Mahisagar : યુવાને રીલ બનાવવા હવામાં કર્યુ ફાયરિંગ! સોશિયલ મીડિયા પર વીડિયો કર્યો અપલોડ.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-19 15:44:03

સોશિયલ મીડિયા પર લાઈક મેળવવાના ચક્કરમાં અનેક લોકો કાયદાનું ભાન ભૂલી જતા હોય છે. રીલ્સ બનાવવા માટે કોઈ વખત છુટ્ટા હાથે વાહન ચલાવે છે તો કોઈ વખત ચાલુ વાહને કોઈ અચાનક ઉભું થઈ જાય છે. આવા વીડિયો સોશિયલ મીડિયા પર અનેક વખત જોવા મળતા હોય છે. એ વીડિયોને જોયા બાદ એવું પણ આપણા મનમાં થાય આવા લોકો વિરૂદ્ધ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? ત્યારે મહીસાગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ રીલ્સ બનાવવાના ચક્કરમાં હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. કારમાં બેસી હવામાં ફાયરિંગ કરતો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.



રીલ બનાવવાના ચક્કરમાં એક વ્યક્તિએ હવામાં કર્યું ફાયરિંગ  

રોલો પાડવા માટે, રીલ્સ બનાવવા માટે આજકાલ લોકો એવા એવા સ્ટંટ કરે છે કે તે લોકો પોતાના જીવને તો જોખમમાં મૂકે જ છે પરંતુ બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે. સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો જોયા હશે જેમાં રીલ્સના ચક્કરમાં લોકો જીવનું પણ નથી વિચારતા. કાયદો જાણે છે જ નહીં તેવી રીતે લોકો વર્તતા હોય છે. ત્યારે એક વીડિયો મહીસાગરથી સામે આવ્યો છે જેમાં કારમાં બેસી એક વ્યક્તિ હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. લુણાવાડામાં રહેતા રોનક ગઢવી નામનાં યુવકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હવામાં ફાયરિંગ કરતો વિડિયો અપલોડ કર્યો છે.   



સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ પોલીસ કરે છે કાર્યવાહી 

જેમ લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે તેવી રીતે પોલીસ પણ જાણે સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ છે તેવું લાગે છે. સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ, કાયદો ભંગ કરતા લોકો વિરૂદ્ધ પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા એવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવતા હોય છે જેમાં લખવામાં આવ્યું હોય છે Before અને After. બિફોરમાં સ્ટંટ કરતો વીડિયો મૂકવામાં આવે છે જ્યારે આફ્ટરમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો વીડિયો મૂકવામાં આવે છે. ત્યારે આ વીડિયો પર પોલીસ એક્શન લે છે કે કેમ તે જોવું રહ્યું...     



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે