ગાંધીજી ચાર વખત નોબેલ શાંતિ માટે નોમિનેટ થયા છતાં એવોર્ડ ન મળ્યો, જાણે શું કારણ હતું?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 18:49:33


પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


નોબેલ શાંતિ પુરસ્કાર 2022ની આજે જાહેરાત કરવામાં આવી છે. નોબેલ શાંતિ પુરસ્કારને વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન માનવામાં આવે છે. નોબેલ પુરસ્કાર 1901 થી આપવામાં આવે છે. તેના સ્થાપક આલ્ફ્રેડ નોબેલ હતા. આ સન્માન તેમના મૃત્યુના પાંચ વર્ષ બાદ આપવામાં આવ્યું હતું. હવે જ્યારે વર્ષ 2022ના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે ત્યારે એક સવાલ થાય તે સ્વાભાવિક છે કે ગત સદીમાં શાંતિ અને અહિંસાના મહાન દૂત મહાત્મા ગાંધીને નોબેલ શાંતિ એવોર્ડ કેમ મળ્યો નહીં. આ પુરસ્કાર આપનારી શાંતિ સમિતિ પર જ મોટો સવાલ છે. શું નોર્વેની 5 સભ્યોની સમિતિ કે જે શાંતિ પુરસ્કારો માટે નામો પસંદ કરે છે તેમનો દ્રષ્ટિકોણ ખુબ સંકુચિત છે? શું આ સમિતિ બિન-યુરોપિયન દેશોના લોકોના સંઘર્ષની અવગણના કરે છે? શું આ સમિતિના સભ્યો તેમના દેશ અને બ્રિટન વચ્ચેના સંબંધો સહિતના સમીકરણો પર વિચાર કરીને નોબેલ શાંતિ પુરસ્કાર માટે વ્યક્તિની પસંદગી કરlતી હતી?.


ગાંધીજીને 4 વખત નોબેલ શાંતિ માટે નોમિનેટ કરાયા પણ એવોર્ડ ન મળ્યો


ગાંધીને નોબેલ માટે ઘણી વખત નોમિનેટ કરવામાં આવ્યા હતા. જોકે, તેમને આ સન્માન ક્યારેય મળ્યું નહીં. તેઓ 1937, 1938,1939 અને 1947માં નોમિનેટ થયા હતા. પ્રથમ વખત, નોબેલ સમિતિના સલાહકાર પ્રોફેસર જેકોબ વોર્મ-મુલરે તેમના નોમિનેશનને લઈ અવરોધ ઉભો કરવામાં આવ્યો હતો. જેકોબ વોર્મ-મુલરે તેમના રિપોર્ટમાં તેમણે ગાંધીજીને સારા, સજ્જન અને તપસ્વી ગણાવ્યા હતા. પરંતુ, તે સાથે જ તેમના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ તેમની નીતિઓમાં ઝડપથી ફેરફાર કરે છે. તેણે કહ્યું કે તેના કારણે તે વિરોધાભાસ સર્જે છે. તે સ્વતંત્રતા સેનાની સાથે સરમુખત્યાર હોય તેવું જણાય છે તે ઉપરાંત તે આદર્શવાદીની સાથે-સાથે રાષ્ટ્રવાદી પણ છે. મુલરે ટીકાકારોને ટાંકીને કહ્યું કે દક્ષિણ આફ્રિકામાં ગાંધીનો સંઘર્ષ પણ માત્ર ભારતીયો માટે જ હતો પણ તે અશ્વેતો માટે નહોતો.


1947 માં ગાંધીજીને ફરીથી નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ વખતે બી.જી. ખેર, જીવી માવલંકર અને જીબી પંતે તેમને નોમિનેટ કર્યા હતા. જો કે, ત્યારે નોબેલ શાંતિ સમિતિ પણ ગાંધીના નામ પર બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. સમિતિના બે સભ્યો ગાંધીજીના નામની તરફેણમાં હતા. જોકે ત્રણ સભ્યો તેમની વિરુદ્ધમાં હતા. વિભાજન અને રમખાણો વચ્ચે, તેઓ ગાંધીજીને સન્માનિત કરવા માટે ઈચ્છુક ન હતા.


ગાંધીજીને મરણોત્તર સન્માન કેમ ન અપાયું?


ગાંધીની હત્યાના બે દિવસ પહેલા 1948માં નોબેલ શાંતિ પુરસ્કારનું નોમિનેશન બંધ કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશન ચોક્કસ સંજોગોમાં મરણોત્તર સન્માન પણ આપે છે. પરંતુ, ગાંધીજી કોઈ સંસ્થા સાથે જોડાયેલા ન હતા. ઉપરાંત ગાંધીજી તેમની પાછળ કોઈ વસીયત પણ છોડી ગયા ન હતા. આવી સ્થિતિમાં ઈનામની રકમ કોને આપવી તે અંગે પણ અવઢવની સ્થિતી સર્જીઈ હતી. આ અંગે સમિતિના વકીલ ઓલે ટોરલીફે એવોર્ડ આપનાર  સંસ્થાનો અભિપ્રાય માંગ્યો હતો. તે સમયે તેમને મરણોત્તર એવોર્ડ ન આપવાની સલાહ આપવામાં આવી હતી.


ગાંધીજી પ્રત્યે હંમેશા પૂર્વગ્રહ રાખવામાં આવ્યો


ગાંધીજી આ બધી બાબતોમાં થોડા અલગ હતા. તેઓ ન તો રાજકારણી હતા કે ન તો આંતરરાષ્ટ્રીય કાયદાના સમર્થક હતા. તેઓ ન તો રિલીફ વર્કર હતા કે ન તો આયોજક. 1947માં સમિતિના મોટાભાગના સભ્યો ગાંધીજીને શંકાની નજરે જોતા હતા અને તેમના વિશે એક અલગ ધારણા ઊભી થઈ હતી.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.