Maharastra : મરાઠા અનામત આંદોલન કરી રહેલા મનોજ જરાંગે સમેટ્યું આંદોલન, માગ સ્વીકારાતા એકનાથ શિંદે માટે મનોજે કહી આ વાત.. જાણો


  • Published By :
  • Published Date : 2024-01-27 11:00:57

મરાઠા અનામત આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત મનોજ જરાંગ દ્વારા કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઈ આંદોલન ચલાવવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારે અનામતની માગને લઈ આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગ પાટીલની માગણીઓને સ્વીકારી લેવામાં આવી છે સરકાર દ્વારા. જરાંગે રાજ્યના મુખ્યમંત્રીની પ્રશંસા પણ કરી છે. પ્રશંસા કરતા તેમણે કહ્યું કે 'મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે. અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે.'

આ માગ સાથે મનોજ જરાંગ કરી રહ્યા હતા આંદોલન!  

મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન ચાલી રહ્યું હતું, આરક્ષણને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો હતો. મરાઠા સમુદાય માટે આરક્ષણ માટે મનોજ જરાંગ પાટીલ આંદોલન કરી રહ્યા હતા. મનોજ જરાંગ પાટીલની માગ હતી કે મરાઠા સમાજના લોકો ઓબીસી હેઠળ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં આરક્ષણ માટે વિરોધ કરી રહ્યા છે. મનોજ જરાંગની પહેલી માગ હતી કે મરાઠા સમુદાયને ફૂલપ્રૂફ આરક્ષણ મળવું જોઈએ.અનામત આંદોલનકારીઓ સામે નોંધાયેલા ગુનાઓ રદ્દ કરવા માટે તારીખ નક્કી કરવી જોઈએ. ઉપરાંત એવી માગ કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમુદાયના આર્થિક અને સામાજીક પછાતપણાના સર્વેક્ષણ માટે ભંડોળ પૂરૂં પાડે અને ઘણી ટીમો બનાવે. મરાઠાઓને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપતો સરકારી આદેશ પસાર થવો જોઈએ અને તેમાં મહારાષ્ટ્ર શબ્દનો સમાવેશ થવો જોઈએ.

મુખ્યમંત્રી એકનાથ શિંદે માટે કહી આ વાત! 

મનોજ જરાંગ દ્વારા સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. શનિવાર સવારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મનોજ જરાંગે પાટીલની માંગણીઓને સ્વીકારી લેવામાં આવી છે. સરકાર દ્વારા માગણીનો સ્વીકાર કરાતા વિરોધ સમાપ્ત થઈ ગયો છે. અનામતની માગ કરી રહેલા મનોજ જરાંગે પ્રતિક્રિયા આપી છે કે 'મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે. અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે. અમારી માગને સ્વીકારવામાં આવી છે. અમે તેમનો પત્ર સ્વીકારીશું.'. એકનાથ શિંદે મનોજ જરાંગ સાથે મુલાકાત કરી હતી.       



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.