Mahisagar : માનગઢ આદિવાસી બલીદાન દિવસની ઉજવણી, શિક્ષણમંત્રી Kuber Dindor રહ્યા હતા હાજર


  • Published By :
  • Published Date : 2023-12-27 14:05:15

મહીસાગર જિલ્લામાં આવેલા આદિવાસી સમાજની આસ્થાના પ્રતિક એવા માનગઢ હીલ ખાતે આદિવાસી નેતા અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની ઉપસ્થિતમાં માગશર પૂનમના દિવસે આદિવાસી શહીદ વીરોને શ્રદ્ધાંજલી આપવા માનગઢ આદિવાસી બલીદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

સૌ પ્રથમ વખત માનગઢ પરિક્રમા કરવામાં આવી  

માનગઢ ક્રાંતિનાં મહાનાયક આદિવાસીઓના ભેરુ અને સ્વાધીનતા સંગ્રામના પ્રણેતા એવા ગોવિંદ ગુરુ તેમજ 1507 જેટલાં શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. માનગઢ આદિવાસી બલીદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત માનગઢની પરિક્રમા પણ સોપ્રથમ વાર કરવામાં આવી હતી


માનગઢ ક્રાંતિના મહાનાયકોને લોકોએ કર્યા યાદ 

આ કાર્યક્રમમાં મહીસાગર જીલ્લા પ્રભારી મંત્રી બચું ખાબડ, મોરવા હડફ ના ધારાસભ્ય નિમિષા બેન સુથાર, જિલ્લા કલેકટર, અધિક કલેકટર, જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ રાજસ્થાન અને ગુજરાતના મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ તથા બહેનો માનગઢ ક્રાંતિના મહાનાયક ગોવિંદ ગુરુ તેમજ શહીદોને યાદ કરી તેમને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.