Mahesana : પહેલા Nitin Patelનો ગુસ્સો હવે ધારાસભ્ય કરસન સોલંકીના વળતા પ્રહાર, નીતિન કાકા પર કરસન કાકા બગડ્યા!


  • Published By :
  • Published Date : 2024-03-14 10:12:07

રાજનેતાઓ દ્વારા આપવામાં આવતું નિવેદન અનેક વખત ચર્ચાનો વિષય બનતો હોય છે. એમાં પણ સત્તાધારી પક્ષમાં રહેલા નેતા જો નિવેદન આપે તો વાત જ શું કરવી.. થોડા દિવસોથી નીતિન પટેલ દ્વારા આપવામાં આવેલું નિવેદન ચર્ચામાં છે. નીતિન પટેલે જાહેર મંચ પરથી બળાપો કાઢ્યો હોય તેવું લાગતું હતું. મનમાં ભરેલી વાત જાણે બહાર આવી ગઈ હોય તે પ્રકારનું તેમનું નિવેદન હતું. નીતિન પટેલ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર કડીના ધારાસભ્ય કરસન સોલંકીએ પ્રતિક્રિયા આપી છે. ધારાસભ્યએ જણાવ્યું કે હું નીતિનભાઈને પગે લાગુ છું, પરંતુ તે મારી સામે જોતા નથી. આથી મેં પણ બોલવાનું બંધ કરી દીધું છે. મેં કોઈને શિખામણ નથી આપી. 

કરસન સોલંકીએ નીતિન પટેલના નિવેદન પર આપી પ્રતિક્રિયા!

લોકસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ભાજપમાં સંગઠન મજબૂત છે તે વાતને નકારી ના શકાય પરંતુ તે સંગઠનમાં જૂથવાદ પણ છે તેનો પણ સ્વીકાર કરવો પડશે! ભાજપમાં ચાલતા જૂથવાદને લઈ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને તે પણ જાહેર મંચ પરથી. નીતિન કાકાએ બળાપો કાઢ્યો હોય તેવું લાગતું હતું. ત્યારે નીતિન પટેલના નિવેદનને લઈ ઘમાસાણ છેડાઈ ગયું છે. કડીના ધારાસભ્ય કરસન સોલંકીએ નીતિન પટેલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. 


કરસન સોલંકીએ નિવેદન આપતા કહ્યું કે.... 

નિવેદન આપતા કરસન સોલંકીએ કહ્યું કે નીતિન પટેલ મને બોલાવતા નથી. બે મહિનાથી નીતિનભાઈ મને બોલાવતા નથી. બે જૂથ પડ્યા એવું મને દેખાતું નથી, એવું હોય તો નીતિનભાઈ જાણે...નીતિનભાઈ જાણતા હોય બે જૂથ પડ્યા તો એમને ખબર. મેં ભરતભાઈનો વિરોધ કર્યો જ નથી. અમે તો રજૂઆત કરી હતી કે પાલિકામાં બેન ચાલે જ નહીં પ્રમુખમાં. મેં રજૂઆત કરેલી કે બેન સિવાય બીજાને પ્રમુખ બનાવો. કરસન સોલંકી નિવેદન આપતા અનેક વાતો કહી છે. 


શું કહ્યું હતું ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે? 

નીતિન પટેલે કડીમાં આયોજીત કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે તમે આજકાલના આવેલા અમને શીખવાડશો? કડીમાં કયો કાર્યકર ચાલે અને કયો કાર્યકર ના ચાલે એની મારા જેટલી કોઈને ખબર નહિ હોય. કોઈ ચમચાગીરી નહીં કરવાની. નીતિન પટેલે પછી ઉદાહરણ આપ્યું કે મહેસાણા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરત પટેલ નીચે બેઠા છે અને અમુક લોકો કહે મને મંચ પર ના બેસાડ્યા. અત્યારે ઘરનો શીરો ખીચડી જેવો લાગે, પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે છે. નેતાઓ વચ્ચે ચાલતા વાક્યુદ્ધ પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો... 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.