કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મહબુબા મુફ્તી નજરબંધ, LGએ કર્યો ઈન્કાર


  • Published By :
  • Published Date : 2023-12-11 14:04:19

જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને નાબુદ કરવાના નિર્ણયને પડકારનારી અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો સંભળાવ્યો હતો. આ નિર્ણય પહેલા પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના અધ્યક્ષ મહેબુબા મુફ્તીને સોમવારે નજરબંધ કરવામાં આવ્યા હતા. પીડીપીએ આ જાણકારી આપી હતી. પીડીપીએ આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે સુપ્રીમ કોર્ટ ચુકાદો સંભળાવે તે પહેલા જ પોલીસે પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફ્તીના નિવાસસ્થાનના દરવાજા સીલ કરી દેવામાં આવ્યા હતા, અને  તેમને નજરબંધ કરી દેવામાં આવ્યા છે. જો કે ઉપરાજ્યપાલ મનોજ સિંહા દ્વારા આ બાબતને વખોડી નાખવામાં આવી છે.  




ફારૂખ અબ્દુલ્લાના ઘર બહાર પોલીસ તૈનાત


અધિકારીઓએ જણાવ્યું કે પત્રકારોને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લા અને ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાના ગુપકર સ્થિત નિવાસસ્થાને એકત્રિત થવાની મંજુરી નથી. ગુપકર રોડના પ્રવેશ સ્થાનો પર પોલીસકર્મીઓની એક ટુકડી તૈનાત કરવામા આવી છે. ઓક્ટોબર 2020માં પોતાનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યા બાદ ઓમર અબ્દુલ્લા તેમના પિતા સાથે જ રહે છે. શ્રીનગર થી સાંસદ ફારૂખ અબ્દુલ્લા વર્તમાનમાં સંસદીય સત્ર માટે દિલ્હીમાં જ છે, અને તેમનો પુત્ર હાલ શ્રીનગરમાં રહે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.