મહારાષ્ટ્ર: ડોમ્બિવલી નજીક ખોની પાલવામાં એક બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં


  • Published By :
  • Published Date : 2024-01-13 17:47:19

મહારાષ્ટ્રના થાણેમાં ડોમ્બિવલી નજીક ખોની પાલવામાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. હજુ સુધી કોઈ જાનહાનિના રિપોર્ટ નથી. આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં તે બહુમાળી ઈમારતના અન્ય ભાગોમાં પણ પહોંચી ગઈ હતી. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, લોઢા હાઉસિંગ કોમ્પ્લેક્સમાં એક બહુમાળી બિલ્ડીંગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. 11મા માળેથી શરૂ થયેલી આગ ઝડપથી અનેક માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે રહેવાસીઓએ પાણીના ટેન્કરોનો ઉપયોગ કર્યો હતો. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર હાજર છે. ફાયર બ્રિગેડના અધિકારીઓ આગને કાબૂમાં લેવાના પ્રયાસમાં વ્યસ્ત છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બહુમાળી ઈમારતમાં લાગેલી આગ થોડી જ વારમાં જ આખી ઈમારતમાં ફેલાઈ ગઈ હતી.


અગાઉ પણ બોરીવલીમાં લાગી હતી આગ

 

અત્રે ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્રમાં આ પહેલા પણ ઘણી ઈમારતોમાં આગ લાગી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં બોરીવલીમાં આઠ માળની રહેણાંક ઇમારતમાં આગ લાગી હતી, જેમાં 8 વર્ષના છોકરા સહિત બે લોકોના મોત થયા હતા. આ દરમિયાન અન્ય ત્રણ લોકો પણ દાઝી ગયા હતા. અગાઉ આ જ મહિનામાં ગોરેગાંવ વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ લાગવાથી સાત લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 40થી વધુ લોકો દાઝી ગયા હતા.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે