ગાંધીજી ચાર વખત નોબેલ શાંતિ માટે નોમિનેટ થયા છતાં એવોર્ડ ન મળ્યો, જાણે શું કારણ હતું?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 18:49:33


પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


નોબેલ શાંતિ પુરસ્કાર 2022ની આજે જાહેરાત કરવામાં આવી છે. નોબેલ શાંતિ પુરસ્કારને વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત સન્માન માનવામાં આવે છે. નોબેલ પુરસ્કાર 1901 થી આપવામાં આવે છે. તેના સ્થાપક આલ્ફ્રેડ નોબેલ હતા. આ સન્માન તેમના મૃત્યુના પાંચ વર્ષ બાદ આપવામાં આવ્યું હતું. હવે જ્યારે વર્ષ 2022ના નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે ત્યારે એક સવાલ થાય તે સ્વાભાવિક છે કે ગત સદીમાં શાંતિ અને અહિંસાના મહાન દૂત મહાત્મા ગાંધીને નોબેલ શાંતિ એવોર્ડ કેમ મળ્યો નહીં. આ પુરસ્કાર આપનારી શાંતિ સમિતિ પર જ મોટો સવાલ છે. શું નોર્વેની 5 સભ્યોની સમિતિ કે જે શાંતિ પુરસ્કારો માટે નામો પસંદ કરે છે તેમનો દ્રષ્ટિકોણ ખુબ સંકુચિત છે? શું આ સમિતિ બિન-યુરોપિયન દેશોના લોકોના સંઘર્ષની અવગણના કરે છે? શું આ સમિતિના સભ્યો તેમના દેશ અને બ્રિટન વચ્ચેના સંબંધો સહિતના સમીકરણો પર વિચાર કરીને નોબેલ શાંતિ પુરસ્કાર માટે વ્યક્તિની પસંદગી કરlતી હતી?.


ગાંધીજીને 4 વખત નોબેલ શાંતિ માટે નોમિનેટ કરાયા પણ એવોર્ડ ન મળ્યો


ગાંધીને નોબેલ માટે ઘણી વખત નોમિનેટ કરવામાં આવ્યા હતા. જોકે, તેમને આ સન્માન ક્યારેય મળ્યું નહીં. તેઓ 1937, 1938,1939 અને 1947માં નોમિનેટ થયા હતા. પ્રથમ વખત, નોબેલ સમિતિના સલાહકાર પ્રોફેસર જેકોબ વોર્મ-મુલરે તેમના નોમિનેશનને લઈ અવરોધ ઉભો કરવામાં આવ્યો હતો. જેકોબ વોર્મ-મુલરે તેમના રિપોર્ટમાં તેમણે ગાંધીજીને સારા, સજ્જન અને તપસ્વી ગણાવ્યા હતા. પરંતુ, તે સાથે જ તેમના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ તેમની નીતિઓમાં ઝડપથી ફેરફાર કરે છે. તેણે કહ્યું કે તેના કારણે તે વિરોધાભાસ સર્જે છે. તે સ્વતંત્રતા સેનાની સાથે સરમુખત્યાર હોય તેવું જણાય છે તે ઉપરાંત તે આદર્શવાદીની સાથે-સાથે રાષ્ટ્રવાદી પણ છે. મુલરે ટીકાકારોને ટાંકીને કહ્યું કે દક્ષિણ આફ્રિકામાં ગાંધીનો સંઘર્ષ પણ માત્ર ભારતીયો માટે જ હતો પણ તે અશ્વેતો માટે નહોતો.


1947 માં ગાંધીજીને ફરીથી નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ વખતે બી.જી. ખેર, જીવી માવલંકર અને જીબી પંતે તેમને નોમિનેટ કર્યા હતા. જો કે, ત્યારે નોબેલ શાંતિ સમિતિ પણ ગાંધીના નામ પર બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. સમિતિના બે સભ્યો ગાંધીજીના નામની તરફેણમાં હતા. જોકે ત્રણ સભ્યો તેમની વિરુદ્ધમાં હતા. વિભાજન અને રમખાણો વચ્ચે, તેઓ ગાંધીજીને સન્માનિત કરવા માટે ઈચ્છુક ન હતા.


ગાંધીજીને મરણોત્તર સન્માન કેમ ન અપાયું?


ગાંધીની હત્યાના બે દિવસ પહેલા 1948માં નોબેલ શાંતિ પુરસ્કારનું નોમિનેશન બંધ કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશન ચોક્કસ સંજોગોમાં મરણોત્તર સન્માન પણ આપે છે. પરંતુ, ગાંધીજી કોઈ સંસ્થા સાથે જોડાયેલા ન હતા. ઉપરાંત ગાંધીજી તેમની પાછળ કોઈ વસીયત પણ છોડી ગયા ન હતા. આવી સ્થિતિમાં ઈનામની રકમ કોને આપવી તે અંગે પણ અવઢવની સ્થિતી સર્જીઈ હતી. આ અંગે સમિતિના વકીલ ઓલે ટોરલીફે એવોર્ડ આપનાર  સંસ્થાનો અભિપ્રાય માંગ્યો હતો. તે સમયે તેમને મરણોત્તર એવોર્ડ ન આપવાની સલાહ આપવામાં આવી હતી.


ગાંધીજી પ્રત્યે હંમેશા પૂર્વગ્રહ રાખવામાં આવ્યો


ગાંધીજી આ બધી બાબતોમાં થોડા અલગ હતા. તેઓ ન તો રાજકારણી હતા કે ન તો આંતરરાષ્ટ્રીય કાયદાના સમર્થક હતા. તેઓ ન તો રિલીફ વર્કર હતા કે ન તો આયોજક. 1947માં સમિતિના મોટાભાગના સભ્યો ગાંધીજીને શંકાની નજરે જોતા હતા અને તેમના વિશે એક અલગ ધારણા ઊભી થઈ હતી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .