મહીસાગરમાં જાનૈયાઓથી ભરેલો ટેમ્પો ખાઇમાં ખાબકતા 9 લોકોના મોત અને 14થી વધારે લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-02-22 15:10:19

રાજ્યમાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 9 લોકોના મોત થયા છે. મહીસાગરના લુણાવાડા તાલુકાના અરીઠા ગામ નજીક જાનૈયાઓથી ભરેલો ટેમ્પો ખાઇમાં ખાબકતા 8 લોકોના મોત અને 14થી વધારે લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ઘાયલોને લુણાવાડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો


મહિસાગરમાં લગ્નનો માહોલ શોકમાં ફેરવાયો છે. પાઘડી લઈને જઈ રહેલો લોડિંગ ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પોમાં 30થી વધુ લોકો સવાર હતા. જેમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા છે, આ ટેમ્પો ગઠાથી સાત તળાવ જતો હતો. અકસ્માત બાદ ટેમ્પો ખાઇમાં ખાબક્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં 8 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 14થી વધારે લોકો ઘાયલ થયા છે.  દુર્ઘટનાના સમાચાર મળતા જ 108ની 4 ટીમોએ પણ ઘટના સ્થળ પર પહોંચી સારવાર શરૂ કરી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને રિક્ષામાં સારવાર અર્થે લઈ જવાયા હતા. ઘાયલોને લુણાવાડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.