Mahisagar ક્લાર્ક આત્મહત્યા કેસ : આરોપીની જામીન અરજી રદ્દ થઈ પરંતુ નથી કરવામાં આવી કાર્યવાહી, સમાજમાં રોષની લાગણી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-12 17:16:45

આત્મહત્યાના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. ઉપરી અધિકારી દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસથી કંટાળીને અનેક લોકો આત્મહત્યા કરી લેતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા મહીસાગરના કડાણા મામલતદાર કચેરી ખાતે ફરજ નિભાવતા અલ્પેશ માળીનો મૃતદેહ બાલાસીનોર તેમના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. ફરજ દરમિયાન ક્લાર્કને જાતિવાચક શબ્દો બોલી તેમને અપમાનિત કરવામાં આવતા હતા. આ વાતની ફરિયાદ તેમણે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે પણ કરી હતી. પરંતુ કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા.આ ઘટનામાં પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આગોતરા જામીન પણ રદ્દ કરવામાં આવ્યા છે પરંતુ હજી સુધી તેમની ધરપકડ કરવામાં આવી નથી. તેનો વિરોધ દલિત સમાજ દ્વારા કરવામાં આવ્યો છે.     

The court ordered an inquiry into the death of the clerk of the Kadana Mamlatdar office Mahisagar: ઉપલા અધિકારીઓ જાતિવાચક શબ્દો બોલીને અપમાનિત કરતા હોવાનો ક્લાર્કે CMને લખ્યો પત્ર, બાદમાં મળી તેમની લાશ,હવે થઈ મોટી કાર્યવાહી

 

સીએમઓમાંથી જવાબ આવે તેની પહેલા ક્લાર્કે છોડી દુનિયા

થોડા સમય પહેલા મહીસાગરમાં દલિત ક્લાર્કે ઉપરી અધિકારીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ મહીસાગર જિલ્લા કોર્ટ દ્વારા સંતરામપુર પ્રાંત અધિકારી નાયબ મામલતદાર તેમજ અન્ય બે કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. આ અંગેની જાણ સીએમઓને પણ કરવામાં આવી. 21 જાન્યુઆરીના રોજ પત્ર લખ્યો હતો અને 29 જાન્યુઆરીના રોજ ક્લાર્કે આત્મહત્યા કરી લીધી. પરંતુ ત્યાંથી કોઈ જવાબ આવે તેની પહેલા જ ક્લાર્કે દુનિયાને અલવિદા કહી દીધું છે. ત્યારબાદ આ તમામ ચાર કર્મચારીઓ સંતરામપુર પ્રાંત અધિકારી કૌશિક જાદવ, નાયબ મામલતદાર એ વી વલવાઈ, નિલેશ શેઠ તેમજ કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. 



જામીન રદ્દ થયા બાદ પણ ન કરાઈ કાર્યવાહી, સમાજમાં ભારે રોષ 

આ ચાર કર્મચારીઓએ મહીસાગર જિલ્લા કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જે અંતર્ગત મહીસાગર જિલ્લા કોર્ટ દ્વારા આગોતરા જામીન રદ્દ કરવામાં આવ્યા છે. જામીન રદ્દ થયા બાદ પણ આ લોકોની ધરપકડ કરવામાં નથી આવી તેનો વિરોધ વિવિધ સામાજીક સંગઠનો દ્વારા કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થયાને એક મહિના ઉપરાંતનો સમય વીતી ગયો તેમ છતાં પોલીસ દ્વારા નથી કરવામાં આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મહીસાગર જિલ્લાના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સમાજના સમગ્ર સંગઠનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો યોગ્ય કાર્યવાહી કરી આરોપીઓની જલ્દી ધ૨પકડ ક૨વામાં નહિ આવે તો દલિત સમાજ આવનાર દિવસોમાં કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.