Mahisagar : યુવાને રીલ બનાવવા હવામાં કર્યુ ફાયરિંગ! સોશિયલ મીડિયા પર વીડિયો કર્યો અપલોડ.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-19 15:44:03

સોશિયલ મીડિયા પર લાઈક મેળવવાના ચક્કરમાં અનેક લોકો કાયદાનું ભાન ભૂલી જતા હોય છે. રીલ્સ બનાવવા માટે કોઈ વખત છુટ્ટા હાથે વાહન ચલાવે છે તો કોઈ વખત ચાલુ વાહને કોઈ અચાનક ઉભું થઈ જાય છે. આવા વીડિયો સોશિયલ મીડિયા પર અનેક વખત જોવા મળતા હોય છે. એ વીડિયોને જોયા બાદ એવું પણ આપણા મનમાં થાય આવા લોકો વિરૂદ્ધ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? ત્યારે મહીસાગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ રીલ્સ બનાવવાના ચક્કરમાં હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. કારમાં બેસી હવામાં ફાયરિંગ કરતો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.



રીલ બનાવવાના ચક્કરમાં એક વ્યક્તિએ હવામાં કર્યું ફાયરિંગ  

રોલો પાડવા માટે, રીલ્સ બનાવવા માટે આજકાલ લોકો એવા એવા સ્ટંટ કરે છે કે તે લોકો પોતાના જીવને તો જોખમમાં મૂકે જ છે પરંતુ બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે. સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો જોયા હશે જેમાં રીલ્સના ચક્કરમાં લોકો જીવનું પણ નથી વિચારતા. કાયદો જાણે છે જ નહીં તેવી રીતે લોકો વર્તતા હોય છે. ત્યારે એક વીડિયો મહીસાગરથી સામે આવ્યો છે જેમાં કારમાં બેસી એક વ્યક્તિ હવામાં ફાયરિંગ કરી રહ્યો છે. લુણાવાડામાં રહેતા રોનક ગઢવી નામનાં યુવકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હવામાં ફાયરિંગ કરતો વિડિયો અપલોડ કર્યો છે.   



સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ પોલીસ કરે છે કાર્યવાહી 

જેમ લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે તેવી રીતે પોલીસ પણ જાણે સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ છે તેવું લાગે છે. સ્ટંટ કરતા લોકો વિરૂદ્ધ, કાયદો ભંગ કરતા લોકો વિરૂદ્ધ પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા એવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવતા હોય છે જેમાં લખવામાં આવ્યું હોય છે Before અને After. બિફોરમાં સ્ટંટ કરતો વીડિયો મૂકવામાં આવે છે જ્યારે આફ્ટરમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો વીડિયો મૂકવામાં આવે છે. ત્યારે આ વીડિયો પર પોલીસ એક્શન લે છે કે કેમ તે જોવું રહ્યું...     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.