શું ગાંધીજીને મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, 4 વર્ષના રાજીવ ગાધીને શું કહ્યું હતું? જાણો


  • Published By :
  • Published Date : 2023-01-30 21:21:35

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે પુણ્ય તિથિ છે, 30 જાન્યુઆરી 1948ના દિવસે આજના દિવસે જ નાથૂરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. આજ અનેક ગાંધીવાદીઓ દાવો કરી રહ્યા છે કે મોત પહેલા મહાત્મા ગાંધીને તેમના મૃત્યુનો આભાશ થઈ ગયો હતો. શું ખરેખર ગાંધીજી તેમના મોત અંગે કાંઈ બોલ્યા હતા, આવો જાણીએ


ગાંધીજીએ મોત અંગે કર્યું હતું પૂર્વાનુમાન


20 જાન્યુઆરી 1948 એટલે કે મોતના 10 દિવસ પહેલા જ ગાંધીજીની હત્યાનો પ્રયાસ થયો હતો. જો કે તેમાં  તે માંડ-માંડ બચી ગયા હતા. આ ઘટના બાદ ગાંધીજીને તેમની મોતનો આભાશ થઈ ગયો હતો. તેમણે પોતાના મોત અંગે સમાચાર પત્રો, જનસભાઓ અને પ્રાથના સભાના માધ્યમથી લગભગ 14 પૂર્વાનુમાન વ્યક્ત કર્યું હતું. ગાંધીજીએ 21 જાન્યુઆરીએ કહ્યું હતું કે જો કોઈ મારા પર ખુબ જ નજીકથી ગોળીબાર કરે છે તો હું હસતા હસતા રામનું નામ લેતા-લેતા તે ગોળીઓનો સામનો કરુ છું તો હું શુભેચ્છાઓનો હકદાર છું.


ગાંધીજીએ 4 વર્ષના રાજીવને શું કહ્યું હતું? 


ગાંધીજીની હત્યાના એક દિવસ પહેલા જ પંડિત નહેરૂ તેમના પરિવારજનો સાથે ગાંધીજીને મળવા ગયા હતા. જવાહર લાલ નહેરૂ સાથે તેમની બહેન કૃષ્ણા, નયનતારા, રાજીવ ગાંધી, પદ્મજા નાયડૂ પણ હતા. નહેરૂ પરિવાર પહોંચ્યો ત્યારે ગાધીજી બિરલા હાઉસમાં લાકડાની એક ખુરસીમાં બેસીને તાપણું કરીને તાપતા હતા. જવાહરલાલ નહેરૂ સાથે પરિવારના તમામ સભ્યો બિરલા હાઉસની લોન પર બેઠા હતા. આ સમયે 4 વર્ષનો રાજીવ ગાંધી પતંગિયાઓ પાછળ દોડતો હતો. બાદમાં રાજીવ ગાંધી મહાત્મા ગાંધીના પગ નજીક બેસી ગયો, અને તેની મમ્મી ઈન્દિરા ગાધી દ્વારા લાવવામાં આવેલા ચમેલીના ફૂલોને મહાત્મા ગાધીના પગ પર મુકવા લાગ્યો. મહાત્મા ગાંધી આ જોઈને હસવા લાગ્યા અને બાળ રાજીવના કાન પકડીને કહ્યું કે 'આવું ન કરીશ, માત્ર મૃત વ્યક્તિના પગ પર જ ફૂલો ચડાવવામાં આવે છે. ઈન્દિરા ગાંધીની આત્મકથા લખનારા કેથરિન ફ્રેંકે તેમના પુસ્તકમાં તે સાંજનું વિવરણ લખ્યું છે. 



ભાજપમાં અત્યારે નારાજગી અને વિરોધની ફેશન ચાલી રહી છે રાજકોટમાં વિરોધ, સાબરકાંઠામાં વિરોધ અને આ બધી આગ વચ્ચે નેતાઓની નારાજગી સામે દેખાઈ રહી છે. તમને થશે કે હવે કોણ નારાજ છે તો અમરેલીના સાંસદ નારણ કાછડિયા નારાજ ચાલી રહ્યા છે કારણ કે તેમની ટિકિટ કપાઈ છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે જે અંતર્ગત ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને ઉતાર્યા છે. કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છોટા ઉદેપુર પહોંચ્યા હતા અને ચૈતર વસાવા તેમજ સુખરામ રાઠવા માટે પ્રચાર કર્યો હતો.

લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.