Mahisagar : દારૂબંધી વાળા રાજ્યમાં બાલાસિનોર MGVCLના હેલ્પલાઈનમાં ગ્રાહકે ફોન કર્યો તો દારૂ પીને ગાળો આપી!


  • Published By :
  • Published Date : 2023-10-17 12:19:54

દારૂબંધી છે ગુજરાતમાં જ્યારે આ વાત સાંભળતા હશો ત્યારે તમારી સામે અનેક એવા દ્રશ્યો સામે આવી જતા હશે જે આ દાવાને પોકળ સાબિત કરતા હોય છે. એક બે નહીં એવા અનેકો કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જે દારૂબંધીના કાયદાને વખોડી નાખે છે. દારૂબંધીના અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં સામાન્ય માણસો ઢિંચેલી હાલતમાં જોવા મળતા હોય છે. અનેક કિસ્સાઓમાં શિક્ષકો પણ રાજાપાઠની હાલતમાં દેખાતા હોય છે. સરકારી અધિકારીઓને પણ તમે નશાની હાલતમાં જોયા હશે. દારૂબંધી માત્ર કાગળ પર જ છે તેવી વાત અનેક વખત કરવામાં આવે છે. ત્યારે વધુ એક દારૂબંધીના કાયદાને તમાચો મારતો એક ઓડિયો મહીસાગરથી સામે આવ્યો છે જેમાં વીજ કંપનીમાં કામ કરતા કર્મચારીનો છે.  

દારૂબંધીને પોકળ સાબિત કરતા અનેક વીડિયો આપણી સામે છે 

જ્યારે વીજને લઈ કોઈ સમસ્યા હોય ત્યારે તેના નિવારણ માટે હેલ્પલાઈન નંબર આપવામાં આવે છે. વીજની સમસ્યાને લઈ એક ગ્રાહકે ફોન કર્યો ત્યારે ત્યાં હાજર કર્મચારીએ ફોન પર કીધું કે તે દારૂ પીવે છે એટલે તું મગજમારી ન કરીશ. નશામાં ધૂત કર્મચારીએ એટલી બધી ગાળો બોલી કે અડધા ઉપરનો ઓડિયોમાં બીપ બીપ સાંભળવું પડશે. આ ઓડિયો સંભળાવવા પાછળનું કારણ એ છે કે આવા ઓડિયો, આવા વીડિયોઝ ગુજરાતની વાસ્તવિક્તાને ઉજાગર કરે છે. 


સરકારી અધિકારી જ્યારે નશાની હાલતમાં ભાન ભૂલે ત્યારે

ગુજરાતમાં દારૂબંધીનો અમલ કેટલો થાય છે તે વાતનો સાક્ષી છે આ ઓડિયો. થોડા દિવસો પહેલા સાંસદ મનસુખ વસાવાએ દારૂબંધીની વાસ્તવિક્તા શું છે તે જાહેર સભામાં જણાવ્યું હતું. પોલીસ પર તેમણે આરોપ લગાવ્યો હતો.  ત્યારે ભાજપના જ નેતાએ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં તો દારૂબંધીનો તો અદ્ભૂત અમલ થાય છે. પરંતુ વારંવાર સામે આવતા આવા દ્રશ્યો, આવા ઓડિયો ગુજરાતમાં દારૂબંધીની વાસ્તવિક્તાની પોલ ખોલી દેતા હોય છે. સરકારનો પગાર લેનાર સરકારી અધિકારી, સરકારી કચેરીમાં જ્યારે નશાની હાલતમાં જોવા મળે છે ત્યારે સમજવું કે આ દારૂ આપણને વિનાશ તરફ લઈ જઈ રહી છે. આ વીડિયો ગુજરાતની દારૂબંધીને સમર્પિત છે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.