ગાંધીનગર ઉત્તર સીટના અપક્ષ ઉમેદવાર મહેન્દ્ર પટણીએ મતદારો પાસેથી જ 1-1 રૂપિયો ઉઘરાવી ઉમેદવારી નોંધાવી


  • Published By :
  • Published Date : 2022-11-17 17:52:54

રાજ્યમાં વિધાનસભાને લઈ તમામ પાર્ટીના ઉમેદવારો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જો કે કેટલાક અપક્ષ ઉમેદવારો તેવા પણ છે જેમની પાસે ફોર્મ ભરવાના પણ પૈસા ન હોવાથી તેમણે જાહેર જનતા પાસેથી ફંડ ઉઘરાવી ઉમેદવારી નોંધાવી છે. ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો ત્યારે ગાંધીનગરમાં અપક્ષ ઉમેદવારે ફોર્મ ભરતા સમયે 10 હજાર રૂપિયાની પરચૂરણ ડિપોઝીટરૂપે જમા કરાવી હતી.


ગાંધીનગર ઉત્તર સીટના અપક્ષ ઉમેદવાર મહેન્દ્ર પટણી 


ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી મહેન્દ્ર પટણી અપક્ષ ઉમેદવારી નોંધાવવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેમણે અહીં 10,000 રૂપિયાની ડિપોઝિટ જમા કરાવી હતી. મહેન્દ્ર પટણીએ વિધાનસભા સીટ વિસ્તારમાંથી લોકો પાસેથી 1-1 રૂપિયો ઉઘરાવી 10,000 સિક્કા 2 કોથળામાં ભરીને કચેરી લાવ્યા હતા આ પરચૂરણનું કુલ વજન 42.530 કિલોગ્રામ થાય છે. તેમણે આ અંગે કહ્યું કે, જ્યારે 3 દિવસની અંદર 50 જેટલા કાર્યકર્તાઓએ એક સાથે રહીને એક-એક રૂપિયાની ઉઘરાવાની શરૂઆત કરી હતી. ત્યારે ત્રણ દિવસની અંદર જ 10,000 રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે. મહેન્દ્રભાઈએ ત્યારબાદ ઉમેદવારી નોંધાવી હતી તે વખતે ભારે આશ્ચર્ય સર્જાયું હતું.


ઘરવિહોણાને ઘર અપાવવાનું વચન


મહેન્દ્ર પટણીએ ગાંધીનગર શહેરી વિસ્તારની મુખ્ય સમસ્યા અંગે કહ્યું કે કેટલાક ગરીબોના મકાનો ઝૂંપડાઓ અને લારી ગલ્લાઓને દબાણમાં હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારે અનેક લોકો ઘરવિહોણા થયા છે. અત્યારે જો હું ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર ઉત્તર બેઠક  પરથી વિજય બનીશ તોઆવા ગરીબ લોકોને તો મકાન પાછા અપાવીશ. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.