Mahisagar : માનગઢ આદિવાસી બલીદાન દિવસની ઉજવણી, શિક્ષણમંત્રી Kuber Dindor રહ્યા હતા હાજર


  • Published By :
  • Published Date : 2023-12-27 14:05:15

મહીસાગર જિલ્લામાં આવેલા આદિવાસી સમાજની આસ્થાના પ્રતિક એવા માનગઢ હીલ ખાતે આદિવાસી નેતા અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની ઉપસ્થિતમાં માગશર પૂનમના દિવસે આદિવાસી શહીદ વીરોને શ્રદ્ધાંજલી આપવા માનગઢ આદિવાસી બલીદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

સૌ પ્રથમ વખત માનગઢ પરિક્રમા કરવામાં આવી  

માનગઢ ક્રાંતિનાં મહાનાયક આદિવાસીઓના ભેરુ અને સ્વાધીનતા સંગ્રામના પ્રણેતા એવા ગોવિંદ ગુરુ તેમજ 1507 જેટલાં શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. માનગઢ આદિવાસી બલીદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત માનગઢની પરિક્રમા પણ સોપ્રથમ વાર કરવામાં આવી હતી


માનગઢ ક્રાંતિના મહાનાયકોને લોકોએ કર્યા યાદ 

આ કાર્યક્રમમાં મહીસાગર જીલ્લા પ્રભારી મંત્રી બચું ખાબડ, મોરવા હડફ ના ધારાસભ્ય નિમિષા બેન સુથાર, જિલ્લા કલેકટર, અધિક કલેકટર, જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ રાજસ્થાન અને ગુજરાતના મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ તથા બહેનો માનગઢ ક્રાંતિના મહાનાયક ગોવિંદ ગુરુ તેમજ શહીદોને યાદ કરી તેમને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.