Mahisagar : બાબલીયા ડિટવાસ હાઇવે પર ગાડી અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, થયા બે લોકોના મોત


  • Published By :
  • Published Date : 2024-05-16 17:50:27

અકસ્માતમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે.. એક વ્યક્તિના ભૂલની સજા બીજા અનેક લોકોને ભોગવવી પડતી હોય છે... કોઈ વખત ઓવરસ્પીડને કારણે તો કોઈ વખત ઓવરટેક કરવાને કારણે અકસ્માત સર્જાતા હોય છે ત્યારે મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.


કાર અને બાઈક વચ્ચે થઈ ટક્કર 

પ્રતિદિન અકસ્માતના અનેક બનાવો આપણી સામે આવતા હોય છે.. અનેક અકસ્માત એટલા બધા ગંભીર હોય છે કે ઘટના સ્થળ પર જ લોકોના મોત થઈ જતા હોય છે.. રસ્તા પર અનેક લોકો સ્ટંટ કરતા દેખાય છે તો કોઈ ઓવરસ્પીડમાં વાહન ચલાવતા દેખાય છે.. કોઈ વખત સ્પીડ એટલી બધી હોય છે કે બ્રેક મારવી પણ અશક્ય હોય છે.. કોઈ વખત અચાનક કોઈ વ્યક્તિ સામે આવી જતી હોય છે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ જતો રહેતો હોય છે અને અકસ્માત સર્જાતો હોય છે..


બે લોકોના થયા મોત  

ત્યારે મહીસાગરથી અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ગાડી અને બાઈક વચ્ચે ટક્કર થઈ છે અને ઘટનામાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે.. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે. બાબલીયા ડિટવાસ હાઇવે પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો અને બે લોકો કાળનો કોળિયો બની ગયા. મહત્વનું છે કે અકસ્માતના કિસ્સાઓ એટલા બધા વધી ગયા છે કે જ્યાં સુધી આપણે ઘરે નથી પહોંચતા ત્યાં સુધી ઘરના લોકોને ચિંતા રહેતી હોય છે..  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.