Mahisagar : બાબલીયા ડિટવાસ હાઇવે પર ગાડી અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, થયા બે લોકોના મોત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-16 17:50:27

અકસ્માતમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે.. એક વ્યક્તિના ભૂલની સજા બીજા અનેક લોકોને ભોગવવી પડતી હોય છે... કોઈ વખત ઓવરસ્પીડને કારણે તો કોઈ વખત ઓવરટેક કરવાને કારણે અકસ્માત સર્જાતા હોય છે ત્યારે મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.


કાર અને બાઈક વચ્ચે થઈ ટક્કર 

પ્રતિદિન અકસ્માતના અનેક બનાવો આપણી સામે આવતા હોય છે.. અનેક અકસ્માત એટલા બધા ગંભીર હોય છે કે ઘટના સ્થળ પર જ લોકોના મોત થઈ જતા હોય છે.. રસ્તા પર અનેક લોકો સ્ટંટ કરતા દેખાય છે તો કોઈ ઓવરસ્પીડમાં વાહન ચલાવતા દેખાય છે.. કોઈ વખત સ્પીડ એટલી બધી હોય છે કે બ્રેક મારવી પણ અશક્ય હોય છે.. કોઈ વખત અચાનક કોઈ વ્યક્તિ સામે આવી જતી હોય છે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ જતો રહેતો હોય છે અને અકસ્માત સર્જાતો હોય છે..


બે લોકોના થયા મોત  

ત્યારે મહીસાગરથી અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ગાડી અને બાઈક વચ્ચે ટક્કર થઈ છે અને ઘટનામાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે.. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે. બાબલીયા ડિટવાસ હાઇવે પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો અને બે લોકો કાળનો કોળિયો બની ગયા. મહત્વનું છે કે અકસ્માતના કિસ્સાઓ એટલા બધા વધી ગયા છે કે જ્યાં સુધી આપણે ઘરે નથી પહોંચતા ત્યાં સુધી ઘરના લોકોને ચિંતા રહેતી હોય છે..  



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.