Jammu-Kashmirમાં MahipalSinh આપણા માટે શહીદ થયા છે, તે યાદ રાખજો...


  • Published By :
  • Published Date : 2023-08-08 11:22:37

દેશની સુરક્ષા માટે તત્પર રહેતા જવાન જ્યારે સરહદ પર શહિદ થાય છે ત્યારે તે અમર બની જાય છે. એ અમર રહેશે જો આપણે તેમને અમર રાખીશું. અમર આપણી વાર્તામાં, અમર આપણા દિલમાં. આપણે આપણા ઘરમાં સુરક્ષિત છીએ કારણ કે દેશની અને આપણી સુરક્ષા કરવા માટે સરહદ પર જવાન તૈનાત છે. આપણે નિશ્ચિંત થઈ ફરી શકીએ છીએ કારણ કે આપણને વિશ્વાસ છે કે આપણી, આપણા પરિવારની સુરક્ષા જવાન કરી રહ્યા છે. પોતાના પરિવારથી દૂર આપણા પરિવારની સુરક્ષા માટે જવાન પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર, પોતાના પરિવારનો વિચાર કર્યા વગર પોતાની ફરજ સમજી કરે છે.  


દેશની રક્ષા માટે બલિદાન આપવા, એક ક્ષણ પણ નથી વિચારતા   

વાત જવાનની એટલા માટે કરવી છે કારણ કે ભારત માતાની સેવા કરવા, રક્ષા કરવા માટે  મહિપાલસિંહ જેવા અનેક વીર જવાનોએ પોતાના પ્રાણોની આહુતી આપી છે. 20-30 વર્ષની ઉંમરે એક તરફ તથ્ય પટેલ જેવા યુવાનો છે જેને પોતાના સિવાય કોઈ બીજાના પ્રાણની ચિંતા નથી અને એક તરફ સરહદ પર 20-30 વર્ષનો જવાન પોતાની ચિંતા કર્યા વગર દેશ માટે પોતાના જીવનો બલિદાન આપી દે છે. દેશનું એ સદ્ભાગ્ય ગણો કે શહીદ પરિવારનું દુર્ભાગ્ય ગણો કે નાની ઉંમરે યુવાનો આપણા માટે શહીદ થઈ જાય ત્યારે વિચારવું જરૂરી છે કે આપણી આદર્શની કહાનીમાંથી, આપણી વાર્તાઓમાંથી આવાથી આવા મહિપાલસિંહ ભૂંસાવા ન જોઈએ. કારણ કે આ લોકો છે આપણી સુરક્ષા માટે, દેશના આત્મસન્માન માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દે છે.

જ્યારે જ્યારે આપણે આપણું કર્તવ્ય પાલન કરવાનું ચૂકવીએ ત્યારે ત્યારે

મહિપાલસિંહ તેમજ શહીદોના બલિદાનને એટલા માટે બાળકોને વાર્તાના સ્વરૂપમાં, આદર્શોની રીતે એટલા માટે સતત કહેવી જોઈએ કારણ કે ભગતસિંહથી લઈ મહિપાલસિંહનો ઈતિહાસ કહે છે કે 23-25 વર્ષના યુવાનો દેશની સુરક્ષા માટે શહીદ થાય છે. આપણે દેશના સ્વાભીમાનની વાતો કરીએ છીએ પરંતુ આપણે આપણું કર્તવ્ય ભૂલી જઈએ છીએ. અને જ્યારે જ્યારે આપણે આપણી પ્રામાણિક્તા ચૂકી રહ્યા છીએ એવું લાગે કે આપણે આપણા કર્તવ્ય ચૂકી જતા હોઈએ, જ્યારે આપણને લાગે કે આપણે આપણા કર્તવ્યો સભાનતાથી નથી નિભાવી રહ્યા, જ્યારે જ્યારે એવું લાગે કે આ દેશની આઝાદીનું આપણે મૂલ્ય નથી સાચવી શક્તા ત્યારે ત્યારે ભગતસિંહથી લઈ મહિપાલસિંહ દ્વારા આપવામાં આવેલા બલિદાનને યાદ કરી લેજો.


આપણી રક્ષા માટે સરહદ પર ઉભા રહેતા જવાન પોતાના સીના પર ખાય છે ગોળી 

આજની પેઢીના રોલ મોડલ રીલ હીરો હોય પરંતુ વાસ્તવિક્તામાં તેમના રોલ મોડલ રિયલ હિરો એટલે હોવા જોઈએ જે દેશ માટે શહીદ થાય છે. આપણામાંથી અનેક લોકો એવા હશે જે આવા શહીદોને ત્યારે જ યાદ રાખતા હશે જ્યારે તેમના પર ફિલ્મ બની હોય. દરેક શહીદને કોઈ પણ યાદ ન રાખી શકીએ, પરંતુ આપણા માટે તેમણે પોતાની જીવનની આહુતિ આપી છે એ તો યાદ રાખી શકીએ ને... કારણ કે એ લોકો દુશ્મની ગોળી પોતાની છાતીએ ખાય છે, દેશની રક્ષા માટે શહીદ થાય છે ત્યારે જ આપણે આપણા પરિવાર સાથે સુરક્ષિત રહી શકીએ છીએ. 'શહીદ અમર રહે'ના નારા તો ખૂબ લગાવ્યા પરંતુ હવે તેમને પોતાના મનમાં, આપણા કર્તવ્ય પાલનમાં તેમને અમર રાખવાના છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.