મહેશ સવાણી ફરી સક્રિય થતાં રાજકારણ ગરમાયું, સુરતમાં ભાજપ માટે કર્યો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-26 11:10:27

સુરતના જાણીતા હિરા વેપારી મહેશ સવાણી ફરી જાહેરમાં જોવા મળતા રાજકારણ ગરમાયું છે. મહેશ સવાણી રાજકારણને લઈને ફરી ચર્ચામાં આવ્યા છે. આ વખતે મહેશ સવાણી ભાજપનો ખેસ પહેરીને સ્ટેજ પર જોવા મળ્યા હતા. આ અંગે મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી સાથે છોડ્યા બાદ મને લાગ્યું કે સારા માણસનો સાથ આપવો જોઈએ એટલે હું પ્રચાર માટે ઉતર્યો છું. મહેશ સવાણી કતારગામમાં ભાજપના ઉમેદવાર વિનોદ મોરડિયાનો પ્રચાર કરવા પહોંચ્યા હતા. વરાછા બેઠક અંગે પોતાનો અભિપ્રાય આપતા મહેશ સવાણીએ કહ્યું કે, ત્રણેય પાટીદારો છે પણ પ્રજાનો સંકલ્પ ફાઇનલ હોય છે. કતાર ગામમાં ત્રણેય પાટીદારો હોવાથી રસાકસી જોવા મળી રહ્યો છે. 


મહેશ સવાણીએ AAPને કર્યા હતા રામરામ


સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની હાજરીમાં સુરતમાં જૂન, 2021માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.  મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને 'આપ'નો ખેસ પહેર્યા બાદ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રત્યે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. મહેશ સવાણી ભાજપનો સાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાતા સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. જો કે બાદમાં સવાણીએ આપ સાથે છેડો ફાંડ્યો હતો અને માત્ર સમાજસેવા પર ધ્યાન કેંદ્રીત કરવાની જાહેરાત કરી હતી.



એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.

રાજકોટમાં 14 વર્ષના બાળકનું મોત અચાનક થઈ ગયું છે. શેરીમાં બાળક ક્રિકેટ રમી રહ્યો હતો, અચાનક તે ઢળી પડ્યો અને મોત થઈ ગયું છે. મોત કયા કારણોસર થયું તેની ખર પોસ્ટ મોર્ટમ બાદ થશે. પરંતુ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે તો ભાજપ પણ પોતાની વાત મક્કમ દેખાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રાણીઓ આવ્યા હતા.. આ મીટિંગ દરમિયાન ક્ષત્રિયાણી દ્વારા એવા નિવેદન આપવામાં આવ્યા જે સ્વીકાર્ય ના હોય.!

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં તાપમાન 40ને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે ત્રણ દિવસો દરમિયાન ગરમી નહીં વધે પરંતુ તે બાદ ગરમીનો પારો સતત વધશે. હવામાન નિષ્ણાત દ્વારા પણ આવી આગાહી કરવામાં આવી છે.