કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મહબુબા મુફ્તી નજરબંધ, LGએ કર્યો ઈન્કાર


  • Published By :
  • Published Date : 2023-12-11 14:04:19

જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને નાબુદ કરવાના નિર્ણયને પડકારનારી અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો સંભળાવ્યો હતો. આ નિર્ણય પહેલા પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના અધ્યક્ષ મહેબુબા મુફ્તીને સોમવારે નજરબંધ કરવામાં આવ્યા હતા. પીડીપીએ આ જાણકારી આપી હતી. પીડીપીએ આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે સુપ્રીમ કોર્ટ ચુકાદો સંભળાવે તે પહેલા જ પોલીસે પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફ્તીના નિવાસસ્થાનના દરવાજા સીલ કરી દેવામાં આવ્યા હતા, અને  તેમને નજરબંધ કરી દેવામાં આવ્યા છે. જો કે ઉપરાજ્યપાલ મનોજ સિંહા દ્વારા આ બાબતને વખોડી નાખવામાં આવી છે.  




ફારૂખ અબ્દુલ્લાના ઘર બહાર પોલીસ તૈનાત


અધિકારીઓએ જણાવ્યું કે પત્રકારોને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લા અને ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાના ગુપકર સ્થિત નિવાસસ્થાને એકત્રિત થવાની મંજુરી નથી. ગુપકર રોડના પ્રવેશ સ્થાનો પર પોલીસકર્મીઓની એક ટુકડી તૈનાત કરવામા આવી છે. ઓક્ટોબર 2020માં પોતાનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યા બાદ ઓમર અબ્દુલ્લા તેમના પિતા સાથે જ રહે છે. શ્રીનગર થી સાંસદ ફારૂખ અબ્દુલ્લા વર્તમાનમાં સંસદીય સત્ર માટે દિલ્હીમાં જ છે, અને તેમનો પુત્ર હાલ શ્રીનગરમાં રહે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે