Maharastra : મરાઠા અનામત આંદોલન કરી રહેલા મનોજ જરાંગે સમેટ્યું આંદોલન, માગ સ્વીકારાતા એકનાથ શિંદે માટે મનોજે કહી આ વાત.. જાણો


  • Published By :
  • Published Date : 2024-01-27 11:00:57

મરાઠા અનામત આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત મનોજ જરાંગ દ્વારા કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઈ આંદોલન ચલાવવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારે અનામતની માગને લઈ આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગ પાટીલની માગણીઓને સ્વીકારી લેવામાં આવી છે સરકાર દ્વારા. જરાંગે રાજ્યના મુખ્યમંત્રીની પ્રશંસા પણ કરી છે. પ્રશંસા કરતા તેમણે કહ્યું કે 'મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે. અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે.'

આ માગ સાથે મનોજ જરાંગ કરી રહ્યા હતા આંદોલન!  

મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન ચાલી રહ્યું હતું, આરક્ષણને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો હતો. મરાઠા સમુદાય માટે આરક્ષણ માટે મનોજ જરાંગ પાટીલ આંદોલન કરી રહ્યા હતા. મનોજ જરાંગ પાટીલની માગ હતી કે મરાઠા સમાજના લોકો ઓબીસી હેઠળ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં આરક્ષણ માટે વિરોધ કરી રહ્યા છે. મનોજ જરાંગની પહેલી માગ હતી કે મરાઠા સમુદાયને ફૂલપ્રૂફ આરક્ષણ મળવું જોઈએ.અનામત આંદોલનકારીઓ સામે નોંધાયેલા ગુનાઓ રદ્દ કરવા માટે તારીખ નક્કી કરવી જોઈએ. ઉપરાંત એવી માગ કરી હતી કે મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમુદાયના આર્થિક અને સામાજીક પછાતપણાના સર્વેક્ષણ માટે ભંડોળ પૂરૂં પાડે અને ઘણી ટીમો બનાવે. મરાઠાઓને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપતો સરકારી આદેશ પસાર થવો જોઈએ અને તેમાં મહારાષ્ટ્ર શબ્દનો સમાવેશ થવો જોઈએ.

મુખ્યમંત્રી એકનાથ શિંદે માટે કહી આ વાત! 

મનોજ જરાંગ દ્વારા સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. શનિવાર સવારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મનોજ જરાંગે પાટીલની માંગણીઓને સ્વીકારી લેવામાં આવી છે. સરકાર દ્વારા માગણીનો સ્વીકાર કરાતા વિરોધ સમાપ્ત થઈ ગયો છે. અનામતની માગ કરી રહેલા મનોજ જરાંગે પ્રતિક્રિયા આપી છે કે 'મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે. અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે. અમારી માગને સ્વીકારવામાં આવી છે. અમે તેમનો પત્ર સ્વીકારીશું.'. એકનાથ શિંદે મનોજ જરાંગ સાથે મુલાકાત કરી હતી.       



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.