીંગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. 11મા માળેથી શરૂ થયેલી આગ ઝડપથી અનેક માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે રહેવાસીઓએ પાણીના ટેન્કરોનો ઉપયોગ કર્યો હતો. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર હાજર છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ આગને કાબૂમાં લેવાના પ્રયાસમાં વ્યસ્ત છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બહુમાળી ઈમારતમાં લાગેલી આગ થોડી જ વારમાં જ આખી ઈમારતમાં ફેલાઈ ગઈ હતી.


અગાઉ પણ બોરીવલીમાં લાગી હતી આગ

 

અત્રે ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્રમાં આ પહેલા પણ ઘણી ઈમારતોમાં આગ લાગી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં બોરીવલીમાં આઠ માળની રહેણાંક ઇમારતમાં આગ લાગી હતી, જેમાં 8 વર્ષના છોકરા સહિત બે લોકોના મોત થયા હતા. આ દરમિયાન અન્ય ત્રણ લોકો પણ દાઝી ગયા હતા. અગાઉ આ જ મહિનામાં ગોરેગાંવ વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ લાગવાથી સાત લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 40થી વધુ લોકો દાઝી ગયા હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.