ગાંધીનગર ઉત્તર સીટના અપક્ષ ઉમેદવાર મહેન્દ્ર પટણીએ મતદારો પાસેથી જ 1-1 રૂપિયો ઉઘરાવી ઉમેદવારી નોંધાવી


  • Published By :
  • Published Date : 2022-11-17 17:52:54

રાજ્યમાં વિધાનસભાને લઈ તમામ પાર્ટીના ઉમેદવારો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જો કે કેટલાક અપક્ષ ઉમેદવારો તેવા પણ છે જેમની પાસે ફોર્મ ભરવાના પણ પૈસા ન હોવાથી તેમણે જાહેર જનતા પાસેથી ફંડ ઉઘરાવી ઉમેદવારી નોંધાવી છે. ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો ત્યારે ગાંધીનગરમાં અપક્ષ ઉમેદવારે ફોર્મ ભરતા સમયે 10 હજાર રૂપિયાની પરચૂરણ ડિપોઝીટરૂપે જમા કરાવી હતી.


ગાંધીનગર ઉત્તર સીટના અપક્ષ ઉમેદવાર મહેન્દ્ર પટણી 


ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી મહેન્દ્ર પટણી અપક્ષ ઉમેદવારી નોંધાવવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેમણે અહીં 10,000 રૂપિયાની ડિપોઝિટ જમા કરાવી હતી. મહેન્દ્ર પટણીએ વિધાનસભા સીટ વિસ્તારમાંથી લોકો પાસેથી 1-1 રૂપિયો ઉઘરાવી 10,000 સિક્કા 2 કોથળામાં ભરીને કચેરી લાવ્યા હતા આ પરચૂરણનું કુલ વજન 42.530 કિલોગ્રામ થાય છે. તેમણે આ અંગે કહ્યું કે, જ્યારે 3 દિવસની અંદર 50 જેટલા કાર્યકર્તાઓએ એક સાથે રહીને એક-એક રૂપિયાની ઉઘરાવાની શરૂઆત કરી હતી. ત્યારે ત્રણ દિવસની અંદર જ 10,000 રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે. મહેન્દ્રભાઈએ ત્યારબાદ ઉમેદવારી નોંધાવી હતી તે વખતે ભારે આશ્ચર્ય સર્જાયું હતું.


ઘરવિહોણાને ઘર અપાવવાનું વચન


મહેન્દ્ર પટણીએ ગાંધીનગર શહેરી વિસ્તારની મુખ્ય સમસ્યા અંગે કહ્યું કે કેટલાક ગરીબોના મકાનો ઝૂંપડાઓ અને લારી ગલ્લાઓને દબાણમાં હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારે અનેક લોકો ઘરવિહોણા થયા છે. અત્યારે જો હું ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર ઉત્તર બેઠક  પરથી વિજય બનીશ તોઆવા ગરીબ લોકોને તો મકાન પાછા અપાવીશ. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.