Mahisagar : માનગઢ આદિવાસી બલીદાન દિવસની ઉજવણી, શિક્ષણમંત્રી Kuber Dindor રહ્યા હતા હાજર


  • Published By :
  • Published Date : 2023-12-27 14:05:15

મહીસાગર જિલ્લામાં આવેલા આદિવાસી સમાજની આસ્થાના પ્રતિક એવા માનગઢ હીલ ખાતે આદિવાસી નેતા અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની ઉપસ્થિતમાં માગશર પૂનમના દિવસે આદિવાસી શહીદ વીરોને શ્રદ્ધાંજલી આપવા માનગઢ આદિવાસી બલીદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

સૌ પ્રથમ વખત માનગઢ પરિક્રમા કરવામાં આવી  

માનગઢ ક્રાંતિનાં મહાનાયક આદિવાસીઓના ભેરુ અને સ્વાધીનતા સંગ્રામના પ્રણેતા એવા ગોવિંદ ગુરુ તેમજ 1507 જેટલાં શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. માનગઢ આદિવાસી બલીદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત માનગઢની પરિક્રમા પણ સોપ્રથમ વાર કરવામાં આવી હતી


માનગઢ ક્રાંતિના મહાનાયકોને લોકોએ કર્યા યાદ 

આ કાર્યક્રમમાં મહીસાગર જીલ્લા પ્રભારી મંત્રી બચું ખાબડ, મોરવા હડફ ના ધારાસભ્ય નિમિષા બેન સુથાર, જિલ્લા કલેકટર, અધિક કલેકટર, જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ રાજસ્થાન અને ગુજરાતના મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ તથા બહેનો માનગઢ ક્રાંતિના મહાનાયક ગોવિંદ ગુરુ તેમજ શહીદોને યાદ કરી તેમને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.




ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."