મહાઠગ કિરણ પટેલને લવાયો અમદાવાદ, નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલની જમ્મુ-કાશ્મીર પોલીસે કરી હતી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-04-08 11:17:57

નકલી પીએમો અધિકારી બની બેઠેલા કિરણ પટેલની ધરપકડ જમ્મુ- કાશ્મીરમાં થોડા સમય પહેલા કરવામાં આવી હતી. ઠગ કિરણ પટેલ વિરૂદ્ધ અમદાવાદમાં પણ અનેક ફરિયાદો દાખલ કરવામાં આવી છે. મહાઠગ કિરણ પટેલને જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જમ્મુ-કાશ્મીર પહોંચી ગઈ હતી 40 કલાકની લાંબી મુસાફરી બાદ ગઈ કાલે રાત્રે કિરણ પટેલ અમદાવાદ આવી પહોંચ્યો હતો. મોડી રાત્રે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ ગુજરાત પોલીસને સોંપી દેવાયો હતો. કિરણ પટેલની સઘન પૂછપરછ કરવામાં આવશે. આ દરમિયાન અનેક મોટા ઘટસ્ફોટ થઈ શકે છે.    

Ahemdabad crime branch brought  Kiran Patel to Ahmedabad, intensive interrogation will start from today Crime News: મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લવાયો,આજથી શરૂ થશે સઘન પૂછપરછ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગઈ હતી જમ્મુ-કાશ્મીર

નકલી પીએમઓ બની બેઠેલા મહાઠગ કિરણ પટેલે અનેક સુવિધોઓનો લાભ લીધો હતો. જમ્મુ-કાશ્મીરમાં એવા સંવેદનશીલ વિસ્તારોમાં હાઈ સિક્યુરીટી સાથે ફરતો હતો. પરંતુ તેની અસલ ઓળખ સામે આવતા જમ્મુ-કાશ્મીર પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. કિરણ પટેલને અમદાવાદ લાવવા જમ્મુ-કાશ્મીર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી. બાય રોડ મહાઠગ કિરણ પટેલને અમદાવાદ મોડી રાત્રે લાવવામાં આવ્યો હતો. 


કિરણ પટેલ વિરૂદ્ધ થશે કાર્યવાહી 

છેલ્લા ઘણા સમયથી મહાઠગ કિરણ પટેલની ચર્ચાઓ કરવામાં આવી રહી છે. નકલી પીએમઓ બની બેઠેલા કિરણ પટેલની ઓળખ થયા બાદ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. કિરણ પટેલ વિરૂદ્ધ અનેક ગુન્હાઓ નોંધાયા છે. કિરણ પટેલે અને તેની પત્ની માલિની પટેલ પર બીજો પણ એક ગંભીર આરોપ છે. જગદીશ ચાવડાનો સિંધુ ભવન ખાતે આવેલો બંગલો મહાઠગ અને તેની પત્નીએ પચાવી પાડ્યો હતો. આ મામલે કિરણ પટેલની પત્ની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે મહાઠગ કિરણ પટેલ પણ અમદાવાદ આવી ગયો છે, તેની સઘન પૂછપરછ કરવામાં આવશે. ત્યારે મહત્વનું છે કે આ દરમિયાન અનેક ઘટસ્ફોટ સામે આવી શકે છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.