મહેન્દ્ર સિંહ ધોનીએ દુબઈમાં હુક્કો પીવાની મજા માણી, વીડિયો વાયરલ, ચાહકોએ આપી જોરદાર પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2024-01-07 12:58:19

કેપ્ટન કુલ તરીકે જાણીતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છેલ્લા કેટલાક સમયથી દુબઈમાં રજાઓ માણી રહ્યા છે, ધોની નવા વર્ષની ઉજવણી કરવા માટે દુબઈ પહોંચ્યા છે. જ્યાં ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર ઋષભ પંત પણ તેની સાથે ન્યૂ યરની ઉજવણીની મજા માણી હતી. આ દરમિયાન ધોનીની તસવીરો અને વીડિયો સમયાંતરે સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે  'હુક્કો' પીતો જોવા મળી રહ્યો છે. ધોનીને મોઢામાંથી ધૂમાડા કાઢતો તેના ચાહકોને જબરદસ્ત આંચકો લાગ્યો છે. ધોનીનો આ વીડિયો જોઈને ચાહકો પણ અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.  


ધૂમાડાના ગોટા કાઢતો માહીનો વીડિયો વાયરલ


ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો હુક્કો પીતો વિડીયો વાયરલ થતા જ સોશિયલ મીડિયો પર તહેલકો મચી ગયો છે. આ વીડિયોમાં ધોની તેના મોંમાંથી ધૂમાડાના ગોટા કાઢતો દેખાય છે. આ વીડિયોમાં ધોની કોઈ પાર્ટીમાં હોય તેવું લાગી રહ્યું છે. ધોની જ્યાં ધૂમ્રપાન કરી રહ્યો છે ત્યાં બીજા ઘણા લોકો પણ હાજર છે. માહીએ ફોર્મલ કોટ અને પેન્ટ પહેર્યા છે. વીડિયોમાં ધોની કેટલાક લોકો સાથે ઉભો રહી વાત કરી રહ્યો છે.માહી લાંબા વાળ સાથે અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયા પૂર્વ વિકેટ કીપર માહીનો આ વીડિયો જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો તે જાણી શકાયું નથી.  


ધોની 2024માં છેલ્લી IPL મેચ રમશે


ગયા વર્ષે રમાયેલી IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સે ટાઈટલ જીત્યું હતું. ધોનીની કેપ્ટન્સીમાં CSK ટીમ 2023માં પાંચમી વખત IPL ચેમ્પિયન બની હતી. ધોનીએ આખી સિઝનમાં ટીમ માટે કેટલીક શાનદાર ફિનિશિંગ ઇનિંગ્સ રમી હતી, જેણે ચાહકોનું ઘણું મનોરંજન કર્યું હતું. એમએસ ધોનીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 250 આઈપીએલ મેચ રમી છે, 218 ઈનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 38.79ની એવરેજ અને 135.92ની સ્ટ્રાઈક રેટથી 5082 રન બનાવ્યા છે. આ દરમિયાન ચેન્નાઈના કેપ્ટને 24 અડધી સદી ફટકારી છે. ધોની 2024માં ફરી એક વખત ચાહકોનું મનોરંજન કરતો જોવા મળશે, જો કે ધોનીની આ છેલ્લી આઈપીએલ હોય તેવું માનવામાં આવી રહ્યું છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.