શાળા સંચાલકો સાથે તોડ કરતો મહેન્દ્ર પટેલ ઝડપાયો, CID ક્રાઈમે એક કરોડથી વધુની રોકડ અને ફાઈલો કરી જપ્ત


  • Published By :
  • Published Date : 2024-01-28 16:12:30

રાજ્ય શિક્ષણ વિભાગમાં શાળાની મંજૂરી જેવા મામલે શિક્ષણ માફિયાઓ દ્વારા તોડકાંડ કરવામાં આવતો હોવાનું જગજાહેર છે. જો કે હવે આ શિક્ષણ માફિયાઓ પર તવાઈ આવી છે. CID ક્રાઈમે તોડકાંડમાં આજે RTI એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ નામના એક શખ્સની ધરપકડ કરી છે. સુરતના શાળા સંચાલકે CID ક્રાઈમને અરજી કરી હતી કે, RTIના આધાર પર  એક વ્યક્તિ મોટા મોટા તોડ કરે છે. જે બાદ ગાંધીનગરમાં મહેન્દ્ર પટેલના ઘરે CID ક્રાઈમે દરોડા પાડ્યા હતા. મહેન્દ્ર પટેલે RTI એક્ટિવિસ્ટ તરીકે અનેક શાળાઓમાં તોડ કરવાનો મામલો સામે આવતા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઘર અને ઓફિસે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. જેમાં રોકડ અને શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે. આ તપાસમાં મહેન્દ્ર પટેલ 18 શાળાઓ સાથે સેટિંગ કરી ગેરકાયદેસર રીતે વસૂલાત કર્યાનું સામે આવ્યું છે. મહેન્દ્ર પટેલની ધરપકડ થતા રાજ્યમાં તોડબાજી કરતાં શખ્સોમાં ફફડાટ ફેલાયો છે.


1 કરોડથી વધુની રોકડ રકમ મળી


CID દ્વારા આજે શિક્ષણ વિભાગમાં ચાલતા બેરોકટોક તોડકાંડ અભિયાનમાં મહેન્દ્ર પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. CID ક્રાઈમે મહેન્દ્ર પટેલના ઘરે દરોડા પાડતા મળી 1 કરોડથી વધુની રોકડ રકમ મળી આવી છે. આ ઉપરાંત સોનાના દાગીના, જેને પણ સ્કૂલની મંજૂરી માંગી હોય તેમની સાથે સેટિંગ કરતો હતો. RTI કર્યા બાદ વાંધા ઉભા કરી તોડ કરતો હતો. તેની પાસેથી 400 કરતા વધુ ફાઈલો પણ મળી આવી છે.  CID ક્રાઈમના અધિકારીઓને તપાસમાં તોડકાંડ આરોપી મહેન્દ્ર પટેલની કરોડોની બેનામી સંપત્તિ પણ મળી આવતા ચકચાર મચી છે.

 

કઈ રીતે ભાંડો ફૂટ્યો?


સુરતના એક શાળા સંચાલક પ્રવિણભાઇ કેશુભાઈ ગજેરાની ફરિયાદ બાદ શિક્ષણ વિભાગમાં તોડકાંડ મામલો સામે આવ્યો છે. શાળા સંચાલકે ફરિયાદ કરી હતી કે RTIના આધાર પર એક વ્યક્તિ વિભાગમાં ગેરકાયદેસર રીતે વસૂલાત કરી રહ્યા છે. આ વ્યક્તિ શાળાઓમાં પોતે એક સરકારી અધિકારી હોવાનું કહી પ્રવેશ કરતો. પછી શાળાઓને લાભો મળે માટે સરકારી મંજૂરી આપવામાં મદદ કરશે તેમ કહેતો હતો. અને મંજૂરી મેળવવા મહેન્દ્ર પટેલ રાજ્યની જુદી-જુદી શાળાના સંચાલકો પાસેથી કોરા સહી-સિક્કાવાળા લેટર પેડ, શાળા મંડળના સિક્કારો વગેરે લઈ ફાઈલ તૈયાર કરતો. ફાઈલમાં જરૂરી દસ્તાવેજો ના હોય તો બોગસ દસ્તાવેજો આપી મંજૂરી મેળવવામાં આવતી.  જે શાળાઓ માંગણી મુજબ લાભ આપવાની ના પાડે તો આ એક્ટિવિસ્ટ RTIમાં વાંધા ઉભો કરતો હતો. CID ક્રાઈમ મહેન્દ્ર પટેલના ગાંધીનગરના ઘરે પાડેલ દરોડામાં એવી 400 શાળાની ફાઈલો મળી જેની પાસેથી આ વ્યક્તિ સેટિંગ કરવાની યોજના બનાવતો હતો. આજે ગાંધીનગરથી એક વિશેષ ટુકડી તોડકાંડની તપાસ માટે રાજકોટ પહોંચી હતી. જે શાળા સંચાલકો તોડકાંડ અભિયાનમાં છેતરપિંડીનો ભોગ બન્યા છે તેમની સમગ્ર હકીકત જાણી નિવેદનો લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી કે.ડી. બગડા દ્વારા અગાઉ મહેન્દ્ર પટેલનો બચાવ કર્યાના વલણ પર પ્રશ્ન ઉઠ્યા છે.


તપાસ બાદ થઈ શકે મોટા ખુલાસા


શિક્ષણ વિભાગમાં તોડકાંડ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત સર્કિટ હાઉસના રજિસ્ટ્રાર અને અન્ય શંકાસ્પદ લોકોની તપાસ કરાશે. બે દિવસની અંદર સમગ્ર મામલાનો રિપોર્ટ સરકારને સુપરત કરાશે. પોલીસનું માનવું છે કે આ મામલામાં મહેન્દ્ર પટેલ સાથે પૂર્વ અધિકારીઓ ઉપરાંત શિક્ષણ વિભાગના કેટલાક લોકો સંકળાયેલા હશે જેના આધાર પર આ સમગ્ર રેકેટ ચાલી રહ્યું છે. તપાસનો રેલો ક્યાં સુધી પહોચશે અને વધુ કયા નામો ખુલશે તે આગામી સમયમાં ખ્યાલ આવશે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે