મહારાષ્ટ્ર: મંત્રી છગન ભુજબળનું છલકાયું દર્દ 'મારા જીવને જોખમ, કોઈ મને ગોળી મારી શકે છે'


  • Published By :
  • Published Date : 2023-12-14 21:15:20

OBC નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબળે વિધાનસભામાં ખુલાસો કર્યો કે તેમના જીવને જોખમ છે. કોઈ તેમને ગોળી મારી શકે છે. તેમણે ગૃહમાં કહ્યું કે તેઓ મરાઠા આરક્ષણના બિલકુલ વિરોધમાં નથી. મરાઠાઓને અનામત આપવા સામે તેમનો કોઈ વિરોધ નથી. તેના બદલે તેઓ મરાઠા આરક્ષણનું સમર્થન કરી રહ્યા છે.


ભુજબળનું છલકાયું દર્દ


મરાઠા આરક્ષણ મુદ્દે વિધાનસભામાં ચર્ચા દરમિયાન ભુજબળ બોલવા માટે ઉભા થયા ત્યારે ઉદ્ધવસેનાના ધારાસભ્ય ભાસ્કર જાધવે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે મંત્રી ચર્ચામાં કેવી રીતે ભાગ લઈ શકે. તેના પર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ભાસ્કર જાધવના વાંધાને ફગાવી દીધો હતો. ત્યારે ભુજબળે કહ્યું કે મરાઠા આરક્ષણને લઈને મારો કોઈની સાથે વિરોધ નથી. આ બાબતે આપણે બધા એકમત છીએ. વિપક્ષની સાથે સાથે વિવિધ સંગઠનોનું કહેવું છે કે ઓબીસીના આરક્ષણ સાથે સમાધાન કર્યા વિના મરાઠા સમુદાયને અનામત આપવી જોઈએ. જો કોઈ તેનો વિરોધ નથી કરતું તો મને શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે? શા માટે અમારી વિરૂધ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે? શા માટે મને ટાર્ગેટ આપવામાં આવે છે?


'મને શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે?'


છગન ભુજબળે ગૃહમાં કહ્યું કે તમામ પક્ષોએ સંયુક્ત રીતે નક્કી કર્યું છે કે ઓબીસી સમુદાયને આપવામાં આવેલા અનામત ક્વોટામાંથી મરાઠા સમુદાયને અનામત ન આપવી જોઈએ, તો પછી મને શા માટે નિશાન બનાવવામાં આવી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે મરાઠા સમાજમાં તેમની છબી ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમને મરાઠા વિરોધી સાબિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.


'મારો કાર્યક્રમ પૂરો થશે'


ભુજબળે કહ્યું કે મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તેમનો કાર્યક્રમ પૂરો કરવામાં આવશે. મનોજ જરાંગે પાટીલના નિવેદન બાદ પોલીસે અચાનક મારી સુરક્ષા વધારી દીધી હતી. જ્યારે મેં પોલીસને આ વિશે પૂછ્યું તો તેઓએ મને કહ્યું કે મારા જીવને જોખમ છે. ઇનપુટ રિપોર્ટ્સથી જાણવા મળ્યું છે કે કોઈ તમને ગોળી મારી શકે છે, તેથી તમારી સુરક્ષા વધારી દેવામાં આવી છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે