Mahisagar : કેનાલમાંથી પાણી છોડાતા, ખેતરમાં ઘૂસી ગયા પાણી! શિયાળું પાકને પહોંચ્યું નુકસાન, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-12-18 15:46:57

ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે. દેશના અર્થતંત્રમાં મોટો ભાગ ભજવાનારા ખેડૂતોના નસીબમાં જાણે રડવાનું જ લખાયું છે. કોઈ વખત કુદરતનો માર ખેડૂતોને સહન કરવો પડે છે તો કોઈ વખત કોઈની બેદરકારીને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. એક તરફ ખેડૂતો ડુંગળીના નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ મહીસાગરથી એવા દ્રશ્યો સામે આવ્યા જેને કારણે ખેડૂતોને વધારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. કેનાલમાં ક્ષમતા કરતા વધારે પાણી છોડવામાં આવતા તે પાણી ખેતરમાં ઘૂસી ગયા છે અને પાકને મોટા પાયે નુકસાન થયું છે.     

પોષણસમા ભાવ ન મળતા ખેડૂતોને આવે છે રડવાનો વારો 

ખેડૂતોને આપણે જગતના તાત કહીએ છીએ. જગતના તાતની હાલત પ્રતિદિન કફોડી બની રહી છે. અનેક વખત વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. કોઈ વખત વરસાદ નથી પડતો તો ખેડૂતો ચિંતામાં મૂકાય છે તો કોઈ વખત વધારે વરસાદ પડે છે માટે ખેડૂતોને રડવાનો વારો આવે છે. કોઈ વખત કમોસમી વરસાદ થતો હોય છે તો પાકને નુકસાન થતું હોય છે તો કોઈ વખત પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. આ બધા વચ્ચે મહીસાગરથી વીડિયો સામે આવ્યો છે જેમાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. 


કેનાલનું પાણી ખેતરમાં ફરી વળ્યું!

કેનાલમાં જો પાણીનો જથ્થો વધારે થઈ જાય છે તો તે પાણીના જથ્થાને છોડવામાં આવે છે. પાકને આમ તો પાણીની જરૂરત હોય પરંતુ જ્યારે હોય ત્યારે. મહીસાગરથી એક વીડિયો સામે આવ્યો છે જે ખાનપુર તાલુકાનો છે. જમણા કાંઠા કેનાલનું પાણી છોડવામાં આવતા તે પાણી 3 ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું. કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસી જવાથી શિયાળા પાકને મોટા પાયે નુકસાન થયું છે. સિંચાઈ વિભાગ દ્વારા માગ કરવામાં આવી રહી છે પાણી બંધ કરવામાં આવે.  



સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.

ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.