મહીસાગર: ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારુ ઝડપાયો, રૂ.83,280ના મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-12-10 15:52:33

રાજ્યમાં થર્ટી ફર્સ્ટ અગાઉ બુટલેગરો સક્રિય બન્યા છે, રાજ્યમાં શોખિન લોકો દારૂ પીને વર્ષના છેલ્લા દિવસની ઉજવણી કરતા હોવાથી ડિસેમ્બર મહિનામાં દારૂની ડિમાન્ડ વધી જાય છે. હવે ડિમાન્ડ પૂરી કરવા માટે બુટલેગરો રાજ્યમાં દારૂનો જથ્થો ઘુસાડવા માટે નિતનવા રસ્તા અપનાવતા રહે છે. જેમ હવે દારૂની તસ્કરી માટે એસટી વિભાગની બસોનો ઉપયોગ પણ થતો હોવાનું સામે આવ્યું છે. એસટી વિભાગના કર્મચારીઓ બૂટલેગરની ભૂમિકામાં ભજવતા હોય તેમ મહીસાગરમાં પોલીસે એસ.ટી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. 


 83,280 રૂપિયા નો મુદ્દામાલ જપ્ત


સંતરામપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સંતરામપુરના હરસિધ્ધિ મંદિર પાસે એસ ટી બસ ઉભી રખાવીને ચેકિંગ કરતા સ્કૂલ બેગમાંથી ઈંગ્લિશ દારૂની બોટલો જપ્ત કરી હતી. પોલીસે 8 શખ્સોની પણ ધરપકડ કરી હતી, આરોપીઓ વિદ્યાર્થી બનીને દારૂની તસ્કરી કરતા હતા. પોલીસે 8 આરોપીઓ પાસેથી મોબાઈલ સહિત 83,280 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. 



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.