મહેન્દ્ર સિંહ ધોનીએ દુબઈમાં હુક્કો પીવાની મજા માણી, વીડિયો વાયરલ, ચાહકોએ આપી જોરદાર પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2024-01-07 12:58:19

કેપ્ટન કુલ તરીકે જાણીતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છેલ્લા કેટલાક સમયથી દુબઈમાં રજાઓ માણી રહ્યા છે, ધોની નવા વર્ષની ઉજવણી કરવા માટે દુબઈ પહોંચ્યા છે. જ્યાં ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર ઋષભ પંત પણ તેની સાથે ન્યૂ યરની ઉજવણીની મજા માણી હતી. આ દરમિયાન ધોનીની તસવીરો અને વીડિયો સમયાંતરે સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે  'હુક્કો' પીતો જોવા મળી રહ્યો છે. ધોનીને મોઢામાંથી ધૂમાડા કાઢતો તેના ચાહકોને જબરદસ્ત આંચકો લાગ્યો છે. ધોનીનો આ વીડિયો જોઈને ચાહકો પણ અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.  


ધૂમાડાના ગોટા કાઢતો માહીનો વીડિયો વાયરલ


ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો હુક્કો પીતો વિડીયો વાયરલ થતા જ સોશિયલ મીડિયો પર તહેલકો મચી ગયો છે. આ વીડિયોમાં ધોની તેના મોંમાંથી ધૂમાડાના ગોટા કાઢતો દેખાય છે. આ વીડિયોમાં ધોની કોઈ પાર્ટીમાં હોય તેવું લાગી રહ્યું છે. ધોની જ્યાં ધૂમ્રપાન કરી રહ્યો છે ત્યાં બીજા ઘણા લોકો પણ હાજર છે. માહીએ ફોર્મલ કોટ અને પેન્ટ પહેર્યા છે. વીડિયોમાં ધોની કેટલાક લોકો સાથે ઉભો રહી વાત કરી રહ્યો છે.માહી લાંબા વાળ સાથે અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયા પૂર્વ વિકેટ કીપર માહીનો આ વીડિયો જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો તે જાણી શકાયું નથી.  


ધોની 2024માં છેલ્લી IPL મેચ રમશે


ગયા વર્ષે રમાયેલી IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સે ટાઈટલ જીત્યું હતું. ધોનીની કેપ્ટન્સીમાં CSK ટીમ 2023માં પાંચમી વખત IPL ચેમ્પિયન બની હતી. ધોનીએ આખી સિઝનમાં ટીમ માટે કેટલીક શાનદાર ફિનિશિંગ ઇનિંગ્સ રમી હતી, જેણે ચાહકોનું ઘણું મનોરંજન કર્યું હતું. એમએસ ધોનીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 250 આઈપીએલ મેચ રમી છે, 218 ઈનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 38.79ની એવરેજ અને 135.92ની સ્ટ્રાઈક રેટથી 5082 રન બનાવ્યા છે. આ દરમિયાન ચેન્નાઈના કેપ્ટને 24 અડધી સદી ફટકારી છે. ધોની 2024માં ફરી એક વખત ચાહકોનું મનોરંજન કરતો જોવા મળશે, જો કે ધોનીની આ છેલ્લી આઈપીએલ હોય તેવું માનવામાં આવી રહ્યું છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.