મહેસાણામાં ગાયકવાડી મંદિરે વિઘ્નહર્તાને પોલીસ દ્વારા અપાયું ગાર્ડ ઓફ ઓનર


  • Published By :
  • Published Date : 2023-09-19 18:23:53

સામાન્ય રીતે ગાર્ડ ઓફ ઓનર રાષ્ટ્રપતિ, આર્મીના સૈનિક, પ્રધાનમંત્રી કે રાજકીય નેતાઓને આપવામાં આવે છે પરંતુ મહેસાણામાં વર્ષોથી ગણપતિ દાદાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા ચાલતી આવે છે


મહેસાણામાં 112 વર્ષ જૂના ગાયકવાડી ગણપતિ મંદિરે ગણપતિ મહોત્સવ નિમિત્તે ગણેશજીને ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા છે. જે અંતર્ગત આજરોજ મહેસાણા પોલીસ દ્વારા દુંદાળાદેવને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.


મહેસાણા શહેરના રાજમહેલ રોડ પર આવેલ ધાર્મિક આસ્થા સાથે જોડાયલ અંદાજે 112 વર્ષ પૌરાણિક ગણેશ મંદિરમાં બિરાજમાન જમણી સુંઢ ધારણ કરનાર સિદ્ધિ વિનાયક ભગવાનની સમગ્ર ભારતમાં મહિમા જાણીતી બની છે. મહેસાણાના એકમાત્ર ગણેશજીને ગાયકવાડ શાસનકાળથી અપતાં ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા છેલ્લા 90 વર્ષથી નિભાવવામાં આવી રહી છે. આજે પણ દર વર્ષે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણપતિદાદાના જન્મ જયંતિએ પોલીસના જવાનો સન્માનભેર ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા નિભાવી રહ્યા છે.


આજથી શરૂ થયેલ ગણેશોત્સવ નિમિતે મહેસાણામાં ગાયકવાડી ગણપતિ મંદિરે ગણપતિ દાદાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. મહેસાણાના મુખ્ય બજારમાં આવેલું સિદ્ધિ વિનાયક ગાયકવાડી ગણપતિ મંદિર લગભગ 112 વર્ષ પુરાણુ મંદિર છે. જ્યાં ગાયકવાડ દર્શન કરવા આવતા હતા જેઓ ગણપતિ દાદાના પરમ ભક્ત હતા. જેઓએ ગાર્ડ ઓફ ઓનરની શરૂઆત કરી હતી



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.