મહારાષ્ટ્રઃ પાલઘરમાં સાધુઓની હત્યાનો કેસ CBIને સોંપાયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 13:33:34

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં 2020માં સાધુઓની માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મહારાષ્ટ્રની એકનાથ શિંદેની સરકાર સીબીઆઈને સોંપવા માટે તૈયાર છે. મહારાષ્ટ્ર સરકારે એફિડેવિટ દાખલ કરી આવા સંકેત આપ્યા છે. એફિડેવિટમાં શિંદે સરકારે જણાવ્યું હતું કે મોબ લિંચિંગ કેસની સીબીઆઈ તપાસ કરાવવામાં તેમને કોઈ વાંધો નથી. 


શું હતો પાલઘર મોબ લિંચિંગનો મામલો?

વર્ષ 2020માં સાધુ સમાજના અમુક લોકો લોકડાઉનના સમયમાં મુંબઈથી સુરત જઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસની હાજરમાં ગડચિનચાઈલ ગામમાં એક ભીડે તેમના પર હુમલો કરી દીધો હતો જેના કારણે સાધુઓના નિધન થઈ ગયા હતા. ગામના લોકોને લાગ્યું હતું કે આ સાધુ નથી અને ચોર છે માટે તેમણે સાધુઓ પર હુમલો કરી દીધો હતો. 


શા માટે મહારાષ્ટ્ર સરકારે કરી CBI તપાસની માગ?

મહારાષ્ટ્ર સરકારની તપાસ પર શંકા રાખતા મૃતક સાધુઓના મંડળે અને જૂના અખાડાના સાધુઓએ એએનઆઈ અને સીબીઆઈ તપાસની માગણી કરી હતી. હિંદુત્વ તરફ જુકાવ રાખતી શિવસેના સરકાર સાધુઓની માગના કારણે તપાસ કરાવવા ઈચ્છી રહી છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે