ગાંધીજી ચાર વખત નોબેલ શાંતિ માટે નોમિનેટ થયા છતાં એવોર્ડ ન મળ્યો, જાણે શું કારણ હતું?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 18:49:33


પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


નોબેલ શાંતિ પુરસ્કાર 2022ની આજે જાહેરાત કરવામાં આવી છે. નોબેલ શાંતિ પુરસ્કારને વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન માનવામાં આવે છે. નોબેલ પુરસ્કાર 1901 થી આપવામાં આવે છે. તેના સ્થાપક આલ્ફ્રેડ નોબેલ હતા. આ સન્માન તેમના મૃત્યુના પાંચ વર્ષ બાદ આપવામાં આવ્યું હતું. હવે જ્યારે વર્ષ 2022ના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે ત્યારે એક સવાલ થાય તે સ્વાભાવિક છે કે ગત સદીમાં શાંતિ અને અહિંસાના મહાન દૂત મહાત્મા ગાંધીને નોબેલ શાંતિ એવોર્ડ કેમ મળ્યો નહીં. આ પુરસ્કાર આપનારી શાંતિ સમિતિ પર જ મોટો સવાલ છે. શું નોર્વેની 5 સભ્યોની સમિતિ કે જે શાંતિ પુરસ્કારો માટે નામો પસંદ કરે છે તેમનો દ્રષ્ટિકોણ ખુબ સંકુચિત છે? શું આ સમિતિ બિન-યુરોપિયન દેશોના લોકોના સંઘર્ષની અવગણના કરે છે? શું આ સમિતિના સભ્યો તેમના દેશ અને બ્રિટન વચ્ચેના સંબંધો સહિતના સમીકરણો પર વિચાર કરીને નોબેલ શાંતિ પુરસ્કાર માટે વ્યક્તિની પસંદગી કરlતી હતી?.


ગાંધીજીને 4 વખત નોબેલ શાંતિ માટે નોમિનેટ કરાયા પણ એવોર્ડ ન મળ્યો


ગાંધીને નોબેલ માટે ઘણી વખત નોમિનેટ કરવામાં આવ્યા હતા. જોકે, તેમને આ સન્માન ક્યારેય મળ્યું નહીં. તેઓ 1937, 1938,1939 અને 1947માં નોમિનેટ થયા હતા. પ્રથમ વખત, નોબેલ સમિતિના સલાહકાર પ્રોફેસર જેકોબ વોર્મ-મુલરે તેમના નોમિનેશનને લઈ અવરોધ ઉભો કરવામાં આવ્યો હતો. જેકોબ વોર્મ-મુલરે તેમના રિપોર્ટમાં તેમણે ગાંધીજીને સારા, સજ્જન અને તપસ્વી ગણાવ્યા હતા. પરંતુ, તે સાથે જ તેમના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ તેમની નીતિઓમાં ઝડપથી ફેરફાર કરે છે. તેણે કહ્યું કે તેના કારણે તે વિરોધાભાસ સર્જે છે. તે સ્વતંત્રતા સેનાની સાથે સરમુખત્યાર હોય તેવું જણાય છે તે ઉપરાંત તે આદર્શવાદીની સાથે-સાથે રાષ્ટ્રવાદી પણ છે. મુલરે ટીકાકારોને ટાંકીને કહ્યું કે દક્ષિણ આફ્રિકામાં ગાંધીનો સંઘર્ષ પણ માત્ર ભારતીયો માટે જ હતો પણ તે અશ્વેતો માટે નહોતો.


1947 માં ગાંધીજીને ફરીથી નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ વખતે બી.જી. ખેર, જીવી માવલંકર અને જીબી પંતે તેમને નોમિનેટ કર્યા હતા. જો કે, ત્યારે નોબેલ શાંતિ સમિતિ પણ ગાંધીના નામ પર બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. સમિતિના બે સભ્યો ગાંધીજીના નામની તરફેણમાં હતા. જોકે ત્રણ સભ્યો તેમની વિરુદ્ધમાં હતા. વિભાજન અને રમખાણો વચ્ચે, તેઓ ગાંધીજીને સન્માનિત કરવા માટે ઈચ્છુક ન હતા.


ગાંધીજીને મરણોત્તર સન્માન કેમ ન અપાયું?


ગાંધીની હત્યાના બે દિવસ પહેલા 1948માં નોબેલ શાંતિ પુરસ્કારનું નોમિનેશન બંધ કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશન ચોક્કસ સંજોગોમાં મરણોત્તર સન્માન પણ આપે છે. પરંતુ, ગાંધીજી કોઈ સંસ્થા સાથે જોડાયેલા ન હતા. ઉપરાંત ગાંધીજી તેમની પાછળ કોઈ વસીયત પણ છોડી ગયા ન હતા. આવી સ્થિતિમાં ઈનામની રકમ કોને આપવી તે અંગે પણ અવઢવની સ્થિતી સર્જીઈ હતી. આ અંગે સમિતિના વકીલ ઓલે ટોરલીફે એવોર્ડ આપનાર  સંસ્થાનો અભિપ્રાય માંગ્યો હતો. તે સમયે તેમને મરણોત્તર એવોર્ડ ન આપવાની સલાહ આપવામાં આવી હતી.


ગાંધીજી પ્રત્યે હંમેશા પૂર્વગ્રહ રાખવામાં આવ્યો


ગાંધીજી આ બધી બાબતોમાં થોડા અલગ હતા. તેઓ ન તો રાજકારણી હતા કે ન તો આંતરરાષ્ટ્રીય કાયદાના સમર્થક હતા. તેઓ ન તો રિલીફ વર્કર હતા કે ન તો આયોજક. 1947માં સમિતિના મોટાભાગના સભ્યો ગાંધીજીને શંકાની નજરે જોતા હતા અને તેમના વિશે એક અલગ ધારણા ઊભી થઈ હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.