મહા સુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માની જયંતી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-02 16:08:10

મહાસુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માની જયંતી. વિશ્વકર્મા જયંતી  આવતી કાલે એટલે કે 3 ફેબ્રુઆરીના રોજ આવી રહી છે. ભગવાન વિશ્વકર્માને દુનિયાના સર્વ પ્રથમ વાસ્તુકાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિશ્વકર્માએ સ્વર્ગલોક, હસ્તીનાપુર, દ્વારકા જેવા નગરોનું નિર્માણ કર્યું હતું. સામાન્ય ભાષામાં કહીએ તો  ભગવાન વિશ્વકર્મા દેવતાઓના એન્જિનિયર કહેવાય છે. 

દેવતાઓના શિલ્પી છે ભગવાન વિશ્વકર્મા, રાવણની સોનાની લંકા અને શ્રીકૃષ્ણની  દ્વારિકા નગરીનું કર્યું હતું નિર્માણ | Lord Vishwakarma Jayanti On 17  September ...

મિસ્ત્રી કામ સાથે જોડાયેલા લોકો ભગવાન વિશ્વકર્માને તેમના આરાધ્ય કે કુળદેવતા રૂપે પૂજે છે. આ દિવસે કળા કૌશલ્ય ધરાવનાર વ્યક્તિ અને મશીન સાથે જોડાયેલા લોકો આ દિવસે તેમના સાધનો અને મશીનોની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે પૂજા કરવાથી વેપાર-ધંધામાં વૃદ્ધિ થાય છે. 


શાસ્ત્રોમાં ભગવાન વિશ્વકર્માની પૂજાને વિશેષ માનવામાં આવે છે. અનેક લોકો ઘરોમાં, કારખાનાઓ અને ઓદ્યોગિક સંસ્થાઓ દ્વારા વિશ્વકર્માની પૂજા કરવામાં આવે છે. કળિયુગમાં ભગવાન વિશ્વકર્માની પૂજા લોકો કરતા હોય છે કારણ કે ટેક્નોલોજી સાથે અનેક લોકો સંકળાયેલા હોય છે. આ તહેવાર એવા લોકો માટે જરૂરી છે જે કળાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ફર્નિચર બનાવનાર, મશીનરી સાથે સંકળાયેલા લોકો માટે આ દિવસ ખાસ હોય છે.      




સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...