મહારાષ્ટ્રમાં ક્રિકેટ બુકીના ઘરે પોલીસની રેડ, 14 કિલો સોનું, 200 કિલો ચાંદી અને રૂ.17 કરોડ જપ્ત, આરોપી ફરાર


  • Published By :
  • Published Date : 2023-07-23 16:19:19

મહારાષ્ટ્રના ગોંદિયામાં સ્થિત એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બુકીએ એક વેપારીને નકલી સટ્ટાબાજીની એપ્સમાં રોકાણ કરવાની લાલચ આપી અને પછી તેની સાથે રૂ. 58 કરોડની છેતરપિંડી કરી લીધી. જ્યારે નાગપુર પોલીસે કાકા ચોક ખાતે આરોપીના ઘરે દરોડો પાડ્યો તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. અહીં પોલીસને 17 કરોડ રૂપિયાથી વધુની રોકડ, લગભગ 14 કિલો સોનું અને 200 કિલો ચાંદી મળી આવી છે, જેને જપ્ત કરવામાં આવી છે. પોલીસના દરોડા પહેલા જ આરોપીઓ ઘરમાંથી ભાગી ગયા હતા. વધુ તપાસ ચાલુ છે. ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ બનાવનાર કથિત ‘બુકી’ અનંત ઉર્ફે સોન્ટુ નવરતન જૈન નાગપુરથી 160 કિમી દૂર ગોંદિયા શહેરમાં રહેતો હતો. જ્યારે પોલીસે જૈનના ઘરે દરોડો પાડ્યો ત્યારે તે તેના એક દિવસ પહેલા જ દુબઈ ભાગી ગયો હતો.


કઈ રીતે પોલ ખુલી?


નાગપુરના પોલીસ આયુક્ત અમિતેશ કુમારે જણાવ્યું હતું કે, “જૈને ફરિયાદી – એક વેપારીને ઓનલાઈન જુગારમાંથી પૈસા કમાવવાની લાલચ આપી હતી. પ્રારંભિક ખચકાટ પછી, વેપારી જૈનની લાલચમાં આવી ગયો અને હવાલા એજન્ટ દ્વારા 8 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા.” જૈને વેપારીને વોટ્સએપ પર ઓનલાઈન જુગાર ખાતું ખોલવા માટે એક લિંક આપી હતી. વેપારીને ખાતામાં 8 લાખ રૂપિયા જમા મળ્યા અને તેણે જુગાર રમવાનું શરૂ કર્યું.” પોલીસ કમિશનરે કહ્યું કે, શરૂઆતની સફળતા પછી, વેપારીને આંચકો લાગવા માંડ્યો કારણ કે તેણે માત્ર રૂ. 5 કરોડ જીત્યા હતા પરંતુ બાદમાં રૂ.58 કરોડ ગુમાવ્યા. બિઝનેસમેનને પછી શંકા થઈ કારણ કે તે મોટાભાગે ખોટમાં હતો અને તેણે તેના પૈસા પાછા માંગ્યા, પરંતુ જૈને ના પાડી. કમિશનરે કહ્યું, ‘વેપારીએ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી, ત્યારબાદ ભારતીય દંડ સંહિતા હેઠળ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો. પોલીસે આજે ગોંદિયામાં જૈનના ઘરે દરોડો પાડ્યો હતો.


આરોપી દુબઈ ફરાર


પોલીસના આ દરોડા દરમિયાન આરોપી બુકીના ઘરેથી 17 કરોડ રૂપિયા રોકડા, 14 કિલો સોનું અને 200 કિલો ચાંદીના રૂપમાં સોનાના બિસ્કિટ અને જ્વેલરી મળી આવી હતી. જોકે, બુકી જૈન પોલીસને ચકમો આપી ગયો હતો. તે દુબઈ ભાગી ગયો હોવાની આશંકા છે, અધિકારીએ જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલી સંપત્તિની કુલ કિંમત હજુ નક્કી કરવાની બાકી છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .