Mahisagar : દારૂબંધી વાળા રાજ્યમાં બાલાસિનોર MGVCLના હેલ્પલાઈનમાં ગ્રાહકે ફોન કર્યો તો દારૂ પીને ગાળો આપી!


  • Published By :
  • Published Date : 2023-10-17 12:19:54

દારૂબંધી છે ગુજરાતમાં જ્યારે આ વાત સાંભળતા હશો ત્યારે તમારી સામે અનેક એવા દ્રશ્યો સામે આવી જતા હશે જે આ દાવાને પોકળ સાબિત કરતા હોય છે. એક બે નહીં એવા અનેકો કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જે દારૂબંધીના કાયદાને વખોડી નાખે છે. દારૂબંધીના અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં સામાન્ય માણસો ઢિંચેલી હાલતમાં જોવા મળતા હોય છે. અનેક કિસ્સાઓમાં શિક્ષકો પણ રાજાપાઠની હાલતમાં દેખાતા હોય છે. સરકારી અધિકારીઓને પણ તમે નશાની હાલતમાં જોયા હશે. દારૂબંધી માત્ર કાગળ પર જ છે તેવી વાત અનેક વખત કરવામાં આવે છે. ત્યારે વધુ એક દારૂબંધીના કાયદાને તમાચો મારતો એક ઓડિયો મહીસાગરથી સામે આવ્યો છે જેમાં વીજ કંપનીમાં કામ કરતા કર્મચારીનો છે.  

દારૂબંધીને પોકળ સાબિત કરતા અનેક વીડિયો આપણી સામે છે 

જ્યારે વીજને લઈ કોઈ સમસ્યા હોય ત્યારે તેના નિવારણ માટે હેલ્પલાઈન નંબર આપવામાં આવે છે. વીજની સમસ્યાને લઈ એક ગ્રાહકે ફોન કર્યો ત્યારે ત્યાં હાજર કર્મચારીએ ફોન પર કીધું કે તે દારૂ પીવે છે એટલે તું મગજમારી ન કરીશ. નશામાં ધૂત કર્મચારીએ એટલી બધી ગાળો બોલી કે અડધા ઉપરનો ઓડિયોમાં બીપ બીપ સાંભળવું પડશે. આ ઓડિયો સંભળાવવા પાછળનું કારણ એ છે કે આવા ઓડિયો, આવા વીડિયોઝ ગુજરાતની વાસ્તવિક્તાને ઉજાગર કરે છે. 


સરકારી અધિકારી જ્યારે નશાની હાલતમાં ભાન ભૂલે ત્યારે

ગુજરાતમાં દારૂબંધીનો અમલ કેટલો થાય છે તે વાતનો સાક્ષી છે આ ઓડિયો. થોડા દિવસો પહેલા સાંસદ મનસુખ વસાવાએ દારૂબંધીની વાસ્તવિક્તા શું છે તે જાહેર સભામાં જણાવ્યું હતું. પોલીસ પર તેમણે આરોપ લગાવ્યો હતો.  ત્યારે ભાજપના જ નેતાએ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં તો દારૂબંધીનો તો અદ્ભૂત અમલ થાય છે. પરંતુ વારંવાર સામે આવતા આવા દ્રશ્યો, આવા ઓડિયો ગુજરાતમાં દારૂબંધીની વાસ્તવિક્તાની પોલ ખોલી દેતા હોય છે. સરકારનો પગાર લેનાર સરકારી અધિકારી, સરકારી કચેરીમાં જ્યારે નશાની હાલતમાં જોવા મળે છે ત્યારે સમજવું કે આ દારૂ આપણને વિનાશ તરફ લઈ જઈ રહી છે. આ વીડિયો ગુજરાતની દારૂબંધીને સમર્પિત છે.    



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.