મહેન્દ્ર સિંહ ધોનીએ દુબઈમાં હુક્કો પીવાની મજા માણી, વીડિયો વાયરલ, ચાહકોએ આપી જોરદાર પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2024-01-07 12:58:19

કેપ્ટન કુલ તરીકે જાણીતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છેલ્લા કેટલાક સમયથી દુબઈમાં રજાઓ માણી રહ્યા છે, ધોની નવા વર્ષની ઉજવણી કરવા માટે દુબઈ પહોંચ્યા છે. જ્યાં ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર ઋષભ પંત પણ તેની સાથે ન્યૂ યરની ઉજવણીની મજા માણી હતી. આ દરમિયાન ધોનીની તસવીરો અને વીડિયો સમયાંતરે સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે  'હુક્કો' પીતો જોવા મળી રહ્યો છે. ધોનીને મોઢામાંથી ધૂમાડા કાઢતો તેના ચાહકોને જબરદસ્ત આંચકો લાગ્યો છે. ધોનીનો આ વીડિયો જોઈને ચાહકો પણ અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.  


ધૂમાડાના ગોટા કાઢતો માહીનો વીડિયો વાયરલ


ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો હુક્કો પીતો વિડીયો વાયરલ થતા જ સોશિયલ મીડિયો પર તહેલકો મચી ગયો છે. આ વીડિયોમાં ધોની તેના મોંમાંથી ધૂમાડાના ગોટા કાઢતો દેખાય છે. આ વીડિયોમાં ધોની કોઈ પાર્ટીમાં હોય તેવું લાગી રહ્યું છે. ધોની જ્યાં ધૂમ્રપાન કરી રહ્યો છે ત્યાં બીજા ઘણા લોકો પણ હાજર છે. માહીએ ફોર્મલ કોટ અને પેન્ટ પહેર્યા છે. વીડિયોમાં ધોની કેટલાક લોકો સાથે ઉભો રહી વાત કરી રહ્યો છે.માહી લાંબા વાળ સાથે અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયા પૂર્વ વિકેટ કીપર માહીનો આ વીડિયો જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો તે જાણી શકાયું નથી.  


ધોની 2024માં છેલ્લી IPL મેચ રમશે


ગયા વર્ષે રમાયેલી IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સે ટાઈટલ જીત્યું હતું. ધોનીની કેપ્ટન્સીમાં CSK ટીમ 2023માં પાંચમી વખત IPL ચેમ્પિયન બની હતી. ધોનીએ આખી સિઝનમાં ટીમ માટે કેટલીક શાનદાર ફિનિશિંગ ઇનિંગ્સ રમી હતી, જેણે ચાહકોનું ઘણું મનોરંજન કર્યું હતું. એમએસ ધોનીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 250 આઈપીએલ મેચ રમી છે, 218 ઈનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 38.79ની એવરેજ અને 135.92ની સ્ટ્રાઈક રેટથી 5082 રન બનાવ્યા છે. આ દરમિયાન ચેન્નાઈના કેપ્ટને 24 અડધી સદી ફટકારી છે. ધોની 2024માં ફરી એક વખત ચાહકોનું મનોરંજન કરતો જોવા મળશે, જો કે ધોનીની આ છેલ્લી આઈપીએલ હોય તેવું માનવામાં આવી રહ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.