મહીસાગર: ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારુ ઝડપાયો, રૂ.83,280ના મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-12-10 15:52:33

રાજ્યમાં થર્ટી ફર્સ્ટ અગાઉ બુટલેગરો સક્રિય બન્યા છે, રાજ્યમાં શોખિન લોકો દારૂ પીને વર્ષના છેલ્લા દિવસની ઉજવણી કરતા હોવાથી ડિસેમ્બર મહિનામાં દારૂની ડિમાન્ડ વધી જાય છે. હવે ડિમાન્ડ પૂરી કરવા માટે બુટલેગરો રાજ્યમાં દારૂનો જથ્થો ઘુસાડવા માટે નિતનવા રસ્તા અપનાવતા રહે છે. જેમ હવે દારૂની તસ્કરી માટે એસટી વિભાગની બસોનો ઉપયોગ પણ થતો હોવાનું સામે આવ્યું છે. એસટી વિભાગના કર્મચારીઓ બૂટલેગરની ભૂમિકામાં ભજવતા હોય તેમ મહીસાગરમાં પોલીસે એસ.ટી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. 


 83,280 રૂપિયા નો મુદ્દામાલ જપ્ત


સંતરામપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સંતરામપુરના હરસિધ્ધિ મંદિર પાસે એસ ટી બસ ઉભી રખાવીને ચેકિંગ કરતા સ્કૂલ બેગમાંથી ઈંગ્લિશ દારૂની બોટલો જપ્ત કરી હતી. પોલીસે 8 શખ્સોની પણ ધરપકડ કરી હતી, આરોપીઓ વિદ્યાર્થી બનીને દારૂની તસ્કરી કરતા હતા. પોલીસે 8 આરોપીઓ પાસેથી મોબાઈલ સહિત 83,280 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.