ગાંધીજી ચાર વખત નોબેલ શાંતિ માટે નોમિનેટ થયા છતાં એવોર્ડ ન મળ્યો, જાણે શું કારણ હતું?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 18:49:33


પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


નોબેલ શાંતિ પુરસ્કાર 2022ની આજે જાહેરાત કરવામાં આવી છે. નોબેલ શાંતિ પુરસ્કારને વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન માનવામાં આવે છે. નોબેલ પુરસ્કાર 1901 થી આપવામાં આવે છે. તેના સ્થાપક આલ્ફ્રેડ નોબેલ હતા. આ સન્માન તેમના મૃત્યુના પાંચ વર્ષ બાદ આપવામાં આવ્યું હતું. હવે જ્યારે વર્ષ 2022ના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે ત્યારે એક સવાલ થાય તે સ્વાભાવિક છે કે ગત સદીમાં શાંતિ અને અહિંસાના મહાન દૂત મહાત્મા ગાંધીને નોબેલ શાંતિ એવોર્ડ કેમ મળ્યો નહીં. આ પુરસ્કાર આપનારી શાંતિ સમિતિ પર જ મોટો સવાલ છે. શું નોર્વેની 5 સભ્યોની સમિતિ કે જે શાંતિ પુરસ્કારો માટે નામો પસંદ કરે છે તેમનો દ્રષ્ટિકોણ ખુબ સંકુચિત છે? શું આ સમિતિ બિન-યુરોપિયન દેશોના લોકોના સંઘર્ષની અવગણના કરે છે? શું આ સમિતિના સભ્યો તેમના દેશ અને બ્રિટન વચ્ચેના સંબંધો સહિતના સમીકરણો પર વિચાર કરીને નોબેલ શાંતિ પુરસ્કાર માટે વ્યક્તિની પસંદગી કરlતી હતી?.


ગાંધીજીને 4 વખત નોબેલ શાંતિ માટે નોમિનેટ કરાયા પણ એવોર્ડ ન મળ્યો


ગાંધીને નોબેલ માટે ઘણી વખત નોમિનેટ કરવામાં આવ્યા હતા. જોકે, તેમને આ સન્માન ક્યારેય મળ્યું નહીં. તેઓ 1937, 1938,1939 અને 1947માં નોમિનેટ થયા હતા. પ્રથમ વખત, નોબેલ સમિતિના સલાહકાર પ્રોફેસર જેકોબ વોર્મ-મુલરે તેમના નોમિનેશનને લઈ અવરોધ ઉભો કરવામાં આવ્યો હતો. જેકોબ વોર્મ-મુલરે તેમના રિપોર્ટમાં તેમણે ગાંધીજીને સારા, સજ્જન અને તપસ્વી ગણાવ્યા હતા. પરંતુ, તે સાથે જ તેમના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ તેમની નીતિઓમાં ઝડપથી ફેરફાર કરે છે. તેણે કહ્યું કે તેના કારણે તે વિરોધાભાસ સર્જે છે. તે સ્વતંત્રતા સેનાની સાથે સરમુખત્યાર હોય તેવું જણાય છે તે ઉપરાંત તે આદર્શવાદીની સાથે-સાથે રાષ્ટ્રવાદી પણ છે. મુલરે ટીકાકારોને ટાંકીને કહ્યું કે દક્ષિણ આફ્રિકામાં ગાંધીનો સંઘર્ષ પણ માત્ર ભારતીયો માટે જ હતો પણ તે અશ્વેતો માટે નહોતો.


1947 માં ગાંધીજીને ફરીથી નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ વખતે બી.જી. ખેર, જીવી માવલંકર અને જીબી પંતે તેમને નોમિનેટ કર્યા હતા. જો કે, ત્યારે નોબેલ શાંતિ સમિતિ પણ ગાંધીના નામ પર બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. સમિતિના બે સભ્યો ગાંધીજીના નામની તરફેણમાં હતા. જોકે ત્રણ સભ્યો તેમની વિરુદ્ધમાં હતા. વિભાજન અને રમખાણો વચ્ચે, તેઓ ગાંધીજીને સન્માનિત કરવા માટે ઈચ્છુક ન હતા.


ગાંધીજીને મરણોત્તર સન્માન કેમ ન અપાયું?


ગાંધીની હત્યાના બે દિવસ પહેલા 1948માં નોબેલ શાંતિ પુરસ્કારનું નોમિનેશન બંધ કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશન ચોક્કસ સંજોગોમાં મરણોત્તર સન્માન પણ આપે છે. પરંતુ, ગાંધીજી કોઈ સંસ્થા સાથે જોડાયેલા ન હતા. ઉપરાંત ગાંધીજી તેમની પાછળ કોઈ વસીયત પણ છોડી ગયા ન હતા. આવી સ્થિતિમાં ઈનામની રકમ કોને આપવી તે અંગે પણ અવઢવની સ્થિતી સર્જીઈ હતી. આ અંગે સમિતિના વકીલ ઓલે ટોરલીફે એવોર્ડ આપનાર  સંસ્થાનો અભિપ્રાય માંગ્યો હતો. તે સમયે તેમને મરણોત્તર એવોર્ડ ન આપવાની સલાહ આપવામાં આવી હતી.


ગાંધીજી પ્રત્યે હંમેશા પૂર્વગ્રહ રાખવામાં આવ્યો


ગાંધીજી આ બધી બાબતોમાં થોડા અલગ હતા. તેઓ ન તો રાજકારણી હતા કે ન તો આંતરરાષ્ટ્રીય કાયદાના સમર્થક હતા. તેઓ ન તો રિલીફ વર્કર હતા કે ન તો આયોજક. 1947માં સમિતિના મોટાભાગના સભ્યો ગાંધીજીને શંકાની નજરે જોતા હતા અને તેમના વિશે એક અલગ ધારણા ઊભી થઈ હતી.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.