Mahisagar Rape case : ગુરૂ શિષ્યાના સંબંધોને કલંકિત કરનાર આચાર્યને પોલીસે ઝડપી પાડ્યો, વિદ્યાર્થિની પર આચર્યું હતું દુષ્કર્મ


  • Published By :
  • Published Date : 2023-10-16 13:27:00

આપણે ત્યાં શિક્ષકને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. શિક્ષકને આપણે ભગવાનનો દરજ્જો પણ આપતા હોઈએ છીએ પરંતુ અનેક શિક્ષકો આ પદને કલંકિત કરતા હોય છે. અનેક વખત આપણી સામે એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં શિક્ષકો પોતાના હવસનો શિકાર વિદ્યાર્થિનીઓને બનાવતા હોય છે. તાજેતરમાં જ મહીસાગરમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 52 વર્ષના આચાર્ચે વિદ્યાર્થિનીને પીંખા નાખી હતી. આ ઘટના સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં આવા કલંકિત આચાર્યને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસે આચાર્યની ધરપકડ કરી લીધી છે. વડોદરાથી આ આચાર્યને ઝડપી પાડવામાં આવ્યો છે.    

આચાર્ચે વિદ્યાર્થિની પર બગાડી નજર 

ગુરૂ અને શિષ્યના સંબંધને પવિત્ર માનવામાં આવે છે. આપણે ત્યાં ગુરૂને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. એ પવિત્ર સંબંધોને કલંકિત કરતી અનેક ઘટનાઓ આપણી સામે આવતી રહે છે. શિક્ષકો વિદ્યાર્થિનીઓને હવસનો શિકાર બનાવતા હોય છે. ત્યારે મહીસાગરથી આવેલો એક કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે જેમાં આચાર્યે પોતાની દીકરીની ઉંમરની છોકરીને હવસનો શિકાર બનાવ્યો છે. સંતરામપુરના જાનવડ હાઈસ્કૂલના આચાર્ય રાજેશ પટેલે 17 વર્ષેની વિદ્યાર્થીની પર કર્યું દુષ્કર્મ આચર્યું છે. વિદ્યાર્થીની પોતાની ખરીદી કરવા માટે લુણાવાડા બજારમાં આવી હતી ત્યારે આચાર્ય મળતા વાત કરી અને આચાર્ય રાજેશ પટેલે કીધું કે "બેટા ચલ મારા ઘરે ચા પીને જા બહુ સમયે આવી છે" તેમ કહી ઘરે લઈ ગયો હતો બાદમાં આચાર્યની નજર બાળા પર બગડી હતી અને હવસખોર આચાર્યએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. 


વડોદરાથી ઝડપાયો હવસખોર આચાર્ય

વિદ્યાર્થિનીના પરિવારજનોને જાણ થતા વિદ્યાર્થીનીને લઈ લુણાવાડા સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. વિદ્યાર્થીની હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ આરોપી વિરુદ્ધ પોસ્કો એકટ હેઠળ ગુનો દાખલ આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી અને માત્ર ગણતરીના કલાકો અંદર જ પોલીસે આ હવસખોર આચાર્યને ઝડપી પાડ્યો છે. પોલીસ શોધખોળ કરી રહી હતી અને આચાર્યને વડોદરાથી ઝડપી પાડવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગુજરાતને એક સમયે મહિલાઓ માટે સુરક્ષિત સ્થાન માનવામાં આવતું હતું.  મહિલાઓ ગુજરાતમાં સુરક્ષિત મહેસુસ કરતી હતી પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. મહિલાઓ પોતાના ઓળખીતાના જ હવસનો શિકાર બનતી હોય છે તેવા કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે!



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.