મહીસાગર: ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારુ ઝડપાયો, રૂ.83,280ના મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-12-10 15:52:33

રાજ્યમાં થર્ટી ફર્સ્ટ અગાઉ બુટલેગરો સક્રિય બન્યા છે, રાજ્યમાં શોખિન લોકો દારૂ પીને વર્ષના છેલ્લા દિવસની ઉજવણી કરતા હોવાથી ડિસેમ્બર મહિનામાં દારૂની ડિમાન્ડ વધી જાય છે. હવે ડિમાન્ડ પૂરી કરવા માટે બુટલેગરો રાજ્યમાં દારૂનો જથ્થો ઘુસાડવા માટે નિતનવા રસ્તા અપનાવતા રહે છે. જેમ હવે દારૂની તસ્કરી માટે એસટી વિભાગની બસોનો ઉપયોગ પણ થતો હોવાનું સામે આવ્યું છે. એસટી વિભાગના કર્મચારીઓ બૂટલેગરની ભૂમિકામાં ભજવતા હોય તેમ મહીસાગરમાં પોલીસે એસ.ટી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. 


 83,280 રૂપિયા નો મુદ્દામાલ જપ્ત


સંતરામપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સંતરામપુરના હરસિધ્ધિ મંદિર પાસે એસ ટી બસ ઉભી રખાવીને ચેકિંગ કરતા સ્કૂલ બેગમાંથી ઈંગ્લિશ દારૂની બોટલો જપ્ત કરી હતી. પોલીસે 8 શખ્સોની પણ ધરપકડ કરી હતી, આરોપીઓ વિદ્યાર્થી બનીને દારૂની તસ્કરી કરતા હતા. પોલીસે 8 આરોપીઓ પાસેથી મોબાઈલ સહિત 83,280 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.