મહીસાગર: ખાનપુર તાલુકાના મુડાવડેખ ગામમાં લુણાવાડા મામલતદારની ઓચિંતી રેડ, ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો


  • Published By :
  • Published Date : 2023-12-01 22:34:20

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકા વાજબી ભાવની સસ્તા અનાજની દુકાનમાં ખાધ ચીજવસ્તુઓની ગેરરીતિ થતી હોવાની વ્યાપક ફરિયાદ હોવાથી જિલ્લાની સસ્તા અનાજની (પુરવઠા) દુકાનો પર આંતરિક રેડ પાડવામાં આવી હતી. લુણાવાડા મામલતદારની આગેવાની હેઠળ ખાનપુરની  મુડાવડેખ ગામની સસ્તા અનાજની દુકાન પર રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં અંદાજિત રૂપિયા 60.000ની કાળા બજારી મામલતદારે ઝડપી પાડ્યો હતો. ગરીબોને આપવામાં આવતા ઘઉં અને ચોખાનો જથ્થો પણ મામલતદારે મામલતદારે જપ્ત કર્યો હતો. મુડાવડેખ સસ્તા અનાજની દુકાનના સંચાલક કનુ પંડ્યા સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. સરકારી અનાજ વેચતા ઝડપાયેલા સંચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવતા અનાજ માફિયામાં સન્નાટો પ્રસરી ગયો છે. ઉલ્લેખનિય છે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગરીબો માટે ચાલતી સસ્તા અનાજની દુકાનોમાં અનાજ માફિયાઓ દ્વારા ગેરરીતિ કરવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. 

પરવાનો રદ કરવાની ઉઠી માંગ


મહીસાગર જીલ્લામાં ઘણા સમયથી સરકાર જે ગરીબોને રાહત દરે તેમજ મફત સસ્તા અનાજની દુકાનમાંથી ખાંડ, તેલ અને ચણા સહીત અન્ય સામ્રગી આપે છે. તેમાં સંચાલકો ઓછો જથ્થો આપતો હોવાની બૂમ ઉઠી હતી. અનેક કાર્ડધારકો દુકાને ખાધ ચીજવસ્તુઓ લેવા માટે જાય ત્યારે સ્ટોક ન હોવાનું દુકાનધારકો કહેતા જોવા મળતા હતા. તેવામાં પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું હતું. ખાનપુર તાલુકામાં પણ કેટલાક રેશનિંગના દુકાનદારો ગરીબોનું અનાજ સગેવગે કરતા હતા જેથી લુણાવાડા મામલતદારે મુડાવડેખ ગામની સસ્તા અનાજની દુકાન પર ઓચિંતી રેડ પાડી હતી. મુડાવડેખ સસ્તા અનાજની દુકાનના સંચાલક કનુ પંડ્યા કાળા બજારી કરી ગરીબોનું અનાજ બારોબાર વેચી મારી મોટી કમાણી કરતા હોવાનુ સામે આવ્યું છે. સુત્રો દ્વારા મળતી જાણકારી મુજબ કનુ પંડ્યા ખાનપુર તાલુકા એસોસિએશનના સસ્તા અનાજની દુકાનોના વહીવટદાર છે. મામલતદારની રેડ બાદ સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તેમણે કાળા બજારી કરતા સચલકો સામે કાયદેસર કાર્યવાહી કરવાનો અને તેમનો પરવાનો રદ કરવાની માંગ કરી હતી. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.