Mahesana : પહેલા Nitin Patelનો ગુસ્સો હવે ધારાસભ્ય કરસન સોલંકીના વળતા પ્રહાર, નીતિન કાકા પર કરસન કાકા બગડ્યા!


  • Published By :
  • Published Date : 2024-03-14 10:12:07

રાજનેતાઓ દ્વારા આપવામાં આવતું નિવેદન અનેક વખત ચર્ચાનો વિષય બનતો હોય છે. એમાં પણ સત્તાધારી પક્ષમાં રહેલા નેતા જો નિવેદન આપે તો વાત જ શું કરવી.. થોડા દિવસોથી નીતિન પટેલ દ્વારા આપવામાં આવેલું નિવેદન ચર્ચામાં છે. નીતિન પટેલે જાહેર મંચ પરથી બળાપો કાઢ્યો હોય તેવું લાગતું હતું. મનમાં ભરેલી વાત જાણે બહાર આવી ગઈ હોય તે પ્રકારનું તેમનું નિવેદન હતું. નીતિન પટેલ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર કડીના ધારાસભ્ય કરસન સોલંકીએ પ્રતિક્રિયા આપી છે. ધારાસભ્યએ જણાવ્યું કે હું નીતિનભાઈને પગે લાગુ છું, પરંતુ તે મારી સામે જોતા નથી. આથી મેં પણ બોલવાનું બંધ કરી દીધું છે. મેં કોઈને શિખામણ નથી આપી. 

કરસન સોલંકીએ નીતિન પટેલના નિવેદન પર આપી પ્રતિક્રિયા!

લોકસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ભાજપમાં સંગઠન મજબૂત છે તે વાતને નકારી ના શકાય પરંતુ તે સંગઠનમાં જૂથવાદ પણ છે તેનો પણ સ્વીકાર કરવો પડશે! ભાજપમાં ચાલતા જૂથવાદને લઈ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને તે પણ જાહેર મંચ પરથી. નીતિન કાકાએ બળાપો કાઢ્યો હોય તેવું લાગતું હતું. ત્યારે નીતિન પટેલના નિવેદનને લઈ ઘમાસાણ છેડાઈ ગયું છે. કડીના ધારાસભ્ય કરસન સોલંકીએ નીતિન પટેલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. 


કરસન સોલંકીએ નિવેદન આપતા કહ્યું કે.... 

નિવેદન આપતા કરસન સોલંકીએ કહ્યું કે નીતિન પટેલ મને બોલાવતા નથી. બે મહિનાથી નીતિનભાઈ મને બોલાવતા નથી. બે જૂથ પડ્યા એવું મને દેખાતું નથી, એવું હોય તો નીતિનભાઈ જાણે...નીતિનભાઈ જાણતા હોય બે જૂથ પડ્યા તો એમને ખબર. મેં ભરતભાઈનો વિરોધ કર્યો જ નથી. અમે તો રજૂઆત કરી હતી કે પાલિકામાં બેન ચાલે જ નહીં પ્રમુખમાં. મેં રજૂઆત કરેલી કે બેન સિવાય બીજાને પ્રમુખ બનાવો. કરસન સોલંકી નિવેદન આપતા અનેક વાતો કહી છે. 


શું કહ્યું હતું ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે? 

નીતિન પટેલે કડીમાં આયોજીત કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે તમે આજકાલના આવેલા અમને શીખવાડશો? કડીમાં કયો કાર્યકર ચાલે અને કયો કાર્યકર ના ચાલે એની મારા જેટલી કોઈને ખબર નહિ હોય. કોઈ ચમચાગીરી નહીં કરવાની. નીતિન પટેલે પછી ઉદાહરણ આપ્યું કે મહેસાણા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરત પટેલ નીચે બેઠા છે અને અમુક લોકો કહે મને મંચ પર ના બેસાડ્યા. અત્યારે ઘરનો શીરો ખીચડી જેવો લાગે, પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે છે. નેતાઓ વચ્ચે ચાલતા વાક્યુદ્ધ પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો... 



દાહોદમાં ખુબ ગાજેલું મનરેગા કૌભાંડ જેમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડ જેલવાસ ભોગવીને હાલમાં જામીન પર બહાર છે. ત્યારે મંત્રી બચુ ખાબડ છેલ્લી ૧૧ કેબિનેટની બેઠકોમાં ગેરહાજર રહ્યા છે. તો હવે અહીં સવાલ છે કે, શું મંત્રી બચુ ખાબડની આગામી મંત્રી મંડળના વિસ્તરણ વખતે વિકેટ પડવા જઈ રહી છે. છેલ્લે , ૨૩મી એપ્રિલની કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડે હાજરી આપી હતી .

ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.