લાલબાગ ચા રાજાની પહેલી ઝલકે સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 11:32:59

વિવિધતાથી ભરેલા ભારતમાં તમામ ધર્મના લોકો સાથે મળીને ભવ્ય રીતે તહેવારો ઉજવે છે. હિંદુ ધર્મના મોટા તહેવારોમાંનો એક તહેવાર એટલે ગણેશોત્સવ. જમાવટ પર આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર કરો લાલ બાગ ચા રાજાના દર્શન


મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં સ્થિત પરેલ વિસ્તારમાં લાલબાગ ચા રાજા વિઘ્નહર્તા ગણેશની મૂર્તિ ગઈકાલે રાત્રે ભક્તો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. કોરોનાના કપરા કાળમાંથી પસાર થયા બાદ અંતે બે વર્ષ બાદ ગણેશ બાપ્પાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. પ્રતિવર્ષ લાલ બાગમાં ભવ્ય રીતે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. ઢોલ-નગારા અને ડીજેના તાલે મુંબઈના લોકો લાલ બાગ ચા રાજાનું સ્વાગત કરે છે. ત્યારે ગઈકાલે રાતે જ લાલ બાગ ચા રાજાની પહેલી ઝલક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. મોટી સંખ્યામાં લોકોએ બાપ્પાની પહેલી ઝલક મેળવી હતી.  


કેમ 'લાલ બાગ ચા રાજા' પ્રત્યે છે લોકોને અપાર લાગણી?

વર્ષ 1934માં ચિંચપોકલીના કોલીઓએ સાર્વજનિક ગણેશોત્સવ લાલબાગ ચા રાજા મંડળની સ્થાપના કરી હતી. મુંબઈના લાલબાગ ચા રાજા મહારાષ્ટ્ર સહિત દેશભરમાં પ્રખ્યાત છે. મહારાષ્ટ્રમાં જ 50 હજારથી વધારે ગણેશ મંડળ છે, જ્યારે દેશભરમાં તો જુજ સંખ્યામાં ગણેશ મંડળ છે, જે ભાવ સાથે ગણેશોત્સવ ઉજવે છે.  


વર્ષ 2022માં ક્યારે ઉજવાશે ગણેશોત્સવ?

ગણેશ ચતુર્થી વિક્રમ સવંતની ભાદરવા સુદ ચોથના રોજ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ગણેશોત્સવ 10 દિવસ ચાલે છે અને અનંત ચતુદર્શીના રોજ તહેવાર પૂર્ણ થાય છે. દસ દિવસ બાદ રંગેચંગે ગણેશમૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. 31 ઓગસ્ટ 2022ના રોજ દેશભરમાં ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. 


ગણેશોત્સવ પર જમાવટની તમને નમ્ર અપીલ  

ગણેશ મંડળો અને ઘરોમાં ગણેશ સ્થાપના દરમિયાન લોકો પ્લાસ્ટર ઓફ પેરીસ એટલે કે સામાન્ય બોલચાલની ભાષામાં પીઓપીની મૂર્તિ ખરીદતા હોય છે. પ્લાસ્ટર ઓફ પેરીસ એક ખાસ કેમિકલ હોય છે જે સખત હોય છે. PoPને પાણીમાં ઓગળવામાં બહુ સમય લઈ લે છે. જમાવટ તમને ખાસ અપીલ કરે છે કે મૂર્તિ ખરીદવા સમયે બની શકે તો ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ જ ખરીદો. કારણ કે, વિસર્જન બાદ ગણેશ મૂર્તિ તળાવ કે સાર્વજનિક સ્થાનોમાં ઓગળતી નથી અને વિસર્જિત થયેલા સ્થાને પાણીમાં મૂર્તિ એમ જ પડી રહે છે. પાણી સૂકાયા બાદ મૂર્તિ દેખાય છે ત્યારે મૂર્તિની સ્થિતિ ખૂબ ખરાબ હોય છે. જે ધાર્મિક આસ્થા અને પર્યાવરણ માટે ખરાબ બાબત છે. જમાવટની આપને નમ્ર અપીલ છે કે ધામધુમથી ગણેશોત્સવ ઉજવો પરંતુ માટીના ગણેશ કે ઈકો-ફ્રેન્ડલી ગણેશની સ્થાપના કરીને પર્યાવરણની રક્ષા કરો.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી