મહીસાગર: ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારુ ઝડપાયો, રૂ.83,280ના મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-12-10 15:52:33

રાજ્યમાં થર્ટી ફર્સ્ટ અગાઉ બુટલેગરો સક્રિય બન્યા છે, રાજ્યમાં શોખિન લોકો દારૂ પીને વર્ષના છેલ્લા દિવસની ઉજવણી કરતા હોવાથી ડિસેમ્બર મહિનામાં દારૂની ડિમાન્ડ વધી જાય છે. હવે ડિમાન્ડ પૂરી કરવા માટે બુટલેગરો રાજ્યમાં દારૂનો જથ્થો ઘુસાડવા માટે નિતનવા રસ્તા અપનાવતા રહે છે. જેમ હવે દારૂની તસ્કરી માટે એસટી વિભાગની બસોનો ઉપયોગ પણ થતો હોવાનું સામે આવ્યું છે. એસટી વિભાગના કર્મચારીઓ બૂટલેગરની ભૂમિકામાં ભજવતા હોય તેમ મહીસાગરમાં પોલીસે એસ.ટી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. 


 83,280 રૂપિયા નો મુદ્દામાલ જપ્ત


સંતરામપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સંતરામપુરના હરસિધ્ધિ મંદિર પાસે એસ ટી બસ ઉભી રખાવીને ચેકિંગ કરતા સ્કૂલ બેગમાંથી ઈંગ્લિશ દારૂની બોટલો જપ્ત કરી હતી. પોલીસે 8 શખ્સોની પણ ધરપકડ કરી હતી, આરોપીઓ વિદ્યાર્થી બનીને દારૂની તસ્કરી કરતા હતા. પોલીસે 8 આરોપીઓ પાસેથી મોબાઈલ સહિત 83,280 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.