મહાઠગ કિરણ પટેલને લવાયો અમદાવાદ, નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા કિરણ પટેલની જમ્મુ-કાશ્મીર પોલીસે કરી હતી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-04-08 11:17:57

નકલી પીએમો અધિકારી બની બેઠેલા કિરણ પટેલની ધરપકડ જમ્મુ- કાશ્મીરમાં થોડા સમય પહેલા કરવામાં આવી હતી. ઠગ કિરણ પટેલ વિરૂદ્ધ અમદાવાદમાં પણ અનેક ફરિયાદો દાખલ કરવામાં આવી છે. મહાઠગ કિરણ પટેલને જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જમ્મુ-કાશ્મીર પહોંચી ગઈ હતી 40 કલાકની લાંબી મુસાફરી બાદ ગઈ કાલે રાત્રે કિરણ પટેલ અમદાવાદ આવી પહોંચ્યો હતો. મોડી રાત્રે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ ગુજરાત પોલીસને સોંપી દેવાયો હતો. કિરણ પટેલની સઘન પૂછપરછ કરવામાં આવશે. આ દરમિયાન અનેક મોટા ઘટસ્ફોટ થઈ શકે છે.    

Ahemdabad crime branch brought  Kiran Patel to Ahmedabad, intensive interrogation will start from today Crime News: મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લવાયો,આજથી શરૂ થશે સઘન પૂછપરછ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગઈ હતી જમ્મુ-કાશ્મીર

નકલી પીએમઓ બની બેઠેલા મહાઠગ કિરણ પટેલે અનેક સુવિધોઓનો લાભ લીધો હતો. જમ્મુ-કાશ્મીરમાં એવા સંવેદનશીલ વિસ્તારોમાં હાઈ સિક્યુરીટી સાથે ફરતો હતો. પરંતુ તેની અસલ ઓળખ સામે આવતા જમ્મુ-કાશ્મીર પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. કિરણ પટેલને અમદાવાદ લાવવા જમ્મુ-કાશ્મીર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી. બાય રોડ મહાઠગ કિરણ પટેલને અમદાવાદ મોડી રાત્રે લાવવામાં આવ્યો હતો. 


કિરણ પટેલ વિરૂદ્ધ થશે કાર્યવાહી 

છેલ્લા ઘણા સમયથી મહાઠગ કિરણ પટેલની ચર્ચાઓ કરવામાં આવી રહી છે. નકલી પીએમઓ બની બેઠેલા કિરણ પટેલની ઓળખ થયા બાદ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. કિરણ પટેલ વિરૂદ્ધ અનેક ગુન્હાઓ નોંધાયા છે. કિરણ પટેલે અને તેની પત્ની માલિની પટેલ પર બીજો પણ એક ગંભીર આરોપ છે. જગદીશ ચાવડાનો સિંધુ ભવન ખાતે આવેલો બંગલો મહાઠગ અને તેની પત્નીએ પચાવી પાડ્યો હતો. આ મામલે કિરણ પટેલની પત્ની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે તેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે મહાઠગ કિરણ પટેલ પણ અમદાવાદ આવી ગયો છે, તેની સઘન પૂછપરછ કરવામાં આવશે. ત્યારે મહત્વનું છે કે આ દરમિયાન અનેક ઘટસ્ફોટ સામે આવી શકે છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.