ગાંધીનગર ઉત્તર સીટના અપક્ષ ઉમેદવાર મહેન્દ્ર પટણીએ મતદારો પાસેથી જ 1-1 રૂપિયો ઉઘરાવી ઉમેદવારી નોંધાવી


  • Published By :
  • Published Date : 2022-11-17 17:52:54

રાજ્યમાં વિધાનસભાને લઈ તમામ પાર્ટીના ઉમેદવારો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જો કે કેટલાક અપક્ષ ઉમેદવારો તેવા પણ છે જેમની પાસે ફોર્મ ભરવાના પણ પૈસા ન હોવાથી તેમણે જાહેર જનતા પાસેથી ફંડ ઉઘરાવી ઉમેદવારી નોંધાવી છે. ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો ત્યારે ગાંધીનગરમાં અપક્ષ ઉમેદવારે ફોર્મ ભરતા સમયે 10 હજાર રૂપિયાની પરચૂરણ ડિપોઝીટરૂપે જમા કરાવી હતી.


ગાંધીનગર ઉત્તર સીટના અપક્ષ ઉમેદવાર મહેન્દ્ર પટણી 


ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી મહેન્દ્ર પટણી અપક્ષ ઉમેદવારી નોંધાવવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેમણે અહીં 10,000 રૂપિયાની ડિપોઝિટ જમા કરાવી હતી. મહેન્દ્ર પટણીએ વિધાનસભા સીટ વિસ્તારમાંથી લોકો પાસેથી 1-1 રૂપિયો ઉઘરાવી 10,000 સિક્કા 2 કોથળામાં ભરીને કચેરી લાવ્યા હતા આ પરચૂરણનું કુલ વજન 42.530 કિલોગ્રામ થાય છે. તેમણે આ અંગે કહ્યું કે, જ્યારે 3 દિવસની અંદર 50 જેટલા કાર્યકર્તાઓએ એક સાથે રહીને એક-એક રૂપિયાની ઉઘરાવાની શરૂઆત કરી હતી. ત્યારે ત્રણ દિવસની અંદર જ 10,000 રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે. મહેન્દ્રભાઈએ ત્યારબાદ ઉમેદવારી નોંધાવી હતી તે વખતે ભારે આશ્ચર્ય સર્જાયું હતું.


ઘરવિહોણાને ઘર અપાવવાનું વચન


મહેન્દ્ર પટણીએ ગાંધીનગર શહેરી વિસ્તારની મુખ્ય સમસ્યા અંગે કહ્યું કે કેટલાક ગરીબોના મકાનો ઝૂંપડાઓ અને લારી ગલ્લાઓને દબાણમાં હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારે અનેક લોકો ઘરવિહોણા થયા છે. અત્યારે જો હું ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર ઉત્તર બેઠક  પરથી વિજય બનીશ તોઆવા ગરીબ લોકોને તો મકાન પાછા અપાવીશ. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.