Mahisagar : 31st પહેલા પોલીસે પકડી પાડ્યો વિદેશી દારૂનો જથ્થો, આ વખતે દારૂની હેરાફેરી કરતી મહિલાઓ ઝડપાઈ!


  • Published By :
  • Published Date : 2023-12-22 12:47:31

ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ કાયદાનો અમલ કેટલો થાય છે તે આપણે જાણીએ છીએ. ગુજરાતને કોઈ ડ્રાય સ્ટેટ કહે તો હસવું આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અનેક વખત દારૂનો મોટો જથ્થો ઝડપાય છે. અનેક લાખોનો મુ્દ્દામાલને જપ્ત કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં પણ દારૂનો જથ્થો પકડાતો હોય છે ત્યારે હવે થોડા દિવસો બાદ 31મી ડિસેમ્બર આવી રહી છે. 31મી તારીખ પહેલા પોલીસ એક્ટિવ મોડમાં આવી છે. અનેક વાહનોના ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. ત્યારે મહીસાગરમાં ફરીથી દારૂનો જથ્થો ઝડપાયો છે. દારૂની હેરફેર કરતી મહિલાઓને મહીસાગર પોલીસે ઝડપી પાડી છે. 

દારૂની હેરાફેરી કરતી મહિલાઓ ઝડપાઈ! 

એક તરફ દારૂબંધીના કાયદાને લઈ પોલીસ થોડી સિરીયસ બની છે તો બીજી તરફ દારૂની હેરફેર માટે બુટલેગરો નવા નવા રસ્તાઓ અપનાવી રહ્યા છે. દારૂને એક જગ્યાથી બીજી જગ્યા સુધી પહોંચાડવા માટે અલગ અલગ અને અવનવા માર્ગોનો સહારો લેવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા મહીસાગરથી એસટી બસમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય તેવો કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે ફરી એક વખત મહીસાગરથી દારૂ પકડાવાનો કિસ્સો સામે આવ્યો છે અને દારૂની હેરફેર કરનાર કોઈ પુરૂષ નહીં પરંતુ મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. 


31મી ડિસેમ્બરને લઈ પોલીસ એક્ટિવ મોડમાં આવી! 

થોડા દિવસો બાદ ન્યુયર આવી રહ્યું છે. નવા વર્ષની ઉજવણી માટે  અનેક લોકો બહાર જતા હોય છે. મુખ્યત્વે પાર્ટી-શાટી થઈ શકે તેવી જગ્યાઓ પસંદ કરતા હોય છે કારણ કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. પરંતુ હવે તો ગુજરાતમાંથી પણ દારૂનો જથ્થો મળી રહ્યો છે. અનેક એવા કિસ્સાઓ છે જ્યાં મોટા જથ્થામાં દારૂ ઝડપાય છે. દારૂની હેરાફેરી એવી રીતે કરવામાં આવે છે કે કોઈને શક ન જાય. અલગ અલગ પ્રયોગો કરી દારૂની હેરાફેરી બુટલેગરો કરી રહ્યા છે. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે દારૂની હેરાફેરી પુરૂષો કરતા હોય છે પરંતુ મહીસાગરમાં દારૂની હેરાફેરી કરતી મહિલાઓ ઝડપાઈ છે. 


મહિલાઓ પાસેથી મળી આવ્યો વિદેશી દારૂ 

મળતી માહિતી અનુસાર કોઈને શક ન જાય તેવી રીતે લુણાવાડા બસ સ્ટેન્ડ પર વિદેશી દારૂ સાથે બે મહિલાઓ ઝડપાઈ છે. પોલીસને આ અંગેની બાતમી મળી હતી અને તે મુજબ પોલીસે ત્યાં તપાસ કરી હતી અને લુણાવાડા બસ સ્ટેન્ડ પર દારૂની હેરાફેરી કરતી મહિલાઓ ઝડપી લીધી. મહિલાઓ પાસેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. જે મહિલાઓ ઝડપાઈ છે તે દાહોદ જિલ્લાની 20 વર્ષીય છે અને એક મહિલાની ઉંમર 19 વર્ષની છે. 


દારૂબંધી કાયદો મજાકરૂપ બની ગયો!

મહત્વનું છે કે ગુજરાતમાં દારૂબંધી કાયદાના રોજે ધજાગરા ઉડી રહ્યા છે. અનેક જગ્યાઓ એવી છે જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, પોલીસને પણ જાણ હોય છે કે આ જગ્યા પર દારૂ વેચાય છે પરંતુ ત્યાં રેડ નથી કરતી! પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થાય છે.            



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.