ગાંધીનગર ઉત્તર સીટના અપક્ષ ઉમેદવાર મહેન્દ્ર પટણીએ મતદારો પાસેથી જ 1-1 રૂપિયો ઉઘરાવી ઉમેદવારી નોંધાવી


  • Published By :
  • Published Date : 2022-11-17 17:52:54

રાજ્યમાં વિધાનસભાને લઈ તમામ પાર્ટીના ઉમેદવારો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જો કે કેટલાક અપક્ષ ઉમેદવારો તેવા પણ છે જેમની પાસે ફોર્મ ભરવાના પણ પૈસા ન હોવાથી તેમણે જાહેર જનતા પાસેથી ફંડ ઉઘરાવી ઉમેદવારી નોંધાવી છે. ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો ત્યારે ગાંધીનગરમાં અપક્ષ ઉમેદવારે ફોર્મ ભરતા સમયે 10 હજાર રૂપિયાની પરચૂરણ ડિપોઝીટરૂપે જમા કરાવી હતી.


ગાંધીનગર ઉત્તર સીટના અપક્ષ ઉમેદવાર મહેન્દ્ર પટણી 


ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી મહેન્દ્ર પટણી અપક્ષ ઉમેદવારી નોંધાવવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેમણે અહીં 10,000 રૂપિયાની ડિપોઝિટ જમા કરાવી હતી. મહેન્દ્ર પટણીએ વિધાનસભા સીટ વિસ્તારમાંથી લોકો પાસેથી 1-1 રૂપિયો ઉઘરાવી 10,000 સિક્કા 2 કોથળામાં ભરીને કચેરી લાવ્યા હતા આ પરચૂરણનું કુલ વજન 42.530 કિલોગ્રામ થાય છે. તેમણે આ અંગે કહ્યું કે, જ્યારે 3 દિવસની અંદર 50 જેટલા કાર્યકર્તાઓએ એક સાથે રહીને એક-એક રૂપિયાની ઉઘરાવાની શરૂઆત કરી હતી. ત્યારે ત્રણ દિવસની અંદર જ 10,000 રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે. મહેન્દ્રભાઈએ ત્યારબાદ ઉમેદવારી નોંધાવી હતી તે વખતે ભારે આશ્ચર્ય સર્જાયું હતું.


ઘરવિહોણાને ઘર અપાવવાનું વચન


મહેન્દ્ર પટણીએ ગાંધીનગર શહેરી વિસ્તારની મુખ્ય સમસ્યા અંગે કહ્યું કે કેટલાક ગરીબોના મકાનો ઝૂંપડાઓ અને લારી ગલ્લાઓને દબાણમાં હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારે અનેક લોકો ઘરવિહોણા થયા છે. અત્યારે જો હું ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર ઉત્તર બેઠક  પરથી વિજય બનીશ તોઆવા ગરીબ લોકોને તો મકાન પાછા અપાવીશ. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.