Mahisagar : દારૂબંધી વાળા રાજ્યમાં બાલાસિનોર MGVCLના હેલ્પલાઈનમાં ગ્રાહકે ફોન કર્યો તો દારૂ પીને ગાળો આપી!


  • Published By :
  • Published Date : 2023-10-17 12:19:54

દારૂબંધી છે ગુજરાતમાં જ્યારે આ વાત સાંભળતા હશો ત્યારે તમારી સામે અનેક એવા દ્રશ્યો સામે આવી જતા હશે જે આ દાવાને પોકળ સાબિત કરતા હોય છે. એક બે નહીં એવા અનેકો કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જે દારૂબંધીના કાયદાને વખોડી નાખે છે. દારૂબંધીના અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં સામાન્ય માણસો ઢિંચેલી હાલતમાં જોવા મળતા હોય છે. અનેક કિસ્સાઓમાં શિક્ષકો પણ રાજાપાઠની હાલતમાં દેખાતા હોય છે. સરકારી અધિકારીઓને પણ તમે નશાની હાલતમાં જોયા હશે. દારૂબંધી માત્ર કાગળ પર જ છે તેવી વાત અનેક વખત કરવામાં આવે છે. ત્યારે વધુ એક દારૂબંધીના કાયદાને તમાચો મારતો એક ઓડિયો મહીસાગરથી સામે આવ્યો છે જેમાં વીજ કંપનીમાં કામ કરતા કર્મચારીનો છે.  

દારૂબંધીને પોકળ સાબિત કરતા અનેક વીડિયો આપણી સામે છે 

જ્યારે વીજને લઈ કોઈ સમસ્યા હોય ત્યારે તેના નિવારણ માટે હેલ્પલાઈન નંબર આપવામાં આવે છે. વીજની સમસ્યાને લઈ એક ગ્રાહકે ફોન કર્યો ત્યારે ત્યાં હાજર કર્મચારીએ ફોન પર કીધું કે તે દારૂ પીવે છે એટલે તું મગજમારી ન કરીશ. નશામાં ધૂત કર્મચારીએ એટલી બધી ગાળો બોલી કે અડધા ઉપરનો ઓડિયોમાં બીપ બીપ સાંભળવું પડશે. આ ઓડિયો સંભળાવવા પાછળનું કારણ એ છે કે આવા ઓડિયો, આવા વીડિયોઝ ગુજરાતની વાસ્તવિક્તાને ઉજાગર કરે છે. 


સરકારી અધિકારી જ્યારે નશાની હાલતમાં ભાન ભૂલે ત્યારે

ગુજરાતમાં દારૂબંધીનો અમલ કેટલો થાય છે તે વાતનો સાક્ષી છે આ ઓડિયો. થોડા દિવસો પહેલા સાંસદ મનસુખ વસાવાએ દારૂબંધીની વાસ્તવિક્તા શું છે તે જાહેર સભામાં જણાવ્યું હતું. પોલીસ પર તેમણે આરોપ લગાવ્યો હતો.  ત્યારે ભાજપના જ નેતાએ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં તો દારૂબંધીનો તો અદ્ભૂત અમલ થાય છે. પરંતુ વારંવાર સામે આવતા આવા દ્રશ્યો, આવા ઓડિયો ગુજરાતમાં દારૂબંધીની વાસ્તવિક્તાની પોલ ખોલી દેતા હોય છે. સરકારનો પગાર લેનાર સરકારી અધિકારી, સરકારી કચેરીમાં જ્યારે નશાની હાલતમાં જોવા મળે છે ત્યારે સમજવું કે આ દારૂ આપણને વિનાશ તરફ લઈ જઈ રહી છે. આ વીડિયો ગુજરાતની દારૂબંધીને સમર્પિત છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.