Maharastra : મરાઠા અનામત આંદોલન કરી રહેલા મનોજ જરાંગે સમેટ્યું આંદોલન, માગ સ્વીકારાતા એકનાથ શિંદે માટે મનોજે કહી આ વાત.. જાણો


  • Published By :
  • Published Date : 2024-01-27 11:00:57

મરાઠા અનામત આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત મનોજ જરાંગ દ્વારા કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઈ આંદોલન ચલાવવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારે અનામતની માગને લઈ આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગ પાટીલની માગણીઓને સ્વીકારી લેવામાં આવી છે સરકાર દ્વારા. જરાંગે રાજ્યના મુખ્યમંત્રીની પ્રશંસા પણ કરી છે. પ્રશંસા કરતા તેમણે કહ્યું કે 'મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે. અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે.'

આ માગ સાથે મનોજ જરાંગ કરી રહ્યા હતા આંદોલન!  

મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન ચાલી રહ્યું હતું, આરક્ષણને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો હતો. મરાઠા સમુદાય માટે આરક્ષણ માટે મનોજ જરાંગ પાટીલ આંદોલન કરી રહ્યા હતા. મનોજ જરાંગ પાટીલની માગ હતી કે મરાઠા સમાજના લોકો ઓબીસી હેઠળ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં આરક્ષણ માટે વિરોધ કરી રહ્યા છે. મનોજ જરાંગની પહેલી માગ હતી કે મરાઠા સમુદાયને ફૂલપ્રૂફ આરક્ષણ મળવું જોઈએ.અનામત આંદોલનકારીઓ સામે નોંધાયેલા ગુનાઓ રદ્દ કરવા માટે તારીખ નક્કી કરવી જોઈએ. ઉપરાંત એવી માગ કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમુદાયના આર્થિક અને સામાજીક પછાતપણાના સર્વેક્ષણ માટે ભંડોળ પૂરૂં પાડે અને ઘણી ટીમો બનાવે. મરાઠાઓને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપતો સરકારી આદેશ પસાર થવો જોઈએ અને તેમાં મહારાષ્ટ્ર શબ્દનો સમાવેશ થવો જોઈએ.

મુખ્યમંત્રી એકનાથ શિંદે માટે કહી આ વાત! 

મનોજ જરાંગ દ્વારા સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. શનિવાર સવારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મનોજ જરાંગે પાટીલની માંગણીઓને સ્વીકારી લેવામાં આવી છે. સરકાર દ્વારા માગણીનો સ્વીકાર કરાતા વિરોધ સમાપ્ત થઈ ગયો છે. અનામતની માગ કરી રહેલા મનોજ જરાંગે પ્રતિક્રિયા આપી છે કે 'મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે. અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે. અમારી માગને સ્વીકારવામાં આવી છે. અમે તેમનો પત્ર સ્વીકારીશું.'. એકનાથ શિંદે મનોજ જરાંગ સાથે મુલાકાત કરી હતી.       



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે