Mahisagar : યુવાને રીલ બનાવવા હવામાં કર્યુ ફાયરિંગ! સોશિયલ મીડિયા પર વીડિયો કર્યો અપલોડ.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-19 15:44:03

સોશિયલ મીડિયા પર લાઈક મેળવવાના ચક્કરમાં અનેક લોકો કાયદાનું ભાન ભૂલી જતા હોય છે. રીલ્સ બનાવવા માટે કોઈ વખત છુટ્ટા હાથે વાહન ચલાવે છે તો કોઈ વખત ચાલુ વાહને કોઈ અચાનક ઉભું થઈ જાય છે. આવા વીડિયો સોશિયલ મીડિયા પર અનેક વખત જોવા મળતા હોય છે. એ વીડિયોને જોયા બાદ એવું પણ આપણા મનમાં થાય આવા લોકો વિરૂદ્ધ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? ત્યારે મહીસાગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ રીલ્સ બનાવવાના ચક્કરમાં હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. કારમાં બેસી હવામાં ફાયરિંગ કરતો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.



રીલ બનાવવાના ચક્કરમાં એક વ્યક્તિએ હવામાં કર્યું ફાયરિંગ  

રોલો પાડવા માટે, રીલ્સ બનાવવા માટે આજકાલ લોકો એવા એવા સ્ટંટ કરે છે કે તે લોકો પોતાના જીવને તો જોખમમાં મૂકે જ છે પરંતુ બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે. સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો જોયા હશે જેમાં રીલ્સના ચક્કરમાં લોકો જીવનું પણ નથી વિચારતા. કાયદો જાણે છે જ નહીં તેવી રીતે લોકો વર્તતા હોય છે. ત્યારે એક વીડિયો મહીસાગરથી સામે આવ્યો છે જેમાં કારમાં બેસી એક વ્યક્તિ હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. લુણાવાડામાં રહેતા રોનક ગઢવી નામનાં યુવકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હવામાં ફાયરિંગ કરતો વિડિયો અપલોડ કર્યો છે.   



સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ પોલીસ કરે છે કાર્યવાહી 

જેમ લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે તેવી રીતે પોલીસ પણ જાણે સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ છે તેવું લાગે છે. સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ, કાયદો ભંગ કરતા લોકો વિરૂદ્ધ પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા એવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવતા હોય છે જેમાં લખવામાં આવ્યું હોય છે Before અને After. બિફોરમાં સ્ટંટ કરતો વીડિયો મૂકવામાં આવે છે જ્યારે આફ્ટરમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો વીડિયો મૂકવામાં આવે છે. ત્યારે આ વીડિયો પર પોલીસ એક્શન લે છે કે કેમ તે જોવું રહ્યું...     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.