Mahesana : પહેલા Nitin Patelનો ગુસ્સો હવે ધારાસભ્ય કરસન સોલંકીના વળતા પ્રહાર, નીતિન કાકા પર કરસન કાકા બગડ્યા!


  • Published By :
  • Published Date : 2024-03-14 10:12:07

રાજનેતાઓ દ્વારા આપવામાં આવતું નિવેદન અનેક વખત ચર્ચાનો વિષય બનતો હોય છે. એમાં પણ સત્તાધારી પક્ષમાં રહેલા નેતા જો નિવેદન આપે તો વાત જ શું કરવી.. થોડા દિવસોથી નીતિન પટેલ દ્વારા આપવામાં આવેલું નિવેદન ચર્ચામાં છે. નીતિન પટેલે જાહેર મંચ પરથી બળાપો કાઢ્યો હોય તેવું લાગતું હતું. મનમાં ભરેલી વાત જાણે બહાર આવી ગઈ હોય તે પ્રકારનું તેમનું નિવેદન હતું. નીતિન પટેલ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર કડીના ધારાસભ્ય કરસન સોલંકીએ પ્રતિક્રિયા આપી છે. ધારાસભ્યએ જણાવ્યું કે હું નીતિનભાઈને પગે લાગુ છું, પરંતુ તે મારી સામે જોતા નથી. આથી મેં પણ બોલવાનું બંધ કરી દીધું છે. મેં કોઈને શિખામણ નથી આપી. 

કરસન સોલંકીએ નીતિન પટેલના નિવેદન પર આપી પ્રતિક્રિયા!

લોકસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ભાજપમાં સંગઠન મજબૂત છે તે વાતને નકારી ના શકાય પરંતુ તે સંગઠનમાં જૂથવાદ પણ છે તેનો પણ સ્વીકાર કરવો પડશે! ભાજપમાં ચાલતા જૂથવાદને લઈ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને તે પણ જાહેર મંચ પરથી. નીતિન કાકાએ બળાપો કાઢ્યો હોય તેવું લાગતું હતું. ત્યારે નીતિન પટેલના નિવેદનને લઈ ઘમાસાણ છેડાઈ ગયું છે. કડીના ધારાસભ્ય કરસન સોલંકીએ નીતિન પટેલના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. 


કરસન સોલંકીએ નિવેદન આપતા કહ્યું કે.... 

નિવેદન આપતા કરસન સોલંકીએ કહ્યું કે નીતિન પટેલ મને બોલાવતા નથી. બે મહિનાથી નીતિનભાઈ મને બોલાવતા નથી. બે જૂથ પડ્યા એવું મને દેખાતું નથી, એવું હોય તો નીતિનભાઈ જાણે...નીતિનભાઈ જાણતા હોય બે જૂથ પડ્યા તો એમને ખબર. મેં ભરતભાઈનો વિરોધ કર્યો જ નથી. અમે તો રજૂઆત કરી હતી કે પાલિકામાં બેન ચાલે જ નહીં પ્રમુખમાં. મેં રજૂઆત કરેલી કે બેન સિવાય બીજાને પ્રમુખ બનાવો. કરસન સોલંકી નિવેદન આપતા અનેક વાતો કહી છે. 


શું કહ્યું હતું ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે? 

નીતિન પટેલે કડીમાં આયોજીત કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે તમે આજકાલના આવેલા અમને શીખવાડશો? કડીમાં કયો કાર્યકર ચાલે અને કયો કાર્યકર ના ચાલે એની મારા જેટલી કોઈને ખબર નહિ હોય. કોઈ ચમચાગીરી નહીં કરવાની. નીતિન પટેલે પછી ઉદાહરણ આપ્યું કે મહેસાણા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરત પટેલ નીચે બેઠા છે અને અમુક લોકો કહે મને મંચ પર ના બેસાડ્યા. અત્યારે ઘરનો શીરો ખીચડી જેવો લાગે, પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે છે. નેતાઓ વચ્ચે ચાલતા વાક્યુદ્ધ પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો... 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.