મહીસાગર: ખાનપુર તાલુકાના મુડાવડેખ ગામમાં લુણાવાડા મામલતદારની ઓચિંતી રેડ, ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો


  • Published By :
  • Published Date : 2023-12-01 22:34:20

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકા વાજબી ભાવની સસ્તા અનાજની દુકાનમાં ખાધ ચીજવસ્તુઓની ગેરરીતિ થતી હોવાની વ્યાપક ફરિયાદ હોવાથી જિલ્લાની સસ્તા અનાજની (પુરવઠા) દુકાનો પર આંતરિક રેડ પાડવામાં આવી હતી. લુણાવાડા મામલતદારની આગેવાની હેઠળ ખાનપુરની  મુડાવડેખ ગામની સસ્તા અનાજની દુકાન પર રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં અંદાજિત રૂપિયા 60.000ની કાળા બજારી મામલતદારે ઝડપી પાડ્યો હતો. ગરીબોને આપવામાં આવતા ઘઉં અને ચોખાનો જથ્થો પણ મામલતદારે મામલતદારે જપ્ત કર્યો હતો. મુડાવડેખ સસ્તા અનાજની દુકાનના સંચાલક કનુ પંડ્યા સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. સરકારી અનાજ વેચતા ઝડપાયેલા સંચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવતા અનાજ માફિયામાં સન્નાટો પ્રસરી ગયો છે. ઉલ્લેખનિય છે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગરીબો માટે ચાલતી સસ્તા અનાજની દુકાનોમાં અનાજ માફિયાઓ દ્વારા ગેરરીતિ કરવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. 

પરવાનો રદ કરવાની ઉઠી માંગ


મહીસાગર જીલ્લામાં ઘણા સમયથી સરકાર જે ગરીબોને રાહત દરે તેમજ મફત સસ્તા અનાજની દુકાનમાંથી ખાંડ, તેલ અને ચણા સહીત અન્ય સામ્રગી આપે છે. તેમાં સંચાલકો ઓછો જથ્થો આપતો હોવાની બૂમ ઉઠી હતી. અનેક કાર્ડધારકો દુકાને ખાધ ચીજવસ્તુઓ લેવા માટે જાય ત્યારે સ્ટોક ન હોવાનું દુકાનધારકો કહેતા જોવા મળતા હતા. તેવામાં પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું હતું. ખાનપુર તાલુકામાં પણ કેટલાક રેશનિંગના દુકાનદારો ગરીબોનું અનાજ સગેવગે કરતા હતા જેથી લુણાવાડા મામલતદારે મુડાવડેખ ગામની સસ્તા અનાજની દુકાન પર ઓચિંતી રેડ પાડી હતી. મુડાવડેખ સસ્તા અનાજની દુકાનના સંચાલક કનુ પંડ્યા કાળા બજારી કરી ગરીબોનું અનાજ બારોબાર વેચી મારી મોટી કમાણી કરતા હોવાનુ સામે આવ્યું છે. સુત્રો દ્વારા મળતી જાણકારી મુજબ કનુ પંડ્યા ખાનપુર તાલુકા એસોસિએશનના સસ્તા અનાજની દુકાનોના વહીવટદાર છે. મામલતદારની રેડ બાદ સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તેમણે કાળા બજારી કરતા સચલકો સામે કાયદેસર કાર્યવાહી કરવાનો અને તેમનો પરવાનો રદ કરવાની માંગ કરી હતી. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.