માતરથી ટિકિટ મળતા મહિપતસિંહ ચૌહાણને કરવો પડ્યો વિરોધનો સામનો, AAPના કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2022-11-04 17:10:19

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ કોંગ્રેસ અને ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. જ્યારે આમ આદમી પાર્ટીએ તબક્કાવાર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. નવમું લિસ્ટ જાહેર કરી આપે 100થી વધુ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે ટિકિટ ફાળવણીને લઈ આમ આદમી પાર્ટીમાં ડખા જોવા મળી રહ્યા છે. માતર વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ મહિપતસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. મહિપતસિંહને ટિકિટ આપવાને કારણે કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. 



ખેડા જિલ્લાની માતર બેઠક પરથી આપના ઉમેદવાર છે મહિપતસિંહ ચૌહાણ   

ચૂંટણીની તારીખો ભલે હમણાં જાહેર કરવામાં આવી છે પરંતુ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ ઘણાં પહેલા જાહેર કરી દીધા છે. તબક્કાવાર નામની જાહેરાત કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીએ માતરથી મહિપતસિંહ ચૌહાણને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે જે બાદ પાર્ટીના નિર્ણયનો વિરોધ કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. મહિપતસિંહે પક્ષમાંથી એક સમયે રાજીનામું આપી દીધું હતું અને તે બાદ પણ તેમને ટિકિટ અપાતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. 


મહિપતસિંહનો વિરોધ કરવા એકઠા થયેલા AAPના કાર્યકરો.

મહિપતસિંહને ટિકિટ અપાતા કાર્યકરોએ કર્યો વિરોધ 

આમ આદમી પાર્ટીએ માતર વિધાનસભા બેઠક માટે મહિપતસિંહ ચૌહાણનું નામ જાહેર કર્યું હતું. પરંતુ તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે તે અંગે તેમને પણ જાણ ન હતી. તો બીજી તરફ માતર બેઠક માટે તેમની પસંદગી કરવામાં આવતા ખેડા જિલ્લાના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહિપતસિંહે એક વખત પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. એક સમયે પાર્ટીને અલવિદા કહેનારને ટિકિટ આપવામાં આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. પોતાનો વિરોધ નોંધાવતા કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉપરાંત તમામ કાર્યકરોએ આપમાંથી રાજીનામું આપી નવો પક્ષ રચવાની ચિમક્કી પણ આપવામાં આવી હતી. 

Mahipatsinh chauhan | Facebook

કોઈ પણ પાર્ટી હોય, આંતરિક વિખવાદ તો હોય જ છે  

ટિકિટ ફાળવણી દરમિયાન પાર્ટીમાં ચાલતા આંતરિક વિખવાદ ખુલ્લીને બહાર આવતા હોય છે. કોઈ પણ પાર્ટી હોય ટિકિટ વહેંચણીના સમયે પાર્ટીના સભ્યો વચ્ચે મનમોટાવ થઈ જતો હોય છે. આપમાંથી આવા ડખા સામે આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. આવા આંતરિક વિખવાદ ભાજપ અને કોંગ્રેસમાંથી પણ આવે તો નવાઈ નહીં.     



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.