Mahisagar : કેનાલમાંથી પાણી છોડાતા, ખેતરમાં ઘૂસી ગયા પાણી! શિયાળું પાકને પહોંચ્યું નુકસાન, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-12-18 15:46:57

ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે. દેશના અર્થતંત્રમાં મોટો ભાગ ભજવાનારા ખેડૂતોના નસીબમાં જાણે રડવાનું જ લખાયું છે. કોઈ વખત કુદરતનો માર ખેડૂતોને સહન કરવો પડે છે તો કોઈ વખત કોઈની બેદરકારીને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. એક તરફ ખેડૂતો ડુંગળીના નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ મહીસાગરથી એવા દ્રશ્યો સામે આવ્યા જેને કારણે ખેડૂતોને વધારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. કેનાલમાં ક્ષમતા કરતા વધારે પાણી છોડવામાં આવતા તે પાણી ખેતરમાં ઘૂસી ગયા છે અને પાકને મોટા પાયે નુકસાન થયું છે.     

પોષણસમા ભાવ ન મળતા ખેડૂતોને આવે છે રડવાનો વારો 

ખેડૂતોને આપણે જગતના તાત કહીએ છીએ. જગતના તાતની હાલત પ્રતિદિન કફોડી બની રહી છે. અનેક વખત વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. કોઈ વખત વરસાદ નથી પડતો તો ખેડૂતો ચિંતામાં મૂકાય છે તો કોઈ વખત વધારે વરસાદ પડે છે માટે ખેડૂતોને રડવાનો વારો આવે છે. કોઈ વખત કમોસમી વરસાદ થતો હોય છે તો પાકને નુકસાન થતું હોય છે તો કોઈ વખત પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. આ બધા વચ્ચે મહીસાગરથી વીડિયો સામે આવ્યો છે જેમાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. 


કેનાલનું પાણી ખેતરમાં ફરી વળ્યું!

કેનાલમાં જો પાણીનો જથ્થો વધારે થઈ જાય છે તો તે પાણીના જથ્થાને છોડવામાં આવે છે. પાકને આમ તો પાણીની જરૂરત હોય પરંતુ જ્યારે હોય ત્યારે. મહીસાગરથી એક વીડિયો સામે આવ્યો છે જે ખાનપુર તાલુકાનો છે. જમણા કાંઠા કેનાલનું પાણી છોડવામાં આવતા તે પાણી 3 ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું. કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસી જવાથી શિયાળા પાકને મોટા પાયે નુકસાન થયું છે. સિંચાઈ વિભાગ દ્વારા માગ કરવામાં આવી રહી છે પાણી બંધ કરવામાં આવે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.