મહારાષ્ટ્રઃ પાલઘરમાં સાધુઓની હત્યાનો કેસ CBIને સોંપાયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 13:33:34

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં 2020માં સાધુઓની માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મહારાષ્ટ્રની એકનાથ શિંદેની સરકાર સીબીઆઈને સોંપવા માટે તૈયાર છે. મહારાષ્ટ્ર સરકારે એફિડેવિટ દાખલ કરી આવા સંકેત આપ્યા છે. એફિડેવિટમાં શિંદે સરકારે જણાવ્યું હતું કે મોબ લિંચિંગ કેસની સીબીઆઈ તપાસ કરાવવામાં તેમને કોઈ વાંધો નથી. 


શું હતો પાલઘર મોબ લિંચિંગનો મામલો?

વર્ષ 2020માં સાધુ સમાજના અમુક લોકો લોકડાઉનના સમયમાં મુંબઈથી સુરત જઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસની હાજરમાં ગડચિનચાઈલ ગામમાં એક ભીડે તેમના પર હુમલો કરી દીધો હતો જેના કારણે સાધુઓના નિધન થઈ ગયા હતા. ગામના લોકોને લાગ્યું હતું કે આ સાધુ નથી અને ચોર છે માટે તેમણે સાધુઓ પર હુમલો કરી દીધો હતો. 


શા માટે મહારાષ્ટ્ર સરકારે કરી CBI તપાસની માગ?

મહારાષ્ટ્ર સરકારની તપાસ પર શંકા રાખતા મૃતક સાધુઓના મંડળે અને જૂના અખાડાના સાધુઓએ એએનઆઈ અને સીબીઆઈ તપાસની માગણી કરી હતી. હિંદુત્વ તરફ જુકાવ રાખતી શિવસેના સરકાર સાધુઓની માગના કારણે તપાસ કરાવવા ઈચ્છી રહી છે. 




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .