Mahisagar ક્લાર્ક આત્મહત્યા કેસ : આરોપીની જામીન અરજી રદ્દ થઈ પરંતુ નથી કરવામાં આવી કાર્યવાહી, સમાજમાં રોષની લાગણી


  • Published By :
  • Published Date : 2023-10-12 17:16:45

આત્મહત્યાના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. ઉપરી અધિકારી દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસથી કંટાળીને અનેક લોકો આત્મહત્યા કરી લેતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા મહીસાગરના કડાણા મામલતદાર કચેરી ખાતે ફરજ નિભાવતા અલ્પેશ માળીનો મૃતદેહ બાલાસીનોર તેમના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. ફરજ દરમિયાન ક્લાર્કને જાતિવાચક શબ્દો બોલી તેમને અપમાનિત કરવામાં આવતા હતા. આ વાતની ફરિયાદ તેમણે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે પણ કરી હતી. પરંતુ કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા.આ ઘટનામાં પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આગોતરા જામીન પણ રદ્દ કરવામાં આવ્યા છે પરંતુ હજી સુધી તેમની ધરપકડ કરવામાં આવી નથી. તેનો વિરોધ દલિત સમાજ દ્વારા કરવામાં આવ્યો છે.     

The court ordered an inquiry into the death of the clerk of the Kadana Mamlatdar office Mahisagar: ઉપલા અધિકારીઓ જાતિવાચક શબ્દો બોલીને અપમાનિત કરતા હોવાનો ક્લાર્કે CMને લખ્યો પત્ર, બાદમાં મળી તેમની લાશ,હવે થઈ મોટી કાર્યવાહી

 

સીએમઓમાંથી જવાબ આવે તેની પહેલા ક્લાર્કે છોડી દુનિયા

થોડા સમય પહેલા મહીસાગરમાં દલિત ક્લાર્કે ઉપરી અધિકારીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ મહીસાગર જિલ્લા કોર્ટ દ્વારા સંતરામપુર પ્રાંત અધિકારી નાયબ મામલતદાર તેમજ અન્ય બે કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. આ અંગેની જાણ સીએમઓને પણ કરવામાં આવી. 21 જાન્યુઆરીના રોજ પત્ર લખ્યો હતો અને 29 જાન્યુઆરીના રોજ ક્લાર્કે આત્મહત્યા કરી લીધી. પરંતુ ત્યાંથી કોઈ જવાબ આવે તેની પહેલા જ ક્લાર્કે દુનિયાને અલવિદા કહી દીધું છે. ત્યારબાદ આ તમામ ચાર કર્મચારીઓ સંતરામપુર પ્રાંત અધિકારી કૌશિક જાદવ, નાયબ મામલતદાર એ વી વલવાઈ, નિલેશ શેઠ તેમજ કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. 



જામીન રદ્દ થયા બાદ પણ ન કરાઈ કાર્યવાહી, સમાજમાં ભારે રોષ 

આ ચાર કર્મચારીઓએ મહીસાગર જિલ્લા કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જે અંતર્ગત મહીસાગર જિલ્લા કોર્ટ દ્વારા આગોતરા જામીન રદ્દ કરવામાં આવ્યા છે. જામીન રદ્દ થયા બાદ પણ આ લોકોની ધરપકડ કરવામાં નથી આવી તેનો વિરોધ વિવિધ સામાજીક સંગઠનો દ્વારા કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થયાને એક મહિના ઉપરાંતનો સમય વીતી ગયો તેમ છતાં પોલીસ દ્વારા નથી કરવામાં આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મહીસાગર જિલ્લાના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સમાજના સમગ્ર સંગઠનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો યોગ્ય કાર્યવાહી કરી આરોપીઓની જલ્દી ધ૨પકડ ક૨વામાં નહિ આવે તો દલિત સમાજ આવનાર દિવસોમાં કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.