કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મહબુબા મુફ્તી નજરબંધ, LGએ કર્યો ઈન્કાર


  • Published By :
  • Published Date : 2023-12-11 14:04:19

જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને નાબુદ કરવાના નિર્ણયને પડકારનારી અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો સંભળાવ્યો હતો. આ નિર્ણય પહેલા પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના અધ્યક્ષ મહેબુબા મુફ્તીને સોમવારે નજરબંધ કરવામાં આવ્યા હતા. પીડીપીએ આ જાણકારી આપી હતી. પીડીપીએ આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે સુપ્રીમ કોર્ટ ચુકાદો સંભળાવે તે પહેલા જ પોલીસે પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફ્તીના નિવાસસ્થાનના દરવાજા સીલ કરી દેવામાં આવ્યા હતા, અને  તેમને નજરબંધ કરી દેવામાં આવ્યા છે. જો કે ઉપરાજ્યપાલ મનોજ સિંહા દ્વારા આ બાબતને વખોડી નાખવામાં આવી છે.  




ફારૂખ અબ્દુલ્લાના ઘર બહાર પોલીસ તૈનાત


અધિકારીઓએ જણાવ્યું કે પત્રકારોને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લા અને ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાના ગુપકર સ્થિત નિવાસસ્થાને એકત્રિત થવાની મંજુરી નથી. ગુપકર રોડના પ્રવેશ સ્થાનો પર પોલીસકર્મીઓની એક ટુકડી તૈનાત કરવામા આવી છે. ઓક્ટોબર 2020માં પોતાનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યા બાદ ઓમર અબ્દુલ્લા તેમના પિતા સાથે જ રહે છે. શ્રીનગર થી સાંસદ ફારૂખ અબ્દુલ્લા વર્તમાનમાં સંસદીય સત્ર માટે દિલ્હીમાં જ છે, અને તેમનો પુત્ર હાલ શ્રીનગરમાં રહે છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.