Mahisagar : બાબલીયા ડિટવાસ હાઇવે પર ગાડી અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, થયા બે લોકોના મોત


  • Published By :
  • Published Date : 2024-05-16 17:50:27

અકસ્માતમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે.. એક વ્યક્તિના ભૂલની સજા બીજા અનેક લોકોને ભોગવવી પડતી હોય છે... કોઈ વખત ઓવરસ્પીડને કારણે તો કોઈ વખત ઓવરટેક કરવાને કારણે અકસ્માત સર્જાતા હોય છે ત્યારે મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.


કાર અને બાઈક વચ્ચે થઈ ટક્કર 

પ્રતિદિન અકસ્માતના અનેક બનાવો આપણી સામે આવતા હોય છે.. અનેક અકસ્માત એટલા બધા ગંભીર હોય છે કે ઘટના સ્થળ પર જ લોકોના મોત થઈ જતા હોય છે.. રસ્તા પર અનેક લોકો સ્ટંટ કરતા દેખાય છે તો કોઈ ઓવરસ્પીડમાં વાહન ચલાવતા દેખાય છે.. કોઈ વખત સ્પીડ એટલી બધી હોય છે કે બ્રેક મારવી પણ અશક્ય હોય છે.. કોઈ વખત અચાનક કોઈ વ્યક્તિ સામે આવી જતી હોય છે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ જતો રહેતો હોય છે અને અકસ્માત સર્જાતો હોય છે..


બે લોકોના થયા મોત  

ત્યારે મહીસાગરથી અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ગાડી અને બાઈક વચ્ચે ટક્કર થઈ છે અને ઘટનામાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે.. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે. બાબલીયા ડિટવાસ હાઇવે પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો અને બે લોકો કાળનો કોળિયો બની ગયા. મહત્વનું છે કે અકસ્માતના કિસ્સાઓ એટલા બધા વધી ગયા છે કે જ્યાં સુધી આપણે ઘરે નથી પહોંચતા ત્યાં સુધી ઘરના લોકોને ચિંતા રહેતી હોય છે..  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે