શાળા સંચાલકો સાથે તોડ કરતો મહેન્દ્ર પટેલ ઝડપાયો, CID ક્રાઈમે એક કરોડથી વધુની રોકડ અને ફાઈલો કરી જપ્ત


  • Published By :
  • Published Date : 2024-01-28 16:12:30

રાજ્ય શિક્ષણ વિભાગમાં શાળાની મંજૂરી જેવા મામલે શિક્ષણ માફિયાઓ દ્વારા તોડકાંડ કરવામાં આવતો હોવાનું જગજાહેર છે. જો કે હવે આ શિક્ષણ માફિયાઓ પર તવાઈ આવી છે. CID ક્રાઈમે તોડકાંડમાં આજે RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ નામના એક શખ્સની ધરપકડ કરી છે. સુરતના શાળા સંચાલકે CID ક્રાઈમને અરજી કરી હતી કે, RTIના આધાર પર  એક વ્યક્તિ મોટા મોટા તોડ કરે છે. જે બાદ ગાંધીનગરમાં મહેન્દ્ર પટેલના ઘરે CID ક્રાઈમે દરોડા પાડ્યા હતા. મહેન્દ્ર પટેલે RTI એક્ટિવિસ્ટ તરીકે અનેક શાળાઓમાં તોડ કરવાનો મામલો સામે આવતા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઘર અને ઓફિસે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. જેમાં રોકડ અને શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે. આ તપાસમાં મહેન્દ્ર પટેલ 18 શાળાઓ સાથે સેટિંગ કરી ગેરકાયદેસર રીતે વસૂલાત કર્યાનું સામે આવ્યું છે. મહેન્દ્ર પટેલની ધરપકડ થતા રાજ્યમાં તોડબાજી કરતાં શખ્સોમાં ફફડાટ ફેલાયો છે.


1 કરોડથી વધુની રોકડ રકમ મળી


CID દ્વારા આજે શિક્ષણ વિભાગમાં ચાલતા બેરોકટોક તોડકાંડ અભિયાનમાં મહેન્દ્ર પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. CID ક્રાઈમે મહેન્દ્ર પટેલના ઘરે દરોડા પાડતા મળી 1 કરોડથી વધુની રોકડ રકમ મળી આવી છે. આ ઉપરાંત સોનાના દાગીના, જેને પણ સ્કૂલની મંજૂરી માંગી હોય તેમની સાથે સેટિંગ કરતો હતો. RTI કર્યા બાદ વાંધા ઉભા કરી તોડ કરતો હતો. તેની પાસેથી 400 કરતા વધુ ફાઈલો પણ મળી આવી છે.  CID ક્રાઈમના અધિકારીઓને તપાસમાં તોડકાંડ આરોપી મહેન્દ્ર પટેલની કરોડોની બેનામી સંપત્તિ પણ મળી આવતા ચકચાર મચી છે.

 

કઈ રીતે ભાંડો ફૂટ્યો?


સુરતના એક શાળા સંચાલક પ્રવિણભાઇ કેશુભાઈ ગજેરાની ફરિયાદ બાદ શિક્ષણ વિભાગમાં તોડકાંડ મામલો સામે આવ્યો છે. શાળા સંચાલકે ફરિયાદ કરી હતી કે RTIના આધાર પર એક વ્યક્તિ વિભાગમાં ગેરકાયદેસર રીતે વસૂલાત કરી રહ્યા છે. આ વ્યક્તિ શાળાઓમાં પોતે એક સરકારી અધિકારી હોવાનું કહી પ્રવેશ કરતો. પછી શાળાઓને લાભો મળે માટે સરકારી મંજૂરી આપવામાં મદદ કરશે તેમ કહેતો હતો. અને મંજૂરી મેળવવા મહેન્દ્ર પટેલ રાજ્યની જુદી-જુદી શાળાના સંચાલકો પાસેથી કોરા સહી-સિક્કાવાળા લેટર પેડ, શાળા મંડળના સિક્કારો વગેરે લઈ ફાઈલ તૈયાર કરતો. ફાઈલમાં જરૂરી દસ્તાવેજો ના હોય તો બોગસ દસ્તાવેજો આપી મંજૂરી મેળવવામાં આવતી.  જે શાળાઓ માંગણી મુજબ લાભ આપવાની ના પાડે તો આ એક્ટિવિસ્ટ RTIમાં વાંધા ઉભો કરતો હતો. CID ક્રાઈમ મહેન્દ્ર પટેલના ગાંધીનગરના ઘરે પાડેલ દરોડામાં એવી 400 શાળાની ફાઈલો મળી જેની પાસેથી આ વ્યક્તિ સેટિંગ કરવાની યોજના બનાવતો હતો. આજે ગાંધીનગરથી એક વિશેષ ટુકડી તોડકાંડની તપાસ માટે રાજકોટ પહોંચી હતી. જે શાળા સંચાલકો તોડકાંડ અભિયાનમાં છેતરપિંડીનો ભોગ બન્યા છે તેમની સમગ્ર હકીકત જાણી નિવેદનો લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી કે.ડી. બગડા દ્વારા અગાઉ મહેન્દ્ર પટેલનો બચાવ કર્યાના વલણ પર પ્રશ્ન ઉઠ્યા છે.


તપાસ બાદ થઈ શકે મોટા ખુલાસા


શિક્ષણ વિભાગમાં તોડકાંડ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત સર્કિટ હાઉસના રજિસ્ટ્રાર અને અન્ય શંકાસ્પદ લોકોની તપાસ કરાશે. બે દિવસની અંદર સમગ્ર મામલાનો રિપોર્ટ સરકારને સુપરત કરાશે. પોલીસનું માનવું છે કે આ મામલામાં મહેન્દ્ર પટેલ સાથે પૂર્વ અધિકારીઓ ઉપરાંત શિક્ષણ વિભાગના કેટલાક લોકો સંકળાયેલા હશે જેના આધાર પર આ સમગ્ર રેકેટ ચાલી રહ્યું છે. તપાસનો રેલો ક્યાં સુધી પહોચશે અને વધુ કયા નામો ખુલશે તે આગામી સમયમાં ખ્યાલ આવશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.