મહારાષ્ટ્ર: મંત્રી છગન ભુજબળનું છલકાયું દર્દ 'મારા જીવને જોખમ, કોઈ મને ગોળી મારી શકે છે'


  • Published By :
  • Published Date : 2023-12-14 21:15:20

OBC નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબળે વિધાનસભામાં ખુલાસો કર્યો કે તેમના જીવને જોખમ છે. કોઈ તેમને ગોળી મારી શકે છે. તેમણે ગૃહમાં કહ્યું કે તેઓ મરાઠા આરક્ષણના બિલકુલ વિરોધમાં નથી. મરાઠાઓને અનામત આપવા સામે તેમનો કોઈ વિરોધ નથી. તેના બદલે તેઓ મરાઠા આરક્ષણનું સમર્થન કરી રહ્યા છે.


ભુજબળનું છલકાયું દર્દ


મરાઠા આરક્ષણ મુદ્દે વિધાનસભામાં ચર્ચા દરમિયાન ભુજબળ બોલવા માટે ઉભા થયા ત્યારે ઉદ્ધવસેનાના ધારાસભ્ય ભાસ્કર જાધવે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે મંત્રી ચર્ચામાં કેવી રીતે ભાગ લઈ શકે. તેના પર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે ભાસ્કર જાધવના વાંધાને ફગાવી દીધો હતો. ત્યારે ભુજબળે કહ્યું કે મરાઠા આરક્ષણને લઈને મારો કોઈની સાથે વિરોધ નથી. આ બાબતે આપણે બધા એકમત છીએ. વિપક્ષની સાથે સાથે વિવિધ સંગઠનોનું કહેવું છે કે ઓબીસીના આરક્ષણ સાથે સમાધાન કર્યા વિના મરાઠા સમુદાયને અનામત આપવી જોઈએ. જો કોઈ તેનો વિરોધ નથી કરતું તો મને શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે? શા માટે અમારી વિરૂધ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે? શા માટે મને ટાર્ગેટ આપવામાં આવે છે?


'મને શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે?'


છગન ભુજબળે ગૃહમાં કહ્યું કે તમામ પક્ષોએ સંયુક્ત રીતે નક્કી કર્યું છે કે ઓબીસી સમુદાયને આપવામાં આવેલા અનામત ક્વોટામાંથી મરાઠા સમુદાયને અનામત ન આપવી જોઈએ, તો પછી મને શા માટે નિશાન બનાવવામાં આવી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે મરાઠા સમાજમાં તેમની છબી ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમને મરાઠા વિરોધી સાબિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.


'મારો કાર્યક્રમ પૂરો થશે'


ભુજબળે કહ્યું કે મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તેમનો કાર્યક્રમ પૂરો કરવામાં આવશે. મનોજ જરાંગે પાટીલના નિવેદન બાદ પોલીસે અચાનક મારી સુરક્ષા વધારી દીધી હતી. જ્યારે મેં પોલીસને આ વિશે પૂછ્યું તો તેઓએ મને કહ્યું કે મારા જીવને જોખમ છે. ઇનપુટ રિપોર્ટ્સથી જાણવા મળ્યું છે કે કોઈ તમને ગોળી મારી શકે છે, તેથી તમારી સુરક્ષા વધારી દેવામાં આવી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે