માતરથી ટિકિટ મળતા મહિપતસિંહ ચૌહાણને કરવો પડ્યો વિરોધનો સામનો, AAPના કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2022-11-04 17:10:19

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ કોંગ્રેસ અને ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. જ્યારે આમ આદમી પાર્ટીએ તબક્કાવાર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. નવમું લિસ્ટ જાહેર કરી આપે 100થી વધુ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે ટિકિટ ફાળવણીને લઈ આમ આદમી પાર્ટીમાં ડખા જોવા મળી રહ્યા છે. માતર વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ મહિપતસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. મહિપતસિંહને ટિકિટ આપવાને કારણે કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. 



ખેડા જિલ્લાની માતર બેઠક પરથી આપના ઉમેદવાર છે મહિપતસિંહ ચૌહાણ   

ચૂંટણીની તારીખો ભલે હમણાં જાહેર કરવામાં આવી છે પરંતુ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ ઘણાં પહેલા જાહેર કરી દીધા છે. તબક્કાવાર નામની જાહેરાત કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીએ માતરથી મહિપતસિંહ ચૌહાણને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે જે બાદ પાર્ટીના નિર્ણયનો વિરોધ કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. મહિપતસિંહે પક્ષમાંથી એક સમયે રાજીનામું આપી દીધું હતું અને તે બાદ પણ તેમને ટિકિટ અપાતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. 


મહિપતસિંહનો વિરોધ કરવા એકઠા થયેલા AAPના કાર્યકરો.

મહિપતસિંહને ટિકિટ અપાતા કાર્યકરોએ કર્યો વિરોધ 

આમ આદમી પાર્ટીએ માતર વિધાનસભા બેઠક માટે મહિપતસિંહ ચૌહાણનું નામ જાહેર કર્યું હતું. પરંતુ તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે તે અંગે તેમને પણ જાણ ન હતી. તો બીજી તરફ માતર બેઠક માટે તેમની પસંદગી કરવામાં આવતા ખેડા જિલ્લાના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહિપતસિંહે એક વખત પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. એક સમયે પાર્ટીને અલવિદા કહેનારને ટિકિટ આપવામાં આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. પોતાનો વિરોધ નોંધાવતા કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉપરાંત તમામ કાર્યકરોએ આપમાંથી રાજીનામું આપી નવો પક્ષ રચવાની ચિમક્કી પણ આપવામાં આવી હતી. 

Mahipatsinh chauhan | Facebook

કોઈ પણ પાર્ટી હોય, આંતરિક વિખવાદ તો હોય જ છે  

ટિકિટ ફાળવણી દરમિયાન પાર્ટીમાં ચાલતા આંતરિક વિખવાદ ખુલ્લીને બહાર આવતા હોય છે. કોઈ પણ પાર્ટી હોય ટિકિટ વહેંચણીના સમયે પાર્ટીના સભ્યો વચ્ચે મનમોટાવ થઈ જતો હોય છે. આપમાંથી આવા ડખા સામે આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. આવા આંતરિક વિખવાદ ભાજપ અને કોંગ્રેસમાંથી પણ આવે તો નવાઈ નહીં.     



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"