મહા સુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માની જયંતી


  • Published By :
  • Published Date : 2023-02-02 16:08:10

મહાસુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માની જયંતી. વિશ્વકર્મા જયંતી  આવતી કાલે એટલે કે 3 ફેબ્રુઆરીના રોજ આવી રહી છે. ભગવાન વિશ્વકર્માને દુનિયાના સર્વ પ્રથમ વાસ્તુકાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિશ્વકર્માએ સ્વર્ગલોક, હસ્તીનાપુર, દ્વારકા જેવા નગરોનું નિર્માણ કર્યું હતું. સામાન્ય ભાષામાં કહીએ તો  ભગવાન વિશ્વકર્મા દેવતાઓના એન્જિનિયર કહેવાય છે. 

દેવતાઓના શિલ્પી છે ભગવાન વિશ્વકર્મા, રાવણની સોનાની લંકા અને શ્રીકૃષ્ણની  દ્વારિકા નગરીનું કર્યું હતું નિર્માણ | Lord Vishwakarma Jayanti On 17  September ...

મિસ્ત્રી કામ સાથે જોડાયેલા લોકો ભગવાન વિશ્વકર્માને તેમના આરાધ્ય કે કુળદેવતા રૂપે પૂજે છે. આ દિવસે કળા કૌશલ્ય ધરાવનાર વ્યક્તિ અને મશીન સાથે જોડાયેલા લોકો આ દિવસે તેમના સાધનો અને મશીનોની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે પૂજા કરવાથી વેપાર-ધંધામાં વૃદ્ધિ થાય છે. 


શાસ્ત્રોમાં ભગવાન વિશ્વકર્માની પૂજાને વિશેષ માનવામાં આવે છે. અનેક લોકો ઘરોમાં, કારખાનાઓ અને ઓદ્યોગિક સંસ્થાઓ દ્વારા વિશ્વકર્માની પૂજા કરવામાં આવે છે. કળિયુગમાં ભગવાન વિશ્વકર્માની પૂજા લોકો કરતા હોય છે કારણ કે ટેક્નોલોજી સાથે અનેક લોકો સંકળાયેલા હોય છે. આ તહેવાર એવા લોકો માટે જરૂરી છે જે કળાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ફર્નિચર બનાવનાર, મશીનરી સાથે સંકળાયેલા લોકો માટે આ દિવસ ખાસ હોય છે.      




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.