શું ગાંધીજીને મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, 4 વર્ષના રાજીવ ગાધીને શું કહ્યું હતું? જાણો


  • Published By : Utpal Dave
  • Published Date : 2023-01-30 21:21:35

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે પુણ્ય તિથિ છે, 30 જાન્યુઆરી 1948ના દિવસે આજના દિવસે જ નાથૂરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. આજ અનેક ગાંધીવાદીઓ દાવો કરી રહ્યા છે કે મોત પહેલા મહાત્મા ગાંધીને તેમના મૃત્યુનો આભાશ થઈ ગયો હતો. શું ખરેખર ગાંધીજી તેમના મોત અંગે કાંઈ બોલ્યા હતા, આવો જાણીએ


ગાંધીજીએ મોત અંગે કર્યું હતું પૂર્વાનુમાન


20 જાન્યુઆરી 1948 એટલે કે મોતના 10 દિવસ પહેલા જ ગાંધીજીની હત્યાનો પ્રયાસ થયો હતો. જો કે તેમાં  તે માંડ-માંડ બચી ગયા હતા. આ ઘટના બાદ ગાંધીજીને તેમની મોતનો આભાશ થઈ ગયો હતો. તેમણે પોતાના મોત અંગે સમાચાર પત્રો, જનસભાઓ અને પ્રાથના સભાના માધ્યમથી લગભગ 14 પૂર્વાનુમાન વ્યક્ત કર્યું હતું. ગાંધીજીએ 21 જાન્યુઆરીએ કહ્યું હતું કે જો કોઈ મારા પર ખુબ જ નજીકથી ગોળીબાર કરે છે તો હું હસતા હસતા રામનું નામ લેતા-લેતા તે ગોળીઓનો સામનો કરુ છું તો હું શુભેચ્છાઓનો હકદાર છું.


ગાંધીજીએ 4 વર્ષના રાજીવને શું કહ્યું હતું? 


ગાંધીજીની હત્યાના એક દિવસ પહેલા જ પંડિત નહેરૂ તેમના પરિવારજનો સાથે ગાંધીજીને મળવા ગયા હતા. જવાહર લાલ નહેરૂ સાથે તેમની બહેન કૃષ્ણા, નયનતારા, રાજીવ ગાંધી, પદ્મજા નાયડૂ પણ હતા. નહેરૂ પરિવાર પહોંચ્યો ત્યારે ગાધીજી બિરલા હાઉસમાં લાકડાની એક ખુરસીમાં બેસીને તાપણું કરીને તાપતા હતા. જવાહરલાલ નહેરૂ સાથે પરિવારના તમામ સભ્યો બિરલા હાઉસની લોન પર બેઠા હતા. આ સમયે 4 વર્ષનો રાજીવ ગાંધી પતંગિયાઓ પાછળ દોડતો હતો. બાદમાં રાજીવ ગાંધી મહાત્મા ગાંધીના પગ નજીક બેસી ગયો, અને તેની મમ્મી ઈન્દિરા ગાધી દ્વારા લાવવામાં આવેલા ચમેલીના ફૂલોને મહાત્મા ગાધીના પગ પર મુકવા લાગ્યો. મહાત્મા ગાંધી આ જોઈને હસવા લાગ્યા અને બાળ રાજીવના કાન પકડીને કહ્યું કે 'આવું ન કરીશ, માત્ર મૃત વ્યક્તિના પગ પર જ ફૂલો ચડાવવામાં આવે છે. ઈન્દિરા ગાંધીની આત્મકથા લખનારા કેથરિન ફ્રેંકે તેમના પુસ્તકમાં તે સાંજનું વિવરણ લખ્યું છે. 



ગુજરાતમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શનિવારે કોરોનાના 372 નવા કેસ નોંધાયા છે. ફરી એક વખત અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 128 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાંથી 34, સુરત જિલ્લામાં 35 તેમજ રાજકોટથી 19 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી 14 કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લાથી 8 કેસ સામે આવ્યા છે.

દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ ઝડપથી કરવામાં આવી હતી. શનિવારે પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને દબોચી લીધો છે.

ગેરકાયદેસર રીતે કોઈપણ દેશમાં લોકો ઘૂસવાની કોશિષ કરતા હોય છે અને જીવન ગુમાવતા હોય છે. ત્યારે કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ સભ્યો મોતને ભેટ્યાં છે. મરનાર લોકોમાં એક પરિવાર ભારતનો હતો.

જયસુખ પટેલ જામીન માટે સતત અરજી કરી રહ્યા છે. આજે પણ જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. રેગ્યુલર જામીન માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે.