મહીસાગર: ખાનપુર તાલુકાના મુડાવડેખ ગામમાં લુણાવાડા મામલતદારની ઓચિંતી રેડ, ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો


  • Published By :
  • Published Date : 2023-12-01 22:34:20

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકા વાજબી ભાવની સસ્તા અનાજની દુકાનમાં ખાધ ચીજવસ્તુઓની ગેરરીતિ થતી હોવાની વ્યાપક ફરિયાદ હોવાથી જિલ્લાની સસ્તા અનાજની (પુરવઠા) દુકાનો પર આંતરિક રેડ પાડવામાં આવી હતી. લુણાવાડા મામલતદારની આગેવાની હેઠળ ખાનપુરની  મુડાવડેખ ગામની સસ્તા અનાજની દુકાન પર રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં અંદાજિત રૂપિયા 60.000ની કાળા બજારી મામલતદારે ઝડપી પાડ્યો હતો. ગરીબોને આપવામાં આવતા ઘઉં અને ચોખાનો જથ્થો પણ મામલતદારે મામલતદારે જપ્ત કર્યો હતો. મુડાવડેખ સસ્તા અનાજની દુકાનના સંચાલક કનુ પંડ્યા સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. સરકારી અનાજ વેચતા ઝડપાયેલા સંચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવતા અનાજ માફિયામાં સન્નાટો પ્રસરી ગયો છે. ઉલ્લેખનિય છે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગરીબો માટે ચાલતી સસ્તા અનાજની દુકાનોમાં અનાજ માફિયાઓ દ્વારા ગેરરીતિ કરવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. 

પરવાનો રદ કરવાની ઉઠી માંગ


મહીસાગર જીલ્લામાં ઘણા સમયથી સરકાર જે ગરીબોને રાહત દરે તેમજ મફત સસ્તા અનાજની દુકાનમાંથી ખાંડ, તેલ અને ચણા સહીત અન્ય સામ્રગી આપે છે. તેમાં સંચાલકો ઓછો જથ્થો આપતો હોવાની બૂમ ઉઠી હતી. અનેક કાર્ડધારકો દુકાને ખાધ ચીજવસ્તુઓ લેવા માટે જાય ત્યારે સ્ટોક ન હોવાનું દુકાનધારકો કહેતા જોવા મળતા હતા. તેવામાં પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું હતું. ખાનપુર તાલુકામાં પણ કેટલાક રેશનિંગના દુકાનદારો ગરીબોનું અનાજ સગેવગે કરતા હતા જેથી લુણાવાડા મામલતદારે મુડાવડેખ ગામની સસ્તા અનાજની દુકાન પર ઓચિંતી રેડ પાડી હતી. મુડાવડેખ સસ્તા અનાજની દુકાનના સંચાલક કનુ પંડ્યા કાળા બજારી કરી ગરીબોનું અનાજ બારોબાર વેચી મારી મોટી કમાણી કરતા હોવાનુ સામે આવ્યું છે. સુત્રો દ્વારા મળતી જાણકારી મુજબ કનુ પંડ્યા ખાનપુર તાલુકા એસોસિએશનના સસ્તા અનાજની દુકાનોના વહીવટદાર છે. મામલતદારની રેડ બાદ સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તેમણે કાળા બજારી કરતા સચલકો સામે કાયદેસર કાર્યવાહી કરવાનો અને તેમનો પરવાનો રદ કરવાની માંગ કરી હતી. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી