માતરથી ટિકિટ મળતા મહિપતસિંહ ચૌહાણને કરવો પડ્યો વિરોધનો સામનો, AAPના કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2022-11-04 17:10:19

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ કોંગ્રેસ અને ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. જ્યારે આમ આદમી પાર્ટીએ તબક્કાવાર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. નવમું લિસ્ટ જાહેર કરી આપે 100થી વધુ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે ટિકિટ ફાળવણીને લઈ આમ આદમી પાર્ટીમાં ડખા જોવા મળી રહ્યા છે. માતર વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ મહિપતસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. મહિપતસિંહને ટિકિટ આપવાને કારણે કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. 



ખેડા જિલ્લાની માતર બેઠક પરથી આપના ઉમેદવાર છે મહિપતસિંહ ચૌહાણ   

ચૂંટણીની તારીખો ભલે હમણાં જાહેર કરવામાં આવી છે પરંતુ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ ઘણાં પહેલા જાહેર કરી દીધા છે. તબક્કાવાર નામની જાહેરાત કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીએ માતરથી મહિપતસિંહ ચૌહાણને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે જે બાદ પાર્ટીના નિર્ણયનો વિરોધ કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. મહિપતસિંહે પક્ષમાંથી એક સમયે રાજીનામું આપી દીધું હતું અને તે બાદ પણ તેમને ટિકિટ અપાતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. 


મહિપતસિંહનો વિરોધ કરવા એકઠા થયેલા AAPના કાર્યકરો.

મહિપતસિંહને ટિકિટ અપાતા કાર્યકરોએ કર્યો વિરોધ 

આમ આદમી પાર્ટીએ માતર વિધાનસભા બેઠક માટે મહિપતસિંહ ચૌહાણનું નામ જાહેર કર્યું હતું. પરંતુ તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે તે અંગે તેમને પણ જાણ ન હતી. તો બીજી તરફ માતર બેઠક માટે તેમની પસંદગી કરવામાં આવતા ખેડા જિલ્લાના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહિપતસિંહે એક વખત પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. એક સમયે પાર્ટીને અલવિદા કહેનારને ટિકિટ આપવામાં આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. પોતાનો વિરોધ નોંધાવતા કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉપરાંત તમામ કાર્યકરોએ આપમાંથી રાજીનામું આપી નવો પક્ષ રચવાની ચિમક્કી પણ આપવામાં આવી હતી. 

Mahipatsinh chauhan | Facebook

કોઈ પણ પાર્ટી હોય, આંતરિક વિખવાદ તો હોય જ છે  

ટિકિટ ફાળવણી દરમિયાન પાર્ટીમાં ચાલતા આંતરિક વિખવાદ ખુલ્લીને બહાર આવતા હોય છે. કોઈ પણ પાર્ટી હોય ટિકિટ વહેંચણીના સમયે પાર્ટીના સભ્યો વચ્ચે મનમોટાવ થઈ જતો હોય છે. આપમાંથી આવા ડખા સામે આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. આવા આંતરિક વિખવાદ ભાજપ અને કોંગ્રેસમાંથી પણ આવે તો નવાઈ નહીં.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.