મહેસાણામાં ગાયકવાડી મંદિરે વિઘ્નહર્તાને પોલીસ દ્વારા અપાયું ગાર્ડ ઓફ ઓનર


  • Published By :
  • Published Date : 2023-09-19 18:23:53

સામાન્ય રીતે ગાર્ડ ઓફ ઓનર રાષ્ટ્રપતિ, આર્મીના સૈનિક, પ્રધાનમંત્રી કે રાજકીય નેતાઓને આપવામાં આવે છે પરંતુ મહેસાણામાં વર્ષોથી ગણપતિ દાદાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા ચાલતી આવે છે


મહેસાણામાં 112 વર્ષ જૂના ગાયકવાડી ગણપતિ મંદિરે ગણપતિ મહોત્સવ નિમિત્તે ગણેશજીને ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા છે. જે અંતર્ગત આજરોજ મહેસાણા પોલીસ દ્વારા દુંદાળાદેવને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.


મહેસાણા શહેરના રાજમહેલ રોડ પર આવેલ ધાર્મિક આસ્થા સાથે જોડાયલ અંદાજે 112 વર્ષ પૌરાણિક ગણેશ મંદિરમાં બિરાજમાન જમણી સુંઢ ધારણ કરનાર સિદ્ધિ વિનાયક ભગવાનની સમગ્ર ભારતમાં મહિમા જાણીતી બની છે. મહેસાણાના એકમાત્ર ગણેશજીને ગાયકવાડ શાસનકાળથી અપતાં ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા છેલ્લા 90 વર્ષથી નિભાવવામાં આવી રહી છે. આજે પણ દર વર્ષે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણપતિદાદાના જન્મ જયંતિએ પોલીસના જવાનો સન્માનભેર ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા નિભાવી રહ્યા છે.


આજથી શરૂ થયેલ ગણેશોત્સવ નિમિતે મહેસાણામાં ગાયકવાડી ગણપતિ મંદિરે ગણપતિ દાદાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. મહેસાણાના મુખ્ય બજારમાં આવેલું સિદ્ધિ વિનાયક ગાયકવાડી ગણપતિ મંદિર લગભગ 112 વર્ષ પુરાણુ મંદિર છે. જ્યાં ગાયકવાડ દર્શન કરવા આવતા હતા જેઓ ગણપતિ દાદાના પરમ ભક્ત હતા. જેઓએ ગાર્ડ ઓફ ઓનરની શરૂઆત કરી હતી



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.