Mahisagar Rape case : ગુરૂ શિષ્યાના સંબંધોને કલંકિત કરનાર આચાર્યને પોલીસે ઝડપી પાડ્યો, વિદ્યાર્થિની પર આચર્યું હતું દુષ્કર્મ


  • Published By :
  • Published Date : 2023-10-16 13:27:00

આપણે ત્યાં શિક્ષકને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. શિક્ષકને આપણે ભગવાનનો દરજ્જો પણ આપતા હોઈએ છીએ પરંતુ અનેક શિક્ષકો આ પદને કલંકિત કરતા હોય છે. અનેક વખત આપણી સામે એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં શિક્ષકો પોતાના હવસનો શિકાર વિદ્યાર્થિનીઓને બનાવતા હોય છે. તાજેતરમાં જ મહીસાગરમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 52 વર્ષના આચાર્ચે વિદ્યાર્થિનીને પીંખા નાખી હતી. આ ઘટના સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં આવા કલંકિત આચાર્યને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસે આચાર્યની ધરપકડ કરી લીધી છે. વડોદરાથી આ આચાર્યને ઝડપી પાડવામાં આવ્યો છે.    

આચાર્ચે વિદ્યાર્થિની પર બગાડી નજર 

ગુરૂ અને શિષ્યના સંબંધને પવિત્ર માનવામાં આવે છે. આપણે ત્યાં ગુરૂને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. એ પવિત્ર સંબંધોને કલંકિત કરતી અનેક ઘટનાઓ આપણી સામે આવતી રહે છે. શિક્ષકો વિદ્યાર્થિનીઓને હવસનો શિકાર બનાવતા હોય છે. ત્યારે મહીસાગરથી આવેલો એક કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે જેમાં આચાર્યે પોતાની દીકરીની ઉંમરની છોકરીને હવસનો શિકાર બનાવ્યો છે. સંતરામપુરના જાનવડ હાઈસ્કૂલના આચાર્ય રાજેશ પટેલે 17 વર્ષેની વિદ્યાર્થીની પર કર્યું દુષ્કર્મ આચર્યું છે. વિદ્યાર્થીની પોતાની ખરીદી કરવા માટે લુણાવાડા બજારમાં આવી હતી ત્યારે આચાર્ય મળતા વાત કરી અને આચાર્ય રાજેશ પટેલે કીધું કે "બેટા ચલ મારા ઘરે ચા પીને જા બહુ સમયે આવી છે" તેમ કહી ઘરે લઈ ગયો હતો બાદમાં આચાર્યની નજર બાળા પર બગડી હતી અને હવસખોર આચાર્યએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. 


વડોદરાથી ઝડપાયો હવસખોર આચાર્ય

વિદ્યાર્થિનીના પરિવારજનોને જાણ થતા વિદ્યાર્થીનીને લઈ લુણાવાડા સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. વિદ્યાર્થીની હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ આરોપી વિરુદ્ધ પોસ્કો એકટ હેઠળ ગુનો દાખલ આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી અને માત્ર ગણતરીના કલાકો અંદર જ પોલીસે આ હવસખોર આચાર્યને ઝડપી પાડ્યો છે. પોલીસ શોધખોળ કરી રહી હતી અને આચાર્યને વડોદરાથી ઝડપી પાડવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગુજરાતને એક સમયે મહિલાઓ માટે સુરક્ષિત સ્થાન માનવામાં આવતું હતું.  મહિલાઓ ગુજરાતમાં સુરક્ષિત મહેસુસ કરતી હતી પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. મહિલાઓ પોતાના ઓળખીતાના જ હવસનો શિકાર બનતી હોય છે તેવા કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે!



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.