Mahisagar ક્લાર્ક આત્મહત્યા કેસ : આરોપીની જામીન અરજી રદ્દ થઈ પરંતુ નથી કરવામાં આવી કાર્યવાહી, સમાજમાં રોષની લાગણી


  • Published By :
  • Published Date : 2023-10-12 17:16:45

આત્મહત્યાના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. ઉપરી અધિકારી દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસથી કંટાળીને અનેક લોકો આત્મહત્યા કરી લેતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા મહીસાગરના કડાણા મામલતદાર કચેરી ખાતે ફરજ નિભાવતા અલ્પેશ માળીનો મૃતદેહ બાલાસીનોર તેમના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. ફરજ દરમિયાન ક્લાર્કને જાતિવાચક શબ્દો બોલી તેમને અપમાનિત કરવામાં આવતા હતા. આ વાતની ફરિયાદ તેમણે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે પણ કરી હતી. પરંતુ કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા.આ ઘટનામાં પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આગોતરા જામીન પણ રદ્દ કરવામાં આવ્યા છે પરંતુ હજી સુધી તેમની ધરપકડ કરવામાં આવી નથી. તેનો વિરોધ દલિત સમાજ દ્વારા કરવામાં આવ્યો છે.     

The court ordered an inquiry into the death of the clerk of the Kadana Mamlatdar office Mahisagar: ઉપલા અધિકારીઓ જાતિવાચક શબ્દો બોલીને અપમાનિત કરતા હોવાનો ક્લાર્કે CMને લખ્યો પત્ર, બાદમાં મળી તેમની લાશ,હવે થઈ મોટી કાર્યવાહી

 

સીએમઓમાંથી જવાબ આવે તેની પહેલા ક્લાર્કે છોડી દુનિયા

થોડા સમય પહેલા મહીસાગરમાં દલિત ક્લાર્કે ઉપરી અધિકારીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ મહીસાગર જિલ્લા કોર્ટ દ્વારા સંતરામપુર પ્રાંત અધિકારી નાયબ મામલતદાર તેમજ અન્ય બે કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. આ અંગેની જાણ સીએમઓને પણ કરવામાં આવી. 21 જાન્યુઆરીના રોજ પત્ર લખ્યો હતો અને 29 જાન્યુઆરીના રોજ ક્લાર્કે આત્મહત્યા કરી લીધી. પરંતુ ત્યાંથી કોઈ જવાબ આવે તેની પહેલા જ ક્લાર્કે દુનિયાને અલવિદા કહી દીધું છે. ત્યારબાદ આ તમામ ચાર કર્મચારીઓ સંતરામપુર પ્રાંત અધિકારી કૌશિક જાદવ, નાયબ મામલતદાર એ વી વલવાઈ, નિલેશ શેઠ તેમજ કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. 



જામીન રદ્દ થયા બાદ પણ ન કરાઈ કાર્યવાહી, સમાજમાં ભારે રોષ 

આ ચાર કર્મચારીઓએ મહીસાગર જિલ્લા કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જે અંતર્ગત મહીસાગર જિલ્લા કોર્ટ દ્વારા આગોતરા જામીન રદ્દ કરવામાં આવ્યા છે. જામીન રદ્દ થયા બાદ પણ આ લોકોની ધરપકડ કરવામાં નથી આવી તેનો વિરોધ વિવિધ સામાજીક સંગઠનો દ્વારા કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થયાને એક મહિના ઉપરાંતનો સમય વીતી ગયો તેમ છતાં પોલીસ દ્વારા નથી કરવામાં આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મહીસાગર જિલ્લાના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સમાજના સમગ્ર સંગઠનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો યોગ્ય કાર્યવાહી કરી આરોપીઓની જલ્દી ધ૨પકડ ક૨વામાં નહિ આવે તો દલિત સમાજ આવનાર દિવસોમાં કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.